શિષ્યવૃતિ મેળવવાની પાત્રતા |
- ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થી.
|
- છેલ્લી પરીક્ષામાં ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણથી ઉતિર્ણ હોવા જોઇએ.
|
- જે તે અભ્યાસમાં હાજરીની સંતોષકારક નિયમિતતા જરૂરી છે.
|
- દિવ્યાંગતા અંગેનું ડોક્ટરી પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
|
દિવ્યાંગ શિષ્યવૃતિ કેટલી મળે ? |
ક્રમ નં | ધોરણ | શિષ્યવૃતિનો વાર્ષિક દર (૧૦ માસ સુધી) | ૧ | ધો. ૧ થી ૮ (ડે.સ્કોલર માટે) | ૧૫૦૦/ | ૨ | ધો.૯ થી ૧૨ અને આઇ. ટી. આઇ સમકક્ષ (ડે સ્કોલર માટેનો દર) | ૨૦૦૦/- | ૩ | ધો. ૯ થી ૧૨ અને આઇ.ટી.આઇ. સમકક્ષ (હોસ્ટેલર માટેનો દર) | ૨૫૦૦/- | ૪ | બી.એ., બી.એસ.સી., બી.કોમ., અને સમકક્ષ ડીગ્રી અભ્યાસક્રમ (ડે સ્કોલર માટેનો દર) | ૩૦૦૦/- | ૫ | બી.એ., બી.એસ.સી., બી.કોમ., અને સમકક્ષ ડીગ્રી અભ્યાસક્રમ (હોસ્ટેલર માટેનો દર) | ૩૭૫૦/- | ૬ | બી.એડ, બી.ઇ., બી.ટેક, એલ.એલ.બી., બી.સી.એ., એમ.બી.બી.એસ. અને સમકક્ષ અભ્યાસક્રમો તેમજ ડિપ્લોમા ઇન. પ્રોફેશનલ એન્ડ એન્જીનીયરીંગ સ્ટડી ઇન પ્લાન્ટ ટ્રેનીંગ અને તેને સમકક્ષ (ડે સ્કોલર માટેનો દર) | ૩૫૦૦/- | ૭ | બી.એડ, બી.ઇ., બી.ટેક, એલ.એલ.બી., બી.સી.એ., એમ.બી.બી.એસ. અને સમકક્ષ અભ્યાસક્રમો તેમજ ડિપ્લોમા ઇન. પ્રોફેશનલ એન્ડ એન્જીનીયરીંગ સ્ટડી ઇન પ્લાન્ટ ટ્રેનીંગ અને તેને સમકક્ષ (હોસ્ટેલર માટેનો દર) | ૪૫૦૦/- | ૮ | એમ.એસ.સી., એમ.ફીલ., એલ.એલ.એમ., એમ.એડ (ડે સ્કોલર માટેનો દર) | ૩૫૦૦/- | ૯ | એમ.એસ.સી., એમ.ફીલ., એલ.એલ.એમ., એમ.એડ (હોસ્ટેલર માટેનો દર) | ૪૫૦૦/- | ૧૦ | અંધ વ્યક્તિઓ માટે રીડર એલાઉન્સ રૂ. (ધો.૮ સિવાયના ઉપર દર્શાવેલ અન્ય તમામ અભ્યાસક્ર્મો માટે) | ૧૫૦૦/- | |
|
આ યોજનાના અરજી પત્રક: |
- દિવ્યાંગ શિષ્યવૃતિ જે તે પ્રાથમિકશાળા,હાઇસ્કૂલ તથા કોલેજના આચાર્યશ્રી/વિદ્યાર્થી દ્વારા ઓનલાઇનhttps://www.digitalgujarat.gov.in/ સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષાની કચેરીને મોકલવામાં આવે છે.
|
દિવ્યાંગ શિષ્યવૃતિ ક્યારે મળવાપાત્ર થતી નથી ? |
- દિવ્યાંગ વિદ્યાર્થી શાળા/ કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાં અનિયમિત હોય.
|
|
- રાજ્ય સરકારશ્રીની કે અન્ય જગ્યાએથી શિષ્યવૃતિ મેળવતા હોય તો.
|
- ૪૦ ટકાથી ઓછી દિવ્યાંગતા તથા ૪૦ ટકાથી ઓછા ગુણ હોય તો.
|
દિવ્યાંગ શિષ્યવૃતિ મંજુર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની છે. |