બીસીકે-પર : વાલ્મિકી, હાડી, નાડિયા, સેનવા, વણકર સાધુ, દલિત બાવા, તૂરીબારોટ, તીરગર/તીરબંદા, થોરી અને માંતગ જેવી સૌથી અતિપછાત જાતિઓને ગૃહનિર્માણ માટે નાણાંકીય સહાય (ડૉ. આંબેડકર આવાસ યોજના) |
યોજનાનો હેતુ |
- અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ₹. ૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.૧,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, બીજો હપ્તો - ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
- યોજના શરૂ થયાનું વર્ષ: ૧૯૯૯
|
પાત્રતાના માપદંડો |
- આ યોજના હેઠળ લાભ મેળવતાં લાભાર્થી ફક્ત અનુ.જાતિના અને ઘરવિહોણા હોવા જોઇએ.
- લાભાર્થી પાસે પોતાની માલીકીનો પ્લોટ અથવા રહેવાલાયક ન હોય તેવું કાચુંગારમાટીનું / ઘાસ પૂળાનું / કુબા ટાઈપનું / જર્જરિત મકાન હોવું જોઇએ.
- અનુસૂચિત જાતિના લાભાર્થી પોતાનું મકાન બનાવવા માટે જે વ્યકિતના નામે હાલ ભોંયતળીયે મકાન હોય તેના પ્રથમ માળ ઉપર તેના પુખ્ત વયના પુત્રો અથવા ભાઈ જમીન / મકાન માલિકની સંમતિથી ઉપરના માળે મકાન બાંધે તો તેને પણ આ યોજના હેઠળ લાભ આપી શકાશે.
- લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
- ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
- શૌચાલય માટે જેમને રૂ.૧૨,૦૦૦/- ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત રૂ.૧,૨૦,૦૦૦/- ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે.
- આ યોજના હેઠળ કોઈ આવકમર્યાદા નથી.
- ગ્રામ્ય વિસ્તારમાં રૂ।.૭,૦૦,૦૦૦/- નો વધુમાં વધુ મકાનમાં ખર્ચ કરી શકાશે.
- શહેરી વિસ્તારમાં રૂ।.૧૦,૦૦,૦૦૦/- વધુમાં વધુ મકાનમાં ખર્ચ કરી શકાશે.
- ડૉ.આંબેડકરઆવાસયોજના હેઠળ લાભ મેળવવા માટે https://esamajkalyan.gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
|
સહાયનું ધોરણ |
- મકાન બાંધવા માટે ₹. ૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે. ₹.૧,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ₹.૪૦,૦૦૦, બીજો હપ્તો- ₹.૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ₹.૨૦,૦૦૦/
|