નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજ્ય
સરકારની યોજના)
(એ) કોને લાભ મળી શકે?
આ યોજના હેઠળ ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમરના આવક મર્યાદા ધરાવતા લાભાર્થીઓને
સુધીની વયનાં લાભાર્થીને (અ) માં દર્શાવેલ પાત્રતા ધરાવતા અથવા ગરીબી રેખા નીચે સમાવેશ
થતા (બ)માં દર્શાવેલ પાત્રતા ધરાવતા હોવા જોઈએ.
(અ) આવક મર્યાદા ધરાવતા અરજદારો માટે પાત્રતાનાં ધોરણો :
·આ
યોજના હેઠળ ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં વૃદ્ધ.
·દિવ્યાંગ
વ્યક્તિનાં કિસ્સામાં ૭૫% થી વધારે દિવ્યાંગતા હોય તથા ૪૫ કે તેથી વધુ ઉંમરની
વયમર્યાદા.
·૨૧ કે
તેથી વધુ વર્ષનો પુત્ર કે પૌત્ર ના હોવો જોઈએ અને જો હયાત હોય અને તે માનસિક
અસ્થિર અથવા દિવ્યાંગતા ધરાવતો હોય અને કમાવવાને અશક્તિમાન હોય અથવા કેન્સર,ટી.બી. જેવી
ગંભીર માંદગીથી પીડાતા હોયતો અરજી કરી શકાય છે.
·અરજદાર
કે જેઓ ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોય.
·અરજદારની
વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર રૂ.૧,૨૦,૦૦૦/-
અને શહેરી વિસ્તાર રૂ. ૧,૫૦,૦૦૦/-
થી વધુ ન હોવી જોઈએ.
અથવા
(બ) ગરીબી રેખા નીચે (B.P.L.) સમાવિષ્ટ થતાં અરજદારો માટે
પાત્રતાના ધોરણો :
·આ
યોજના હેઠળ ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા
·ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે ગરીબી રેખા હેઠળB.P.Lયાદીમાં
૦ થી ૨૦ નાં સ્કોરમાં સમાવેશ થયેલ હોવા જોઈએ.
·શહેરી વિસ્તારના અરજદારો માટે કેંન્દ્ર સરકારના અર્બન
હાઉસિંગ&પોર્વટી
એલીવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમોના સંદર્ભમા તૈયાર કરવામાં આવતીB.P.Lયાદીમા
સમાવિષ્ઠ હોવા જોઇએ.
(બી) અરજી આપવાનું સ્થળ
·સબંધિત
જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય. https://www.digitalgujarat.gov.in/
(સી) અરજીપત્રક
સાથે જોડવાના દસ્તાવેજો
(અ) આવક
મર્યાદા ધરાવતા અરજદારો માટે જોડવાના દસ્તાવેજો
·ઉંમરનું
પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.
·આવકનો દાખલો.
·દિવ્યાંગતાના
કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
·૨૧ વર્ષ
થી મોટી ઉમરનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર.
·આધાર કાર્ડ
·બેન્ક/પોસ્ટ
ઓફીસ એકાઉન્ટ
·રેશનકાર્ડ
(બ) ગરીબી રેખા
નીચે (B.P.L.) સમાવિષ્ટ થતાં અરજદારો માટે જોડવાના
દસ્તાવેજો
·ઉંમરનું
પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.
·ગ્રામ્ય
વિસ્તારના અરજદારો માટે ગરીબી રેખા હેઠળB.P.Lયાદીમાં ૦ થી ૨૦ નાં સ્કોરમાં સમાવેશ
થયા અંગેનું પ્રમાણપત્ર.
·શહેરી વિસ્તારના અરજદારો માટે કેંન્દ્ર સરકારના અર્બન
હાઉસિંગ&પોર્વટી
એલીવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમોના સંદર્ભમા તૈયાર કરવામાં આવતીB.P.Lયાદીમા
સમાવેશ થયા અંગેનું પ્રમાણપત્ર.
·આધાર કાર્ડ
·બેન્ક/પોસ્ટ
ઓફીસ એકાઉન્ટ
·રેશનકાર્ડ
(ડી) યોજના
હેઠળ મળવાપાત્ર લાભ
·૬૦ થી ૭૯
વર્ષ સુધીના લાભાર્થીને રૂ. ૧૦૦૦/- અને ૮૦ વર્ષ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/-
ની માસિક સહાય ચૂકવવામાં આવે છે.
(ઇ) સહાયની
ચુકવણી
·ડી.બી.ટી
દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.
(એફ) અરજી
પત્રક ક્યાંથી મળશે.
·જિલ્લા
કલેકટર કચેરી.
·મામલતદાર
કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
·ગ્રામ્ય
કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે.
·નીચે
દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે. https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
·મંજુર/નામંજુર
કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.
(જી) યોજનાનું
અમલીકરણ
·સબંધીત
મામલતદાર કચેરી.
(એચ) અરજી
ના-મંજુર થતા અપીલ અરજી અંગે
·નામંજુર
કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ
છે.
(આઇ) સહાય
ક્યારે બંધ થાય ?
·લાભાર્થીઓનું
અવસાન થતા અરજદારના વારસદારોએ મામલતદાર કચેરીને જાણ કરી અરજદારની સહાય
બંધ કરાવવાની રહેશે.
·નિયત આવક મર્યાદા કરતા આવક વધી જાય ત્યારે/ગરીબી
રેખા નીચે સમાવિષ્ટ થતા પરિવારનો સ્કોર ૨૦ કરતા વધારે અપડેટ થાય ત્યારે લાભાર્થીએ
મામલતદાર કચેરીને જાણ કરી સહાય બંધ કરાવવાની રહેશે.