બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ |
ગુજરાત રાજ્યમાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારી તરીકે હાલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીઓ ફરજો બજાવે છે. |
- બાળલગ્ન પ્રતિબંધક ધારાનો અમલ ગુજરાત રાજ્યમાં ૧૯૬૪થી કરવામાં આવે છે.
- બાળલગ્ન પ્રતિબંધક ધારાની જોગવાઇઓ મુજબ ૧૮ વર્ષથી ઓછી ઉંમરની બાળા અને ર૧ વર્ષથી ઓછી ઉંમરનો યુવક ના લગ્ન તે બાળલગ્ન ગણાય છે અને ગુન્હાને પાત્ર છે.
|
આ ધારા હેઠળ કોણ સજા/દંડને પાત્ર થાય છે. |
- બાળાના વાલી/માબાપ
- યુવકના વાલી/માબાપ
- લગ્ન કરનાર ગોર મહારાજ (લગ્નની વિધિ કરાવનાર બ્રાહ્મણ)
- બાળા કે યુવકની માતા (સ્ત્રી)ને સજામાંથી મુકત ગણવામાં આવે છે. પરંતુ દંડને પાત્ર બને છે.
- લગ્ન કરાવનાર ઉપર મુજબની વ્યક્તિઓને વધુમાં વધુ ૩ માસની સજા તથા રૂા. ૧૦૦૦ સુધીનો દંડ થઇ શકે છે.
|
અરજી કોને કરવી ? |
- બાળલગ્ન પ્રતિબંધક અધિકારીસહજિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને.
- નજીકના પોલીસ સ્ટેશનને અરજી કરવી.
- બાળલગ્ન થયેથી એક વર્ષની અંદર જરૂરી તપાસ કરી કોર્ટમા કેસ કરી શકાય છે.
- બાળલગ્ન થયેથી એક વર્ષની અંદર બાળલગ્ન પ્રતિબંધક અધિકારી તેમજ પોલીસ અધિકારીશ્રીને લેખિત જાણ કરવાથી કાર્યવાહી કરવામાં આવે છે.
- અરજી કરનારની અરજીને ખાનગી રાખવામાં આવે છે.
|
બાળલગ્ન પ્રતિબંધક અધનિયમ૧૯ર૯ની કલમ ૧૩(૪) હેઠળ બીન સરકારી સભ્યોની સલાહકાર સમિતિની રચના કરવામાં આવે છે. |