અસ્થિવિષયક દિવ્યાંગો માટે ટુ-વ્હીલર ખરીદવા માટેની સહાય યોજના: |
સહાય મેળવવાની પાત્રતા ? |
- ૧૮ થી ૫૦ વર્ષ સુધીની ઉંમર ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને.
|
- દિવ્યાંગતાની ટકાવારી ૪૦ ટકા કે તેથી વધુ તથા લાભાર્થીનું નામ બી.પી.એલ યાદીમાં ૦ થી ૨૦ નો સ્કોર ધરાવતા હોવા જોઇએ.S.E.C.C-2011 (સામાજિક, આર્થિક જાતિ આધારીત વસ્તી ગણતરી-૨૦૧૧) અન્વયે વંચિતતા ધરાવતા તથા યાદીમાં સમાવિષ્ટ દિવ્યાંગોને ખાસ અગ્રતા આપવામાં આવશે.)
|
- આ યોજનામાં ફક્ત અસ્થિ વિષયક દિવ્યાંગ સ્ત્રી અને પુરુષ બંન્નેને લાભ મળવાપાત્ર થશે.
|
- આ યોજનામાં લાભાર્થી દ્રારા તેઓએ મેળવેલ ઇલેક્ટ્રીક સ્કુટર જો કંડમ થઈ ગયેલ હોય તો પાંચ વર્ષ બાદ જો અન્ય રીતે યોજનાનો લાભ મેળવવા પાત્ર ઠરતા હશે તો યોજનાનો લાભ પુન: મેળવવા અરજી કરી શકશે.
|
- આ યોજના હેઠળ લાભ મેળવેલ દિવ્યાંગ વ્યક્તિને ત્યારબાદ દિવ્યાંગ સાધન સહાય સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.
|
- દિવ્યાંગ વ્યક્તિ સમાજ સુરક્ષા ખાતા દ્રારા આપવામાં આવેલ દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતો હોવો જોઇએ.
|
લાભ શું મળે ? |
- આ યોજના હેઠળ ઇલેક્ટ્રીક સ્કુટરની બેઝિક કિંમત + ડિસેબલ કીટના ૫૦ ટકા અથવા રુ. ૨૫૦૦૦/- ની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે.
|
આ યોજનામાં અરજી પત્રક |
- આ યોજના હેઠળ જાહેરાત પ્રસિધ્ધ કરી અરજી મેળવવામાં આવશે.
|
- આવેલ અરજીમાંથી કોમ્યુટર ડ્રો મારફતે લાભાર્થીની પસંદગી કરવામાં આવશે.
|
- જિલ્લા કક્ષાએ જે અરજીઓ મળેલ હોય તે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્રારા ચકાસણી કરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્રારા લાભાર્થીને લાભ આપવાનો રહેશે.
|
- ઇલેક્ટ્રીક સ્કુટરની ખરીદી રાજ્ય કક્ષાએથી જેડા મારફત નક્કી થયેલ એજન્સી અને જેડાએ નક્કી કરેલ કિમંત પ્રમાણે કરવાની રહેશે.
|
- આ યોજનાની ચુકવણી જે તે ડિલરને નિયામકશ્રી કચેરીથી કરવાની રહેશે.
|