માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ બાબતના અધિનિયમ-૨૦૦૭ નો અમલ ગુજરાત રાજ્ય માં મુકવામાં આવેલ છે. આ અધિનિયમ ના અમલ માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત માતા પિતા અને વરિષ્ઠ નાગરિકો ના ભરણપોષણ અને કલ્યાણ બાબતના નિયમો-૨૦૦૯ ઘડવામાં આવેલ છે.આ નિયમોના ટ્રિબ્યુનલની રચના, તપાસના કિસ્સામાં સંક્ષિપ્ત કાર્યપદ્ધતિ અને ટ્રિબ્યુનલની સત્તા અને હકુમત, ભરણપોષણ ભથ્થા માટેનો હુકમ તેમજ અપીલ ટ્રિબ્યુનલની રચનાનો સમાવેશ કરવામાં આવેલ છે. |