બીસીકે-૩રએ ડૉ. પી. જી. સોલંકી એમ.એસ. / એમ.ડી.ડૉકટરોને સર્જિકલ નર્સિંગહોમ / દવાખાનું શરૂ કરવા નાણાકીયલોન / સહાય યોજના |
યોજનાનો હેતુ |
- ર્ડા.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતકો (એમ.ડી/એમ.એસ) ને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે રૂ. ૩,૦૦,૦૦૦/- લાખ લોન ૪% દરે અને રૂ.૫૦,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે.
- યોજના શરૂ થયાનું વર્ષ:૧૯૮૨
|
પાત્રતાના માપદંડો |
- કોઇ આવક મર્યાદા નથી.
- સરકાર તરફથી આપવામાં આવેલ માર્જિન મની માટેની લોન સહાય જે હેતુ માટે આપવામાં આવે તે હેતુ માટેજ ઉપયોગ કરવાનો રહેશે. જો કોઈ બીજા હેતુ માટે ઉપયોગ થયાનું માલુમ પડશે તો લોન સહાયની અપાયેલ રકમ ચુકવ્યાની તારીખથી એકી સાથે દંડનીય વ્યાજસહિત વસુલ કરવામાં આવશે અને જરૂર પડ્યે મહેસુલી રાહે પણ વસુલ કરવામાં આવશે
- મંજુર કરેલ લોન અરજદારે બેન્ક અથવા અન્ય નાણાંકીય સંસ્થા પાસેથી લીધેલ લોન તેના પરનો વ્યાજ સહિતના હપ્તા પુરા થાય તે પછી અથવા તો આઠ વર્ષ પછીએ બે માંથી જે વહેલુ હોય ત્યારથી લોન અને ભેગું થયેલુ વ્યાજ સરખા માસીક હપ્તાઓમાં ચાર વર્ષના ગાળામાં વસુલ કરવામાં આવશે.
- લેણી બાકી રકમ નિયત સમય કરતાં વહેલી ભરપાઈ કરવા કરજદારને છુટ રહેશે
- અરજદારને મંજુર કરવામાં આવેલ લોન નિયત સમયથી ભરપાઈ કરવામાં કસુર થશે તો ચડતર હપ્તાઓ સાથે ૨.૫% લેખે દંડનીય વ્યાજ લેવામાં આવશે
- આ યોજનનો લાભ લેનાર અરજદાર સરકારશ્રીની આવી કોઈ સરખા પ્રકારની યોજનાનો લાભ મેળવાપાત્ર રહેશે નહી.
- સ્નાતક કક્ષાના મેડીકલ (એમ.બી.બી.એસ.,બી.એસ.એ.એમ.,બી.એ.એમ.એસ અને બીડીએસ(ડેન્ટલ) ડીગ્રી મેળવેલ અનુસૂચિત જાતિના વિધાર્થી ઓને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટેની લોન/સહાયયોજના હેઠળ લાભલીધેલ હોય તો તેવા અનુસૂચિત જાતિનાઅનુસ્નાતકની પદવી ધરાવતા ડોકટરોને આ યોજના હેઠળ કોઈ લોન/સહાયનો "લાભ મળશે નહી” .
|
સહાયનું ધોરણ |
- : રૂ. ૩,૦૦,૦૦૦/- લાખ લોન ૪% દરે અને રૂ.૫૦,૦૦૦/-ની સહાય
|