ક્રમ નં. | ગુનાનું નામ | રાહતની લઘુત્તમ રકમ |
(૧) | (૨) | (૩) |
૧. | અખાદ્ય અથવા ધ્રુણાસ્પદ પદાર્થ આપવા [અધિનિયમની કલમ ૩(૧) (ક)] | ભોગ બનનારને એક લાખ રૂપિયા, તે સમયે ભોગ બનનારને નીચે પ્રમાણે ચુકવણી કરવી જોઇશે;
૧) અનુક્રમાંક (૨) અને (૩) માટે, પ્રથમ માહિતી અહેવાલ (એફ.આઇ.આર)મળે તે તબક્કે ૧૦ ટકા અને અનુક્રમાંક (૧),(૪) અને (૫) માટે,
પ્રથમ માહિતી અહેવાલ મળે તે તબક્કે ૨૫ ટકા;-
(૨) તહોમતનામું કોર્ટને મોકલવામાં આવે, ત્યારે ૫૦ ટકા;
(૩) અનુક્રમાંક (૨) અને (૩) માટે, નીચલી અદાલત દ્વારા આરોપીને દોષિત ઠરાવવામાં આવે, ત્યારે ૪૦ ટકા અને અનુક્રમાંક (૧), (૪) અને (૫) માટે તે જ પ્રમાણે ૨૫ ટકા |
૨. | પાણીના મળ-મૂત્ર, મળપાણી, પશુના મડદાં અથવા અન્ય કોઇ ધૃણાસ્પદ પદાર્થ નાંખવા [અધિનિયમની કલમ ૩(૧)(ખ) ] |
૩. | હાનિ, અપમાન કે ત્રાસ કરવાના આશયથી પ્રાણીના મળ-મૂત્ર, બગડી ગયેલા પદાર્થ, પશુના મડદાં અથવા અન્ય કોઇ ધૃણાસ્પદ પદાર્થ નાંખવા [અધિનિયમની કલમ ૩(૧)(ગ)] |
૪ | પગરખાંનો હાર પહેરાવવો અથવા નગ્ન અથવા અર્ધનગ્ન કરીને પરેડ કરાવવી [અધિનિયમની કલક ૩(૧)(ઘ)] |
૫. | કોઇ વ્યક્તિના શરીર પરનાં કપડાં બળપૂર્વક ઉતારવા, બળપૂર્વક મુંડન કરાવવું, મૂંછો કઢાવવી, ચહેરા કે શરીરને રંગવા જેવા કૃત્યો કરવા [અધિનિયમની કલમ ૩(૧)(ચ) |
૬. | જમીનનો ગેરકાયદે ભોગવટો કરવો અથવા તેમાં ખેતી કરવી [અધિનિયમની કલન ૩(૧)(છ)] | ભોગ બનનારને એક લાખ રૂપિયા, જરૂરી હોય, ત્યાં જમીન અથવા જગા થવા પાણીના પુરવઠા અથવા સિંચાઇની સુવિધા, સંબંધિત રાજ્ય સરકાર અથવા સંઘપ્રદેશના વહીવટીતંત્ર દ્વારા સરકારી ખર્ચે પુન:સ્થાપિત (પુર્વવત) કરવી જોઇશે. ભોગ બનનારને નીચે પ્રમાણે ચુકવણી કરવી જોઇશે :
(૧) પ્રથમ માહિતી અહેવાલ (એફ.આઇ.આર) મળે તે તબક્કે ૨૫ ટકા;
(૨) આરોપનામું કોર્ટને મોકલવામાં આવે, ત્યારે ૫૦ ટકા;
(૩) નીચલી અદાલત દ્વારા આરોપીને
દોષિત ઠરાવવામાં આવે, ત્યારે ૨૫ ટકા. |
૭. | કોઇ વ્યક્તિને તેની જમીન કે જગાના કબજામાંથી ગેરકાયદે હટાવવી અથવા વન-હક સહિતના હક (ના ભોગવટા)માં દખલગીરી કરવી [અધિનિયમની કલમ ૩(૧)(જ) |
૮. | વેઠ અથવા તેવા પ્રકારની બીજી બળજબરી પૂર્વકની કે બંધનયુક્ત મજૂરી [અધિનિયમની કલમ ૩(૧)(ઝ)] | ભોગ બનનારને એક લાખ રૂપિયા, ભોગ બનનારને નીચે પ્રમાણે ચુકવણી કરવી જોઇશે : (૧) પ્રથમ માહિતી અહેવાલ
(એફ.આઇ.આર) મળે તે તબક્કે ૨૫ ટકા
(૨) આરોપનામું કોર્ટને મોકલવામાં આવે, ત્યારે ૫૦ ટકા
(૩) નીચલી અદાલત દ્વારા અરોપીને દોષિત |
૯. | માનવ અથવા પશુના મડદાંનો નિકાલ કરવા અથવા તે ઉપાડવા અથવા કબર ખોદવા માટે ફરજ પાડવી [અધિનિયમની કલમ ૩(૧)(ટ)] |
૧૦. | અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિના સભ્યો પાસે મેલું ઉપડાવવું અથવા આવા હેતુ માટે તેમને કામે રાખવા [અધિનિયમની કલમ ૩(૧)(ઠ)] | ઠરાવવામાં આવે, ત્યારે ૨૫ ટકા |
૧૧. | અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદુજાતિની મહિલા પાસે દેવદાસી તરીકે કાર્ય કરાવવું અથવા તેને દેવદાસી તરીકે સમર્પિત કરવાની બાબતે પ્રોત્સાહન આપવું [અધિનિયમની કલમ ૩(૧)(ડ)] |
૧૨. | મત આપતા અથવા નામ રજૂ કરતાં અટકાવવું [અધિનિયમની કલમ ૩(૧)(ઢ)] | ભોગ બનનારપંચ્યાશી હજાર રૂપિયા, ભોગ બનનારને નીચે પ્રમાણે ચુકવણી કરવી જોઇશે :
(૧) પ્રથમ માહિતી અહેવાલ
(એફ.આઇ.આર) મળે તે તબક્કે ૨૫ ટકા
(૨) આરોપનામું કોર્ટને મોકલવામાં આવે, ત્યારે ૫૦ ટકા
(૩) નીચલી અદાલત દ્વારા અરોપીને દોષિત ઠરાવવામાં આવે, ત્યારે ૨૫ ટકા . |
૧૩. | પંચાયત અથવા નગરપાલિકાના હોદ્દેદારોને તેમની ફરજ બજાવવા માટે દબાણ કરવું, ધાકધમકી આપવી અથવા તેમાં અવરોધ ઊભો કરવો [અધિનિયમની કલમ ૩(૧)(ત)] |
૧૪. | મતદાન પછીની હિંસા અને સામાજિક અને આર્થિક બહિષ્કાર (બોયકોટ) કરવો [અધિનિયમની કલમ ૩(૧)(થ)] |
૧૫. | અમુક ઉમેદવારને મત આપવા અથવા મત ન આપવા અંગેના આ અધિનિયમ હેઠળના કોઇ ગુના કરવા [અધિનિયમની કલમ ૩(૧)(દ)] |
૧૬. | ખોટી, દ્વેષપૂર્ણ અથવા ત્રાસદાયક કાનૂની કાર્યવાહી શરૂ કરવી [અધિનિયમની કલમ ૩(૧)(ધ)] | ભોગ બનનારને પંચાશી હજાર રૂપિયા અથવા ખરેખર થયેલ કાનુની ખર્ચ અને નુકસાનની ભરપાઇ કરવી, બે માંથી જે ઓછું હોય તે. ભોગ બનનારને નીચે પ્રમાણે ચુકવણી કરવી જોઇશે : (૧) પ્રથમ માહિતી અહેવાલ
(એફ.આઇ.આર) મળે તે તબક્કે ૨૫ ટકા
(૨) આરોપનામું કોર્ટને મોકલવામાં આવે, ત્યારે ૫૦ ટકા
(૩) નીચલી અદાલત દ્વારા અરોપીને દોષિત ઠરાવવામાં આવે, ત્યારે ૨૫ ટકા |
૧૭. | જાહેર સેવકને ખોટી અને ક્ષુલ્લક માહિતી આપવી [અધિનિયમની કલમ ૩(૧)(ન)] | ભોગ બનેલાને રૂપિયા એક લાખ અથવા વાસ્તવિક કાનૂની ખર્ચ અને નુકસાનની ભરપાઇ, બેમાંથી ઓછું હોય તે. ચુકવણી નીચે મુજબ કરવામાં આવશે :
(૧) પ્રથમ માહિતી અહેવાલ (એફ.આઇ.આર) મળે તે તબક્કે ૨૫ ટકા
(૨) આરોપનામું કોર્ટને મોકલવામાં આવે, ત્યારે ૫૦ ટકા
(૩) આરોપીને નીચલી કોર્ટ દ્વારા દોષિત ઠરાવવામાં આવે, ત્યારે ૨૫ ટકા |
૧૮. | લોકોની દ્રષ્ટિ (નજર) પડે તેવા કોઇ સ્થળમાં ઇરાદાપૂર્વક અપમાન કરવું અથવા ધાકધમકી આપવી અથવા માનહાનિ કરવી[અધિનિયમની કલમ ૩(૧)(૫)] | ભોગ બનેલાને રૂપિયા એક લાખ ચુકવણી નીચે મુજબ કરવામાં આવશે :
(૧) પ્રથમ માહિતી
અહેવાલ (એફ.આઇ.આર)મળે તે તબક્કે ૨૫ ટકા
(૨) આરોપનામું કોર્ટને મોકલવામાં આવે, ત્યારે ૫૦ ટકા
(૩) આરોપીને નીચલી કોર્ટ દ્વારા દોષિત ઠરાવવામાં આવે, ત્યારે ૨૫ ટકા |
૧૯. | લોકોની દ્રષ્ટિ પડે તેવા કોઇ સ્થળમાં જ્ઞાતિના નામે અપશબ્દ બોલવા [અધિનિયમની કલમ ૩(૧)(ક)] |
૨૦. | પવિત્ર અથવા ઉચ્ચ આદરભાવ સાથે રાખવામાં આવેલી કોઇ વસ્તુને નુકસાન પહોંચાડવું, હાનિ પહોંચાડવી અથવા અપવિત્ર કરવી [અધિનિયમની કલમ ૩(૧)(બ)] |
૨૧. | દુશ્મની, નફરત અથવા બદઇરાદાપૂર્વકની લાગણીને ઉત્તેજન આપવું [અધિનિયમની કલમ ૩(૧)(ભ) ] |
૨૨. | ઉચ્ચ આદરભાવ ધરાવતી કોઇ સ્વસ્થ વ્યક્તિનું શબ્દોથી અથવા બીજા કોઇ માધ્યમથી અનાદર કરવો [અધિનિયમની કલમ ૩(૧)(મ)] |
૨૩. | જાતિય પ્રકારના કૃત્ય તરીકેના કાર્યો અથવા હાવભાવ કરીને, અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીને તેણીની સંમતિ વિના ઇરાદાપૂર્વક સ્પર્શ કરવો [અધિનિયમની કલમ ૩(૧)(ય)] | ભોગ બનેલાને રૂપિયા બે લાખ ચુકવણી નીચે મુજબ કરવામાં આવશે :
(૧) પ્રથમ માહિતી અહેવાલ (એફ.આઇ.આર) મળે તે તબક્કે ૨૫ ટકા
(૨) આરોપનામું કોર્ટને મોકલવામાં આવે,ત્યારે ૫૦ ટકા
(૩) નીચલી અદાલત દ્વારા અરોપીને દોષિત ઠરાવવામાં આવે, ત્યારે ૨૫ ટકા |
૨૪. | ભારતના ફોજદારી અધિનિયમન (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૩ ૨૬ખ-સ્વૈચ્છિક રીતે એસિડ ફેંકવો અથવા ફેંકવાનો પ્રયત્ન કરવો [અધિનિયમની અનુસૂચિ સાથે વાંચતા કલમ ૩(૨)(મક) ] | (ક) ચહેરા પર ૨ ટકા અને તેથા વધુ પ્રમાણમાં દાઝવાના કારણે ઇજા અને આંખ, કાન નાક અને મોંઢાની કાર્યાત્મક ઇજા અને /અથવા શરીર પર ૩૦ ટકા કરતાં વધુ પ્રમાણમાં દાઝવાના કારણે ઇજા થવાના કિસ્સામાં ભોગ બનેલાને રૂપિયા આઠ લાખ અને પચીસ હજાર;
(ખ) શરીર પર ૧૦ ટકાથી ૩૦ ટકા ઓછા પ્ર્માણમાં દાઝવાના કારણે ઇજા સાથેના ભોગ બનેલાને રૂપિયા ચાર લાખ અને પંદર હજાર;
(ગ) ચહેરા સિવાયના શરીર પર ૧૦ ટકા વચ્ચે દાઝવાના કારણે ઇજા સાથેના ભોગ બનેલાને રૂપિયા પંચાશી હજાર.
તદુપરાંત, રાજ્ય સરકાર અથવા સંઘ પ્રદેશ, એસિડ હુમલાના ભોગ બનેલાની સારવાર માટે પૂરેપૂરી જવાબદારી લેશે.
બાબતો (ક) થી(ગ) ના સંદર્ભમાં ચુકવણી નીચે મુજબ કરવામાં આવશે :
(૧) પ્રથમ માહિતી અહેવાલ (એફ.આઇ.આર) ના તબક્કાએ ૫૦ ટકા;
(૨) તબીબી અહેવાલ મળ્યા પછી ૫૦ ટકા |
૨૫. | ભારતના ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૩૫૪-લજ્જાભંગ કરવાના ઇરાદા સાથે સ્ત્રી પર હુમલો કરવો અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરવો. [અધિનિયમની અનુસૂચિ સાથે વાંચતા કલમ ૩(૨)(મક) ] | ભોગ બનેલાને રૂપિયા બે લાખ ચુકવણી નીચે મુજબ કરવામાં આવશે : (૧) પ્રથમ માહિતી અહેવાલ (એફ.આઇ.આર)ના તબક્કાએ ૫૦ ટકા; (૨) આરોપનામું કોર્ટને મોકલવામાં આવે,ત્યારે ૨૫ ટકા (૩) નીચલી અદાલત દ્વારા ફોજદારી કાર્યવાહી પૂર્ણ થયેથી ૨૫ ટકા |
૨૬. | ભારતના ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૩૫૪-ક-જાતીય સતામણી અને જાતીય સતામણી માટે શિક્ષા. [અધિનિયમની અનુસૂચિ સાથે વાંચતા કલમ ૩(૨)(મક) ] | ભોગ બનનારને બે લાખ ચુકવણી નીચે મુજબ કરવી જોઇશે : (૧) પ્રથમ માહિતી અહેવાલ (FIR) ના તબક્કે ૫૦ ટકા (૨) આરોપનામું કોર્ટને મોકલવામાં આવે, ત્યારે ૨૫ ટકા; (૩) નીચલી કોર્ટ દ્વારા અદાલતી કાર્યવાહીપૂર્ણ થયેથી ૨૫ ટકા. |
૨૭. | ભારતના ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૩૫૪-ખ-કોઇ સ્ત્રીના કપડાં ઉતારવાના ઇરાદાથી તેના ઉપર હુમલો કરે કે ફોજદારી બળપ્રયોગ કરે [અધિનિયમની કલમ ૩(૨)(મક) ] | ભોગ બનનારને બે લાખ રૂપિયા. ચુકવણી નીચે મુજબ કરવી જોઇશે : (૧) પ્રથમ માહિતી અહેવાલ (FIR) ના તબક્કે ૫૦ ટકા (૨) ચાર્જશીટ કોર્ટને મોકલવામાં આવે, ત્યારે ૨૫ ટકા; (૩) નીચલી અદાલત દ્વારા અદાલતી કાર્યવાહીના અંતે ૨૫ ટકા. |
૨૮. | ભારતના ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૩૫૪-ગ- જાતીય શોષણ [અધિનિયમની અનુસૂચિ સાથે વાંચતા કલમ ૩(૨)(મક)] | ભોગ બનનારને બે લાખ રૂપિયા. ચુકવણી નીચે મુજબ કરવી જોઇશે : (૧) પ્રથમ માહિતી અહેવાલ (FIR) ના તબક્કે ૧૦ ટકા (૨) ચાર્જશીટ કોર્ટને મોકલવામાં આવે, ત્યારે ૫૦ ટકા; (૩) નીચલી અદાલત દ્વારા અદાલતી કાર્યવાહીના અંતે ૪૦ ટકા. |
૨૯. | ભારતના ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૩૫૪-ઘ-સતત પજવણી [અધિનિયમની અનુસૂચિ સાથે વાંચતા કલમ ૩(૨)(મક)] | ભોગ બનનારને બે લાખ રૂપિયા. ચુકવણી નીચે મુજબ કરવી જોઇશે : (૧) પ્રથમ માહિતી અહેવાલ (FIR) ના તબક્કે ૧૦ ટકા (૨) ચાર્જશીટ કોર્ટને મોકલવામાં આવે, ત્યારે ૫૦ ટકા; (૩) નીચલી અદાલત દ્વારા અદાલતી કાર્યવાહીના અંતે ૪૦ ટકા. |
૩૦. | ભારતના ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૩૭૬-ખ લગ્નવિચ્છેદ દરમિયાન પતિ દ્વારા પત્નિ પર કરવામાં આવેલ જાતીય સંભોગ [અધિનિયમની અનુસૂચિ સાથે વાંચતા કલમ ૩(૨(મક) ] | ભોગ બનનારને બે લાખ રૂપિયા. ચુકવણી નીચે મુજબ કરવી જોઇશે : (૧) તબીબી તપાસ અને પુષ્ટિ રિપોર્ટ (અહેવાલ) પછી ૫૦ટકા (૨) ચાર્જશીટ કોર્ટને મોકલવામાં આવે, ત્યારે ૨૫ ટકા; (૩) નીચલી અદાલત દ્વારા આરોપીને ગુનેગાર ઠરાવવામાં આવે, ત્યારે ૨૫ ટકા. |
૩૧. | ભારતના ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૩૭૬-ગ-સત્તા ધરાવતી વ્યક્તિ દ્વારા જાતીય સંભોગ કરે [અધિનિયમની અનુસૂચિત સાથે વાંચતા કલમ ૩(૨)(મક)] | ભોગ બનનારને ચાર લાખ રૂપિયા. ચુકવણી નીચે મુજબ કરવી જોઇશે : (૧) તબીબી તપાસ અને પુષ્ટિ રિપોર્ટ (અહેવાલ) પછીના ૫૦ ટકા (૨) ચાર્જશીટ કોર્ટને મોકલવામાંઆવે, ત્યારે ૨૫ ટકા; (૩) નીચલી અદાલત દ્વારા આરોપીનેગુનેગાર ઠરાવવામાં આવે, ત્યારે ૨૫ ટકા |
૩૨. | ભારતના ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૫૦૯-સ્ત્રીના માનભંગના ઇરાદાથી શબ્દ, હાવભાવ અથવા કૃત્ય કરે[અધિનિયમની અનુસૂચિ સાથે વાંચતા કલમ ૩(૨(મક) ] | ભોગ બનનારને બે લાખ રૂપિયા. ચુકવણી નીચે મુજબ કરવી જોઇશે : (૧) પ્રથમ માહિતી અહેવાલ (FIR) ના તબક્કે ૨૫ ટકા (૨) ચાર્જશીટ કોર્ટને મોકલવામાં આવે, ત્યારે ૫૦ ટકા; (૩) નીચલી અદાલત દ્વારા આરોપીને ગુનેગાર ઠરાવવામાં આવે, ત્યારે ૨૫ ટકા |
૩૩. | જલને દૂષિત અથવા મેલું કરે [અધિનિયમની કલમ ૩(૧)(૧૦)] | જળ દૂષિત કરવામાં આવ્યું હોય, ત્યારે રાજ્ય સરકાર દ્વારા અથવા સંઘપ્રદેશના વહીવટ દ્વારા સામાન્ય સુવિધાઓ માટેના પુન:સ્થાપનનો તમામ ખર્ચ ભોગવવામાં આવશે. તે ઉપરાંત, સ્થાનિક મંડળ સાથે વિચારવિનિમય કરીને, જિલ્લા સત્તામંડળ દ્વારા નક્કી કરવામાં આવે તેમ કુદરતી સામુદાયિક સંપત્તિ (અસ્કયામત) ઊભી કરવા આઠ લાખ પચ્ચીસ હજાર રૂપિયાની રકમ જિલ્લા મેજિસ્ટ્રેટને જમા કરાવવી જોઇશે. |
૩૪. | જાહેર આશ્રયસ્થાનમાં આવવા જવાના કોઇ રૂઢિગત હકનો ઇનકાર કરવો અથવા જાહેર આશ્રયસ્થાનનો ઉપયોગ કરવા અથવા તેમાં આવવા જવામાં અડચણ ઊભી કરે [અધિનિયમની કલમ ૩(૧)(લ) ] | ભોગ બનનારને ચાર લાખ પચ્ચીસ હજાર રૂપિયા. ચુકવણી નીચે મુજબ કરવી જોઇશે; (૧) પ્રથમ માહિતી અહેવાલ (FIR) ના તબક્કે ૨૫ ટકા (૨) ચાર્જશીટ કોર્ટને મોકલવામાં આવે, ત્યારે ૫૦ ટકા; (૩) નીચલી અદાલત દ્વારા આરોપીનેગુનેગાર ઠરાવવામાં આવે, ત્યારે ૨૫ ટકા |
૩૫. | ઘર, ગામ, નિવાસસ્થાન, નિવાસ્થાનની જગા છોડવા દબાણ કરે [અધિનિયમની કલમ ૩(૧)(વ)] | રાજ્ય સરકાર દ્વારા અથવા સંઘપ્રદેશના વહીવટ દ્વારા સ્થળ અથવા ઘરમાં રહેવાના હકનું પુન:સ્થાપન અને ભોગ બનનારને એક લાખ રૂપિયાની રાહત અને ઘરનો નાશ થયેલ હોય, તો સરકારના ખર્ચે તેનું પુન: બાંધકામ, ચુકવણી નીચે મુજબ કરવી જોઇશે; ભોગ બનનારને બે લાખ રૂપિયા. ચુકવણી નીચે મુજબ કરવી જોઇશે : (૧) પ્રથમ માહિતી અહેવાલ (એફ.આઇ.આર) ના તબક્કે ૨૫ ટકા (૨) આરોપનામું (ચાર્જશીટ) અદાલરને મોકલવામાં આવે ત્યારે ૫૦ ટકા (૩) આરોપીને નીચલી અદાલત દ્વારાગુનેગાર ઠરાવવામાં આવે ત્યારે ૨૫ ટકા |
૩૬. | અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિના સભ્યને નીચેની બાબતોના સંબંધમાં કોઇપણ રીતે રોકવા અથવા અટકાવવા માટે- (ક) અન્ય સાથે સમાન રીતે વિસ્તારની સામાન્ય મિલકતના સ્ત્રોતો અથવા અન્યવિધિ અથવા અંતિમ સંસ્કારની જગ્યાનો ઉપયોગ કરતા અથવા કોઇ નદી, વહેળો, ઝરો, કુવો, ટાંકી, હોજ, પાણીનો નળ અથવા અન્ય હવાડા અથવા કોઇ સ્નાન ઘાટ, કોઇ જાહેર વાહન, કોઇ રસ્તા અથવા માર્ગનો ઉપયોગ કરતાં [અધિનિયમની કલમ ૩(૧)(વક)(ખ) ] | (ક) સંબંધિત રાજ્ય સરકારે અથવા કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્ર-એ, અન્ય સાથે સમાન રીતે વિસ્તારની સામાન્ય મિલકતના સ્ત્રોત્તો અથવા અન્ય વિધિ અથવા અંતિમ સંસ્કારની જગ્યાનો સામાન્ય ઉપયોગ કરવા અથવા અન્ય સાથે સમાન રીતે કોઇ નદી, વહેળો, ઝરો, કુવો, ટાંકી, હોજ, પાણીનો નળ અથવા અન્ય હવાડા અથવા કોઇ સ્નાન ઘાટ, કોઇ જાહેર વાહન, કોઇ રસ્તા અથવા માર્ગનો ઉપયોગ કરવાના હકનું પુન:સ્થાપન કરવું અને ભોગ બનેલ વ્યક્તિને એક લાખ રૂપિયાની સહાય આપવી. નીચે મુજબ ચૂકવણી કરવી; (૧) પ્રથમ માહિતી અહેવાલ (એફ.આઇ.આર) ના તબક્કે ૨૫ ટકા (૨) આરોપનામું (ચાર્જશીટ) અદાલતને મોકલવામાં આવે, ત્યારે ૫૦ ટકા; (૩) આરોપીને નીચલી અદાલત દ્વારાગુનેગાર ઠરાવવામાં આવે ત્યારે ૨૫ ટકા |
| (ખ) સાઇકલ અથવા મોટર સાઇકલ પર સવારી કરતાં અથવા ચલાવતાં અથવા જાહેર સ્થળોએ પગરખાં અથવા નવા કપડાં પહેરતાં અથવા લગ્નનો વરઘોડો કાઢતાં અથવા લગન્નો વરઘોડાઓ દરમિયાન ઘોડો અથવા અન્ય કોઇ વાહનની સવારી કરતાં [અધિનિયમની કલમ ૩(૧)(વક)(ખ)] | (ખ) સંબંધિત રાજ્ય સરકારે અથવા કેન્દ્રશાસિત પ્રદેશના વહિવટીતંત્ર-એ, અન્ય સાથે સમાન રીતે સાઇકલ અથવા મોટર સાઇકલ પર સવારી કરવા અથવા ચલાવવા અથવા જાહેર સ્થળોએ પગરખાં અથવા નવાકપડાં પહેરવા અથવા લગ્નનો વરઘોડો કાઢવા અથવા લગ્નનો વરઘોડાઓ દરમિયાન ઘોડા અથવા અન્ય કોઇ વાહનની સવારી કરવાના હકનું પુન:સ્થાપન કરવું અને ભોગ બનેલ વ્યક્તિનેએક લાખ રૂપિયાની સહાય આપવી. નીચે મુજબ ચૂકવણી કરવી; (૧) પ્રથમ માહિતી અહેવાલ(એફ.આઇ.આર) ના તબક્કે ૨૫ ટકા (૨) આરોપનામું (ચાર્જશીટ) અદાલતને મોકલવામાં આવે, ત્યારે ૫૦ ટકા; (૩) આરોપીને નીચલી અદાલત દ્વારાગુનેગાર ઠરાવવામાં આવે ત્યારે ૨૫ ટકા |
| (ગ) જાહેર પ્રજા માટે અથવા તે ધર્મ શીખવતી અન્ય વ્યક્તિઓ માટે ખુલ્લા હોય તેવા કોઇ પ્રાર્થના-પૂજાના સ્થળે અટકાવતાં અથવા જાત્રા સહિત કોઇપણ ધર્મ, સામાજિક અથવા સાંસ્કૃતિક સરઘસોમાં ભાગ લેતાં અથવા તે કાઢતાં | (ગ) સંબંધિત રાજ્ય સરકારે અથવા કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્ર-એ, અન્ય વ્યક્તિઓ સાથે સમાન રીતે, જાહેર પ્રજા માટે અથવા તે ધર્મ શીખવતી અન્ય વ્યક્તિઓમાટે ખુલ્લા હોય તેવા કોઇ પ્રાર્થના-પૂજાના સ્થળે અટકાવતાં અથવા જાત્રા સહિત કોઇપણ ધર્મ, સામાજિક અથવા સાંસ્કૃતિક સરઘસોમાં ભાગ લેવાના અથવા તે કાઢવાના હકનું પુન:સ્થાપના કરવું અને ભોગ બનેલ વ્યક્તિને એક લાખ રૂપિયાની સહાય આપવી. નીચે મુજબ ચૂકવણી કરવી: (૧) પ્રથમ માહિતી અહેવાલ (એફ.આઇ.આર.) ના તબક્કે, ૨૫ ટકા (૨) આરોપનામું (ચાર્જશીટ) અદાલતને મોકલવામાં આવે ત્યારે, ૫૦ ટકા; (૩) આરોપીને નીચલી અદાલત દ્વારા ગુનેગાર ઠરાવવામાં આવે ત્યારે ૨૫ ટકા |
| (ઘ) કોઇપણ શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ, દવાખાનું પ્રથમિક આરોગ્ય કેન્દ્ર, દુકાન અથવા અન્ય કોઇ જાહેર સ્થળમાં પ્રવેશતાં અથવા જાહેર પ્રજા માટે ખુલ્લા હોય તેવા કોઇ સ્થળમાં જાહેર ઉપયોગ માટે હોય તેવા કોઇ સાધનો અથવા વસ્તુઓનો ઉપયોગ કરતાં | (ઘ) સંબંધિત રાજ્ય સરકારે અથવા કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્ર-એ, અન્ય વ્યક્તિઓ સાથે સમાન રીતે, કોઇપણ શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ, દવાખાનું, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દુકાન અથવા જાહેર મનોરંજન સ્થળ અથવા અન્ય કોઇ જાહેર સ્થળમાં પ્રવેશવાના અથવા જાહેર પ્રજા માટે ખુલ્લા હોય તેવા કોઇ સ્થળમાં જાહેર ઉપયોગ માટે તેવા કોઇ સાધનો અથવા વસ્તુઓનો ઉપયોગ કરવાના હકનું પુન:સ્થાપન કરવું અને ભોગ બનેલ વ્યક્તિને એક લાખ રૂપિયાની સહાય આપવી, નીચે મુજબ ચૂકવણી કરવી: (૧) પ્રથમ માહિતી અહેવાલ(એફ.આઇ.આર) ના તબક્કે, ૨૫ ટકા (૨) આરોપનામું (ચાર્જશીટ) અદાલતને મોકલવામાં આવે ત્યારે, ૫૦ ટકા; (૩) આરોપીને નીચલી અદાલત દ્વારાગુનેગાર ઠરાવવમાં આવે ત્યારે ૨૫ટકા. |
| (ચ) જાહેર જનતા અથવા તેના કોઇ ભાગના બીજા સભ્યોને કોઇ વ્યવસાય કરવાનો અથવા રોજગાર, વ્યાપાર કે ધંધો અથવા કોઇ નોકરીમાં રોજગાર મેળવવાનો અધિકાર હોય અથવા વાપરવાનો અધિકાર હોય [અધિનિયમની કલમ ૩(૧) (વક)(ચ)] | (ચ) જાહેર જનતા અથવા તેના કોઇ ભાગના બીજા સભ્યોને કોઇ વ્યવસાય કરવાનો અથવા રોજગાર, વ્યાપાર કે ધંધો અથવા કોઇ નોકરીમાં રોજગાર મેળવવાનો અધિકાર હોય અથવા વાપરવાનો અધિકાર હોય, તે અધિકારનું સંબંધિત રાજ્ય સરકાર દ્વારા/કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્ર દ્વારા પુન:સ્થાપન અને ભોગ બનેલાને એક લાખ રૂપિયાની રાહત ચૂકવણી નીચે મુજબ કરવી: (૧) પ્રથમ માહિતી અહેવાલ (એફ.આઇ.આર) ના તબક્કે, ૨૫ ટકા (૨) આરોપનામું કોર્ટમાં મોકલવામાં આવે ત્યારે, ૫૦ ટકા; (૩) આરોપીઓને નીચલી અદાલત (કોર્ટ)દ્વારા દોષિત ઠરાવવામાં આવે ત્યારે ૨૫ ટકા. |
૩૭. | ડાકણ તરીકેનો આક્ષેપ કરીને શારીરિક હાનિ પહોંચાડવી અથવા માનસિક યાતના આપવી અથવા જાદુટોણા કરવા અથવા જાદુગર તરીકે કામ કરવું. [અધિનિયમની કલમ ૩(૧)(વખ)] | પીડિતને એક લાખ રૂપિયા અને ભોગ બનેલાને ભોગવવા પડેલ અનાદર, અપમાન, ઇજા અને બદનામીને અનુરૂપ ચુકવણી નીચે મુજબ કરી: (૧) પ્રથમ માહિતી અહેવાલ (FIR) ના તબક્કે ૨૫ ટકા. (૨) આરોપનામું કોર્ટમાં મોકલવામાં આવે ત્યારે ૫૦ ટકા; (૩) આરોપીઓને નીચલી અદાલત (કોર્ટ) દ્વારા દોષિત ઠરાવવામાં આવે ત્યારે ૨૫ ટકા. |
૩૮. | સામાજિક અથવા આર્થિક બહિષ્કાર લાદવો અથવા તે બહિષ્કાર લાદવાની ધમકી આપવી. [અધિનિયમની કલમ ૩(૧) (વખ)] | સંબંધિત રાજ્ય સરકાર દ્વારા/કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્ર દ્વારા તમામ આર્થિક અને સામાજિક સેવાઓનું બીજી વ્યક્તિઓની સાથે સમાન રીતે પુન:સ્થાપન અને ભોગ બનનારને એક લાખ રૂપિયાની રાહત નીચલી અદાલતને આરોપનામું મોકલવામાં આવે ત્યારે પૂરૂં ચૂકવવું. |
૩૯. | ખોટો પુરાવો આપવો અથવા ખોટો પુરાવો ઉભો કરવો. [અધિનિયમની કલમ ૩(૨)(૧) અને (૨)] | ભોગ બનેલાને (પીડિત) ચાર લાખ પંદર હજાર રૂપિયા. ચૂકવણી નીચે મુજબ કરવી: (૧) પ્રથમ માહિતી અહેવાલ(એફ.આઇ.આર) ના તબક્કે, ૨૫ ટકા (૨) આરોપનામું કોર્ટમાં મોકલવામાં આવે ત્યારે, ૫૦ ટકા; (૩) આરોપીઓને નીચલી અદાલત (કોર્ટ) દ્વારા દોષિત ઠરાવવામાં આવે ત્યારે ૨૫ ટકા. |
૪૦. | ભારતના ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦નો ૪૫મો) હેઠળ દસ વર્ષ અથવા તેની વધુની મુદતના કેદની શિક્ષા સાથેના સજાપાત્ર ગુના કરવા માટે. [અધિનિયમની કલમ ૩(૨)] | ભોગ બનેલાને અથવા તેના આશ્રિતોને ચાર લાખ રૂપિયા આ અનુસૂચિમાં સ્પષ્ટ રીતે અન્યથા જોગવાઇ કરી હોય તે સિવાય, રકમમાં ફેરફાર થશે. ચૂકવણી નીચે મુજબ કરવી: (૧) પ્રથમ માહિતી અહેવાલ(એફ.આઇ.આર) ના તબક્કે, ૨૫ ટકા (૨) આરોપનામું કોર્ટમાં મોકલવામાં આવે ત્યારે, ૫૦ ટકા; (૩) આરોપીઓને નીચલી અદાલત (કોર્ટ) દ્વારા દોષિત ઠરાવવામાં આવે ત્યારે ૨૫ ટકા. |
૪૧. | અધિનિયમન અનુસૂચિમાં નિર્દિષ્ટ કરેલા ભારતના ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦નો ૪૫મો) હેઠળના ગુના કરવા માટે, ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ આવા ગુના માટે નિર્દિષ્ટ કરી હોય તે પ્રમાણેની તેટલી રકમ સાથે સજાપાત્ર થશે. [અધિનિયમ્ની અનુસૂચિ સાથે વાંચવા કલમ ૩(૨)(મક)] | ભોગ બનેલાને અથવા તેના આશ્રિતોને બે લાખ રૂપિયા આ અનુસૂચિમાં સ્પષ્ટ રીતે અન્યથા જોગવાઈ કરી હોય તે સિવાય, રકમમાં ફેરફાર થશે. ચુકવણી નીચે મુજબ છે: (૧) પ્રથમ માહિતી અહેવાલ (FIR) ના તબક્કે, ૨૫ ટકા (૨) આરોપનામું કોર્ટમાં મોકલવામાં આવે ત્યારે, ૫૦ ટકા; (૩) આરોપીઓને નીચલી અદાલત (કોર્ટ) દ્વારા દોષિત ઠરાવવામાં આવે ત્યારે ૨૫ટકા. |
૪૨. | જાહેર સેવક દ્વારા શોષણ (કિન્નાખોરી) | ભોગ બનેલાને અથવા તેના આશ્રિતોને બે લાખ રૂપિયા. ચુકવણી નીચે મુજબ કરવી : (૧) ૨૫ ટકા પ્રથમ માહિતી અહેવાલ (એફ.આઇ.આર) ના તબક્કાએ, (૨) ૫૦ ટકા ચાર્જશીટ( આરોપનામું), જ્યારે કોર્ટને મોકલવામાં આવે ત્યારે, (૩) ૨૫ ટકા જ્યારે નીચલી કોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવેલ હોય ત્યારે. |
૪૩. | અશક્તતા :- વિવિધ અશક્તતાઓના મૂલ્યાકંન માટેની માર્ગદર્શિકા અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું તારીખ ૧લી જૂન, ૨૦૦૧નું જાહેરનામું ક્રમાંક :૧૬-૧૮/૯૭-એનાઅઈમાં જણાવેલ પ્રમાણન માટેની કાર્યરીતિ. એનેક્ષર-૨માં જાહેરનામાની નકલ છે. (ક) ૧૦૦ ટકા અસમર્થતા (ખ) અસમર્થતા ૧૦૦ ટકાથી ઓછી હોય ત્યારે. પરંતુ ૫૦ ટકાથી વધારે હોય ત્યારે. (ગ) અસમર્થતા ૫૦ ટકાથી ઓછી હોય ત્યારે | આઠ લાખ અને પચીસ હજાર રૂપિયાનો ભોગ નીચે પ્રમાણે ચુકવણી કરવાની રહે છે. (૧) ૫૦ ટકા, તબીબી પરીક્ષા અને તબીબી રીપોર્ટને સમર્થન; (૨) ૫૦ ટકા, જ્યારે ચાર્જશીટ (આરોપનામું), કોર્ટને મોકલવામાં આવે ત્યારે; ચાર લાખ અને પચીસ હજાર રૂપિયાનો ભોગ નીચે પ્રમાણે ચુકવણી કરવાની રહે છે:- ૧) ૫૦ ટકા, તબીબી પરીક્ષા અને તબીબી રીપોર્ટને સમર્થન; (૨) ૫૦ ટકા, જ્યારે ચાર્જશીટ (આરોપનામું),કોર્ટને મોકલવામાં આવે ત્યારે; બે લાખ પચાસ હજારરૂપિયાનો ભોગ. નીચે પ્રમાણે ચુકવણી કરવાની રહે છે:- ૧) ૫૦ ટકા, તબીબી પરીક્ષા અને તબીબી રીપોર્ટને સમર્થન; (૨) ૫૦ ટકા, જ્યારે ચાર્જશીટ (આરોપનામું),કોર્ટને મોકલવામાં આવે ત્યારે; |
૪૪. | બળાત્કાર અથવા ટોળીએ કરેલ બળાત્કાર. (૧)(ભારતના ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૩૭૫ હેઠળનો) બળાત્કાર. (૨) ટોળીએ કરેલ બળાત્કાર.(ભારતના ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦ના ૪૫મા)ની કલમ ૩૭૬-ઘ | ભોગ બનેલને પાંચ લાખ રૂપિયા. નીચે પ્રમાણે ચુકવણી કરવાની રહે છે:- ૧) ૫૦ ટકા, તબીબી પરીક્ષા અને તબીબી રીપોર્ટને સમર્થન; (૨) ૨૫ ટકા, જ્યારે ચાર્જશીટ (આરોપનામું),કોર્ટને મોકલવામાં આવે ત્યારે. (૩) ૨૫ ટકા નીચલી કોર્ટ કેસ ચલાવવાનો હોય ત્યારે. આઠ અને પચીસ હજાર રૂપિયાનો ભોગ. નીચે પ્રમાણે ચુકવણી કરવાની રહે છે:- ૧) ૫૦ ટકા, તબીબી પરીક્ષા અને તબીબી રીપોર્ટને સમર્થન; (૨) ૨૫ ટકા, જ્યારે ચાર્જશીટ (આરોપનામું),કોર્ટને મોકલવામાં આવે ત્યારે. ૩) ૨૫ ટકા નીચલી કોર્ટ કેસ ચલાવવાનો હોય ત્યારે. |
૪૫. | ખૂન અથવા મૃત્ય. | આઠ લાખ અને પચીસ હજાર રૂપિયાનો ભોગ. નીચે પ્રમાણેની ચૂકવણી કરવાની રહે છે. (૧) ૫૦ ટકા પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પછી; (૨) ૫૦ ટકા જ્યારે ચાર્જશીટ (આરોપનામું), કોર્ટને મોકલવામાં આવે ત્યારે. |
૪૬. | ખૂન, મૃત્યુ, હત્યાકાંડ, બળાત્કાર, ટોળીએ કરેલ બળાત્કાર, કાયમી અસમર્થતા અને ધાડ | ઉપરની બાબતો હેઠળ ચુકવાયેલી રાહત રકમો ઉપરાંત, અત્યાચારની તારીખથી ત્રણ મહિનાની સાથે ગોઠવવામાં આવી હોય તેવી રાહત. (૧) વિધવાને મૂળ પેન્શન અથવા અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિની મહિને પાંચ હજાર રૂપિયાની રકમ સંબંધિત રાજ્યના અથવા સંઘપ્રદેશ રાજ્યના સરકારી કર્મચારીને ગ્રાહય મોંઘવારી ભથ્થાં અને મૃતકના કુટુંબના એક સભ્યને રોજગાર અને કૃષિવિષયક જમીન, મકાન, જો ખરીદીથી બાહય હોય તો; (૨) સરકાર દ્વારા પૂર્ણ ફાળો આપેલી ભોગ બનેલ બાળકોને, સ્નાતક સ્તર સુધિના શિક્ષણનો પૂર્ણ ખર્ચ, બાળકોને આશ્રમ શાળાઓ. (૩) વાસણ, ચોખા, ઘઉં, દાળ, કઠોળ વગેરે ત્રણ માસ સુધી ઉપલબ્ધ કરવા. |
૪૭. | પૂર્ણ વિનાશ પામેલા અથવા બળેલાં ઘરો. | ઇટ અથવા પથ્થરના બનેલા સરકારી ખર્ચે બનેલા જો સળગાવવા અથવા વિનાશ કરવામાં આવ્યા હોય તો સ્રકારી ખર્ચે મકાનો ઉપલબ્ધ કરાવવા. |