યોજનાનું નામ: ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના |
યોજનાનો હેતુ : |
હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન દ્વારા અસ્પૃશ્યતા દુર કરી સામાજીક સમરસતા લાવવાનાં ભાગરૂપે ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં મુકેલ છે. જેમાં રૂ.૧,૦૦,૦૦૦/- પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા રૂ.૧,૫૦,૦૦૦/-ની રકમ ઘર વપરાશના સાધનો ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. |
યોજના શરૂ થયાનું વર્ષ:૧૯૭૪ |
પાત્રતાના માપદંડો: |
- આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યકિત અનુસૂચિત જાતિના અને ગુજરાતના મુળ વતની હોવા જોઇએ.
- આવા લગ્નની નોંધણી કરાવવાની રહેશે અને લગ્ન કર્યા બાદ બે વર્ષની અંદર આ યોજના માટે સહાય મેળવવા અરજી કરવાની રહેશે
- આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પરપ્રાંતની વ્યકિતના મા-બાપ ગુજરાત રાજ્યમાં પાંચ વર્ષથી વસવાટ કરતા હોવા જોઈએ.
- અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યકિત પરપ્રાંતની હોયતો તેણે જે તે પ્રાંત કે રાજ્યમાં તે અસ્પૃશ્ય ગણાતી નથી અને હિંન્દુ ધર્મ પાળે છે તે બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
- વિધુર કે વિધવા જેને બાળકો ન હોય તેવી વ્યક્તિ જો પુન:લગ્ન કરે તો આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર રહેશે.
- કોઇ આવક મર્યાદા નથી.
|
સહાયનું ધોરણ : |
રૂ.૧,૦૦,૦૦૦/- પતિ - પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા રૂ.૧,૫૦,૦૦૦/-ની રકમ ઘર વપરાશના સાધનો ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. |