લાભ મેળવવાની પાત્રતા? |
- ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ.
|
- ૦ થી ૧૭ વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિને લાભ મળવા પાત્ર છે.
|
- આ યોજનાનો લાભ ગરીબીરેખા હેઠળ જીવતા ગુજરાતની દિવ્યાંગ વ્યક્તિને મળવા પાત્ર છે (ગ્રામ્ય વિસ્તાર માટે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ તેમજ શેહરી વિસ્તાર માટે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ એન્ડ પોવર્ટી એલીવેશન તરફથી જે બી.પી.એલ.(ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની યાદી) બનાવામાં આવેલ છે તેમાં ૦ થી ૨૦ સ્કોરમાં સમાવિષ્ટ દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
|
લાભ શું મળે ? |
- આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. ૧૦૦૦/- સહાય મળવા પાત્ર છે.
|
- અરજદારને સહાય પોસ્ટ /બેંક ખાતા ડી.બી .ટી. મારફત ચૂકવવામાં આવે છે.
|
આ યોજનાના અરજી પત્રક: |
- આ યોજના હેઠળ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે તેમજ આ યોજનનો લાભ ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપરથી ડીજીટલ સેવા સેતુ અંતર્ગત ઇ-ગ્રામ કેન્દ્રો " મારફતે માત્ર એક જ દિવસમાં અપાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
|
- ઓનલાઇન અરજીઓની ચકાસણી કરી મંજુર કરવાની સત્તા સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની છે.
|