યોજનાનું નામ |
- આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિધાર્થીઓને સહાય(અપગ્રેડેશન)(બીસીકે-૨બી)
|
પાત્રતાના માપદંડો |
- વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઇએ
- વિદ્યાર્થી આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતા હોવા જોઇએ
- મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને નક્કી કરેલ લક્ષ્યાંક મુજબ પસંદ કરવામાં આવશે.
- આવક મર્યાદા નથી
|
સહાયનું ધોરણ |
- વિદ્યાર્થીઓને એક્ષ્ટ્રા તાલીમ આપવામાં આવે છે.
- વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૨૫,૦૦૦/-નો ખર્ચ કરવામાં આવે છે. જેમા છાત્રાલયમાં રહેવા અને જમવાના ખર્ચ પેટે ૯,૦૦૦/- તથા ખિસ્સા ખર્ચ માટે રૂ.૩,૦૦૦/- તથા પુસ્તકો અને લેખન સામગ્રી માટે રૂ. ૩,૦૦૦/- તથા પ્રિન્સિપાલ-વિશેષજ્ઞોને માનદ વેતન અને અન્ય પ્રાસંગિક ખર્ચ માટે રૂ.૧૦,૦૦૦/- નો સમાવેશ થાય છે.
નોંધ :- આદર્શ નિવાસી શાળામાં ભોજન તથા રહેવાનું વિના મુલ્યે આપવામાં આવતું હોવાથી ભોજનના રૂ. ૯,૦૦૦/- ચૂકવવામાં આવતા નથી.
|
અરજી માટેનું નિયત નમુનાનું ફોર્મ |
- સંબધિત આદર્શ નિવાસી શાળાએથી આ યોજનાનો અમલ કરવામાં આવે છે.
|
અમલીકરણ કચેરી |
- સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી તેમજ સંબધિત આદર્શ નિવાસી શાળા
|