- ગુજરાત રાજ્યમાં બાળ ગુનેગારીનું પ્રમાણ ધટાડવા માટે ધારાકિય યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જે મુજબ બાળ ન્યાય ધારો-ર૦૦૦ ગુજરાત રાજ્યમાં અમલમાં છે.
- આ ધારા હેઠળ ૧૮ વર્ષ સુધીના બાળકો અને બાળાઓ કે જેઓ ઉપેક્ષિત, રખડતા, અનાથ-નિરાધાર અને ભિક્ષાવૃત્તિ તરફ વળેલ હોય તેઓને ચાઇલ્ડ વેલફેર કમીટી દ્વારા જયારે ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળેલા બાળકોને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ દ્વારા દરેક જિલ્લામાં આ ધારા હેઠળ સ્થપાયેલ ૧૦૭ ચિલ્ડ્રન હોમ તથા ર૬ બાળ સંરક્ષણ ગૃહોમાં દાખલ કરી તેઓના રક્ષણ, સારવાર અને જરૂરિયાતને ધ્યાનમાં લઇ પુનઃસ્થાપન અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
|