સહાય મેળવવાની પાત્રતા: |
- ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ.
|
- ૧૮ થી ૭૯ વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિને લાભ મળવા પાત્ર છે.
|
- આ યોજનાનો લાભ ગરીબી રેખા હેઠળ જીવતા ગુજરાતની દિવ્યાંગ વ્યક્તિઓને મળવા પાત્ર છે (ગ્રામ્ય વિસ્તાર માટે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ તેમજ શેહરી વિસ્તાર માટે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ એન્ડ પોવર્ટી એલીવેશન તરફથી જે બી.પી.એલ. (ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની યાદી) બનાવવામાં આવેલ છે તેમાં ૦ થી ૨૦ ના સ્કોરમાં સમાવિષ્ટ દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
|
આ યોજના હેઠળ લાભ: |
- આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ.૧૦૦૦/- સહાય મળવા પાત્ર છે.જેમાં રૂ.૭૦૦/- રાજ્ય સરકાર દ્વારા અને રૂ.૩૦૦/- કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે.
|
- અરજદારને સહાય પોસ્ટ /બેંક ખાતા ડી.બી.ટી. મારફત રાજ્ય કક્ષાએથી સીધા જ લાભાર્થીના ખાતામાં ચૂકવવામાં આવે છે.
|
આ યોજનામાં અરજી પત્રક: |
- આ યોજના હેઠળ અરજદારે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએ નિયત કરેલ નમુનામાં જરૂરી આધાર સાથે અરજી કરવાની રહેશે તેમજ આ યોજનાનો લાભ ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપરથી ડીજીટલ સેવા સેતુ અંતર્ગત "ઇ-ગ્રામ કેન્દ્રો” મારફતે માત્ર એક જ દિવસમાં અપાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
|
સહાય ક્યારે બંધ થાય? |
- અરજદારની ઉમર ૭૯ વર્ષની થતાં.
|
આધાર પુરાવા: |
- દિવ્યાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ.
|
|
- દિવ્યાંગ વ્યક્તિનું નામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ હોય તેનો દાખલો (૦ થી ૨૦ સ્કોર).
|
- આધારકાર્ડની નકલ અને બેન્ક એકાઉન્ટની માહિતી.
|