વિકલાંગ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ધારો-૧૯૯પ અમલ ૧લી જાન્યુઆરી, ૧૯૯૬થી |
હેતુ :- |
- વિકલાંગો (દ્રષ્ટિહીન, શ્રવણમંદ, અસ્થિવિષયક, માનસિકક્ષતિ) વ્યક્તિઓને સમાજમાં પુનઃવસવાટ અને સમાજમાં સ્વમાનભેર સ્વતંત્ર જીવન જીવે તે માટેની યોજના અંગે તેમાં વિકલાંગ વ્યકિતને સમાનતકો, માનવ અધિકારોનું રક્ષણ મળે અને પૂર્ણ ભાગીદારી પ્રાપ્ત થાય.
- વિકલાંગ ધારો ૧૯૯પનો અમલ થાય તે માટે ચીફ કમિશનરશ્રીની નિમણૂંક ભારત સરકારે કરેલ છે. જયારે રાજ્ય કક્ષાએ આ ધારાના અમલ માટે એક સ્વતંત્ર કમિશનરેટની સ્થાપના કરી કમિશનરની નિમણૂંક કરેલ છે અને તેમને આ ધારાના અમલ માટે કામગીરી સોંપવામાં આવેલ છે.
|
વિકલાંગ ધારો ૧૯૯પ હેઠળ નીચે મુજબની સુવિધા આપવાની યોજના છે |
- વિકલાંગતાનું સમયસર નિદાન અને નિવારણ.
- વિકલાંગ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ.
- વિકલાંગ બાળકોને યોગ્યતા મુજબ સંસ્થાકીય રેહણાક સાથે શિક્ષણ આપવું.
- વિકલાંગ વ્યક્તિઓને યોગ્યતા મુજબ "રોજગારી''
- સરકારી નોકરી તેમજ દરેક એકમોમાં ખાલી પડેલ જગ્યામાં ૩ ટકા ભરતી કરવી.
- માર્ગ પરિવહનમાં યોગ્યતા મુજબ જરૂરી સુવિધા પુરી પાડવી.
- વિકલાંગ વ્યક્તિને જરૂરીયાત મુજબ બાંધકામ તેમજ અવર-જવર માટેની સગવડતા.
- વિકલાંગ વ્યક્તિઓ માટે સંસ્થાઓની માન્યતા આપવી.
- સંશોધન અને માનવશક્તિ વિકાસ યોજનાઓ.
- વિકલાંગ વ્યક્તિઓ માટે સામાજિક સુરક્ષા-સલામતીની સુવિધા.
- વિકલાંગક્ષેત્રે કામ કરવા માટે કલમ-પર હેઠળ નોધણી પ્રમાણપત્ર મેળવવું જરુરી છે.
|
વિકલાંગ/વ્યક્તિઓના સમાન હક્કોના રક્ષણ આપવા અંગેનો ધારો-૧૯૯૫ અન્વયે વિકલાંગના કલ્યાણક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓની નોંધણી(રજીસ્ટ્રેશન) મેળવવાની અરજી મેળવી રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર આપવામાં આવે છે. |