- રાજ્યકક્ષા તથા જિલ્લા કક્ષાની ખાતાની તમામ કચેરીનો સમય ૧૦.૩૦ થી ૧૮.૧૦ સુધીનો છે.
- નાગરિકોની રજૂઆતને સ્થળ પર સ્વીકારીને પહોંચ આપવામાં આવશે.
- દરેક લેખિત રજૂઆતનો દિન-૧૦ માં પ્રત્યુત્તર આપવામાં આવશે. જેમાં પ્રશ્નોના નિકાલ અંગેનો તબક્કો અને સમયમર્યાદાની પણ જાણ કરવામાં આવશે.
- ખાતાની વિવિધ યોજનાઓની કરેલી અરજીઓના નિકાલની સમય-મર્યાદા અંકિત કરવામાં આવેલી છે.
- નિયત સમય-મર્યાદામાં જો રજૂઆતનો પ્રત્યુત્તર ન મળે તો જિલ્લા કક્ષાએ શહેરી વિસ્તાર માટે જિલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારી અને ગ્રામ્ય વિસ્તાર માટે સમાજ કલ્યાણ અધિકારી (પંચાયત) નો સંપર્ક કરવો.
- નાગરિક જયારે વ્યક્તિગત રીતે કચેરીનો સંપર્ક કરશે ત્યારે તેને કાનૂની જોગવાઇ તથા જુદા-જુદા નિયમોના તબકકા અંગે માહિતી આપવામાં આવશે.
- ખાતાને લગતી તમામ યોજનાઓની માહિતી અને અરજીપત્ર જિલ્લા મથકે જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ અધિકારી (પંચાયત), તકેદારી અધિકારી અને હાઉસ માસ્ટર દ્રારા આપી શકાશે.
- તાલુકા કક્ષાએ સમાજ કલ્યાણ નિરીક્ષકો પાસેથી ખાતાને લગતી તમામ માહિતી અને અરજીફોર્મ મળી શકશે તેમજ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે
- પત્રવ્યવહારની ભાષા સરળ અને સૌજન્યપૂર્ણ હશે.
- વહીવટી તંત્રમાં સુધારા અંગેનાં સૂચનો તેમજ કર્મચારીઓના વલણ અંગેની ફરિયાદો ઉપર ત્વરિત ધ્યાન અપાશે.
- રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ તમામ જવાબદાર અધિકારીઓની નો નામની તકતી રાખવામાં આવી છે.
- કચેરીમાં આવતા તમામ અરજદારોને જે તે અધિકારી સાથે નકકી કરેલા દિવસોએ મુલાકાતનો અધિકાર રહે છે.
- ખાતાની વિવિધ યોજનાઓનાં અરજીફોર્મ વિના મૂલ્યે આપવામાં આવે છે તે પ્રકારનું લખાણ કચેરીના નોટિસ બોર્ડ પર દર્શાવવામાં આવશે.
- કોઇ પણ નાગરિક, મહાનુભાવ, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા મંડળોના પ્રતિનિધિઓની રજૂઆતને ખાતાના વડા સન્માનપૂર્વક સાંભળશે
|