યોજનાની શરૂઆત |
|
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃઅપગ/૧૦ર૦૦૦/ન.બા.૪/છ, તા.૨૨-૯-ર૦૦૦ના ઠરાવથી તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને આર્થિક સહાય આપવા માટે સંત સુરદાસ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. |
|
યોજનાનો હેતુ |
|
તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પુરી પાડી તેમનું સામાજિક પુનઃ સ્થાપન થાય તે હેતુથી આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે |
|
આ યોજના હેઠળ હાલમાં સહાય મેળવવાની પાત્રતા |
|
- ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિ
- ૦ થી ૧૭ વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિને લાભ મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ગરીબી રેખા હેઠળ જીવતા ગુજરાતની દિવ્યાંગ વ્યક્તિઓને મળવાપાત્ર છે. (ગ્રામ્ય વિસ્તાર માટે ભારત સરકારની મિનીસ્ટ્રી ઓફ રૂરલ ડેવલેપમેન્ટ તેમજ શહેરી વિસ્તાર માટે ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ અર્બન હાઉસીંગ એન્ડ પોવર્ટી એલીવેશન તરફથી જે બી.પી.એલ(ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની યાદી) યાદી બનાવવામાં આવેલ છે તેમા સમાવિષ્ટ દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
|
|
આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય |
|
આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. ૬૦૦/- સહાય મળવાપાત્ર છે. |
|
આ યોજનાનાં અરજી પત્રક |
|
- આ યોજના હેઠળ https://esamajkalyan.gujarat.gov.in/ પોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વિકારવામાં આવે છે.
- આવેલ અરજીની ઓનલાઇન ચકાસણી કરી સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીને છે.
|
|
સહાય કેવી રીતે આપવામાં આવે છે. |
|
આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. ૬૦૦/- સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં DBT (ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર) મારફતે રાજય કક્ષાએથી જમા કરવામાં આવે છે. |