યોજનાનો હેતુ |
- લગ્ન જેવા સામાજીક પ્રસંગોએ લોકો દ્વારા દેખાદેખી બિનજરુરી ખર્ચ કરવામાં આવતો હોય છે. આવા પ્રસંગે તેઓ દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠે છે. લોકો જો સમુહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યકતિગત લગ્ન પ્રસંગે થતો બિનજરુરી ખર્ચ નિવારી શકાય અને આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમુહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલદીઠ રૂ. ૧૨,૦૦૦/- કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલદીઠ રૂ.૨૦૦૦/- લેખે વધુમાં વધુ રૂ. ૫૦,૦૦૦ ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
- યોજના શરૂ થયાનું વર્ષ: ૧૯૯૮
|
પાત્રતાના માપદંડો |
- આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને(ગુજરાત રાજ્યના મૂળ વતની) જ મળવાપાત્ર છે.
- આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૬,૦૦,૦૦૦/- શહેરી વિસ્તારમાં રૂ. ૬,૦૦,૦૦૦/- છે.
- અનુ.જાતિના કુટુંબની સમુહ લગ્નમાં લગ્ન ગ્રંથીથી જોડાનાર પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગે આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે, પુન:લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નહી.
- આ યોજનાનો લાભ મેળવવા માટે લગ્ન નોંધણી પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે.
- લગ્ન કરનાર ક્ન્યા અને યુવકના ઉંમરના પુરાવા ફરજીયાત રજુ કરવાનું રહેશે.
- લગ્ન કરનાર કન્યાના સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે.
- સમુહ લગ્નનું આયોજન કરનાર સંસ્થાએ લગ્નની તારીખથી બે વર્ષમાં સંબંધિત અધિકારીને અરજી કરવાની રહેશે.
- સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજનાની તમામ શરતો પરીપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર ઠરશે.
|
સહાયનું ધોરણ |
- સમુહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલદીઠ રૂ. ૧૨,૦૦૦/- કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલદીઠ રૂ.૨૦૦૦/- લેખે વધુમાં વધુ રૂ. ૫૦,૦૦૦ ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
|