૧. | ર્ડા. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ | સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિ/ મહાનુભાવને રૂ।.૨.૦૦ લાખનો ર્ડા.
બાબાસાહેબ આંબેડકર એવોર્ડ એનાયત કરવામાં આવે છે. |
૨. | મહાત્મા ગાંધી એવોર્ડ | સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સંસ્થાને રૂ।.૨.૦૦ લાખનો મહાત્મા ગાંધી
એવોર્ડ એનાયત કરવામાં આવે છે. |
૩. | સંતશ્રી કબીર સાહિત્ય એવોર્ડ | સર્જનાત્મક સાહિત્યક્ષેત્રે મહત્વપૂર્ણ અને મૌલિક યોગદાન આપનાર અનુ.જાતિના સાહિત્યકારને
રૂ। ૧.૦૦ લાખ નો સંતશ્રી કબિર સાહિત્ય એવોર્ડ એનાયત કરવામાં આવે છે. |
૪. | મહાત્મા ફુલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ | અનુસૂચિત જાતિના શ્રેષ્ઠ પત્રકારને રૂ।.૫૦૦૦૦/- નો મહાત્મા ફુલે શ્રેષ્ઠ એવોર્ડ
એનાયત કરવામાં આવે છે. |
૫. | દાસીજીવણ શ્રેષ્ઠ સાહીત્યકૃતિ એવોર્ડ | અનુસૂચિત જાતિના સાહિત્યકારની સર્વશ્રેષ્ઠ કૃતિને રૂ।.૫૦૦૦૦/- નો દાસીજીવણ શ્રેષ્ઠ
સાહીત્યકૃતિ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. |
૬. | સાવિત્રીબાઈ ફૂલે મહિલા કલા/સાહિત્ય એવોર્ડ | અનુસૂચિત જાતિના લોકોને હસ્તકલા કારીગીરીક્ષેત્રે આગળ લાવવા માટે અનુસૂચિત જાતિની મહિલાઓએ
આપેલ યોગદાન પેટે રૂ.૧.૦૦ લાખનો એવોર્ડ આપવામાં આવે છે. |
૭. | સાહિત્યક્ષેત્રે પ્રકાશન સહાય | - અનુસૂચિત જાતિના સાહિત્યકાર
- સમસ્યાને લગતું સાહિત્ય પ્રકાશન કરવા માટે થયેલ ખર્ચના ૭૫% પરંતુ વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/-
ની આર્થિક સહાય.
|