- રાજ્યના મોટા શહેરોમાં મહાનગરપાલિકાની હદમાં રાજ્ય સરકાર દ્વારા ભિક્ષુકોના પુનઃસ્થાપન માટે ભિક્ષા પ્રતિબંધ ધારા-૧૯પ૯નો અમલ કરવા સંસ્થાઓ કાર્યરત છે.
- ભિક્ષાવૃત્તિનો ગુન્હો સાબિત થયેથી ભિક્ષુક એક વર્ષથી ત્રણ વર્ષની સજાને પાત્ર બને છે. જેને સરકારશ્રીના ભિક્ષુક ગૃહમાં અટકાયતી તરીકે આશ્રય આપવામાં આવે છે.
- આ સંસ્થામાં દાખલ થતા ભિક્ષુકોને ખોરાક, કપડાં, તબીબી સારવાર, બીસ્તર, શિક્ષણ, તાલીમ મફત આપવામાં આવે છે અને તેમના પરિવારનો શકય હોય ત્યાં સંપર્ક કરી કુટુંબમાં પણ પુનઃસ્થાપિત કરવામાં આવે છે. મુંબઇ
- ભિક્ષા પ્રતિબંધક ધારો-૧૯પ૯ની કલમ-૧૪ હેઠળ દરેક ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર અને ભિક્ષુક ગૃહમાં મુલાકાત સમિતિઓની રચના કરવામાં આવે છે.
- આ સંસ્થાઓનો મુખ્ય ઊદેશ યોગ્ય વ્યાવસાયિક તાલીમ ઘ્વારા ભિક્ષુકોને આર્થિક રીતે પગભેર કરવાનો છે.
- રાજ્યમાં આ કાયદા હેઠળ નીચે જણાવ્યા પ્રમાણેની સંસ્થાઓ કાર્યરત છે.
|