સમાજ સુરક્ષા ખાતુ મુખ્યત્વે સમાજના નબળા વર્ગો જેવા કે, અનાથ, નિરાધાર, ગુન્હાવૃત્તિ તરફ વળેલા બાળક તેમજ યુવાન ગુન્હેગારો તથા સંજોગોની ભોગ બનેલ મહિલાઓ તથા બાળાઓ, શારીરિક, માનસિક ક્ષતિવાળા બાળકો અને પુખ્તવયની વ્યક્તિઓ તથા વૃધ્ધો અને અશક્તો, નિરાધાર વિધવાઓ અને ભિક્ષુકોના કલ્યાણ તેમજ પુનઃવસવાટ ના કાર્ય ઘ્વારા તેઓને સામાજીક અધિકારીતાની પ્રાપ્તિ કરાવે છે. સરકારી - સ્વૈચ્છિક સંસ્થાઓમાં વ્યક્તિઓને આશ્રય આપવામાં આવે છે. જેમાં તેઓને ખોરાક, કપડાં, વૈદકીય સારવાર, શૈક્ષણિક, ઔઘોગિક તાલીમ અને પુનઃવસવાટ અંગેની સેવાઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. સમાજ સુરક્ષાના આ ઉદેશો પાર પાડવા માટે રાજ્ય સરકાર તરફથી સમાજ સુરક્ષા ખાતા મારફતે જુદા જુદા સામાજિક અધિનિયમોનો અમલ કરવામાં આવે છે. |