રિહેબિલિટેશન કાઉન્સીલ ઓફ ઈન્ડીયા(ભાતીય પુનઃવૅસન સંસ્થાન)(આર.સી.આઈ.) સંસદે પસાર કરેલ ધી આર સી આઈ એક્ટ ૧૯૯૨ના કાયદાથી આસીએની રચના કરવામાં હાલ જેનો અમલ જુલાઈ૧૯૯૩ થી શરૂ થયો છે. આરસીઆઈ ની રચનાનો મુખ્ય ઉદેશ વિવિધ પુનર્વસન વ્યવસાયિકોને તાલીમના અભ્યાસ કામોનું ધોરણીકરણ કરવાનો છે. તેને વ્યવસાયિકની નોંધણી કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. જેથી માત્ર લાયકાત ધરાવતા અને નોંધાયેલા વ્યવસાયિકો જ વિકલાંગોને સેવા આપી શકે.
વિકલાંગ વ્યક્તિઓ જે સમુદાયમાંથી આવતી હોય, તેમાં અથવા તેના જેવા જ તેના તદન નજદીકના હોય, તેવા સમુદાયમાં સ્વતંત્ર રીતે અને સંપૂણભ્ રીતે રહી શકે તે માટે તેમને શક્તિમાન બનાવવા અને તેઓમાં અધિકાર સિચન કરવું.
વિકલાંગ વ્યક્તિઓ તેમના પોતાના જ કુટુંબમાં રહી શકે તે માટે તેમને ટેકો પૂરિ પાડવાની સુવિધાઓ સક્ષમ બનાવવી.
વિકલાંગ વ્યક્તિઓના કુટુંબમાં તેની તીવ્ર મુશ્કેલીઓના સમય દરમ્યાન જરૂરીયાત આધારે સેવાઓ પુરી પાડવા નોંધાયેલા સંગઠનો સુધી ટેકાને વિસ્તારવો.
કુટુંબનો ટેકો ન હોય, તેવા વિકલાંગ વ્યક્તિઓની સમસ્યાઓ હલ કરવી.
વિકલાંગ વ્યક્તિઓની તેમના માતાપિતા અથવા વાલીનું મૃત્યુ થતાં તેમની સંભાળ અને રક્ષણનાં પગલાંઓને પ્નોત્સાહન આપવું.
આવા રક્ષણની જરૂર હોય તેવી વિકલાંગ વ્યક્તિઓ માટે વાલીઓ અને ટ્રસ્ટીઓની નિમણુંક કરવાનો કાર્યવિધિ વિકસાવવો.
વિકલાંગ વ્યક્તિઓની સમાન તકો અધિકારીનું રક્ષણ અને સપૂર્ણ સહભાગીદારી સિધ્ધ થાય તે માટે સુવિધાઓ પૂરી પડવી. અને ઉપરોક્ત ઉદેશ પાર પાડવા જે કઇ અનુષંગિક જરૂરી હોય તે કરવું. |