| ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના | 
  |  | 
  | (એ) કોને લાભ મળી શકે? | 
  |  ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્વ.ગરીબી રેખાની યાદીમાં 0 થી ૨૦ સ્કોરમાં નામ નોધાયેલ કુટુંબનો સભ્ય | 
  | (બી) અરજી આપવાનું સ્થળ | 
  |  સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય. https://www.digitalgujarat.gov.in/  | 
  | (સી) અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો | 
  |  ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.                          ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર. | 
  | (ડી) યોજના હેઠળ મળવાપાત્ર લાભ | 
  |                          ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ.  રૂ. ૧૦૦૦/- તથા
૮૦ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/-  માસિક સહાય ચુકવવામાં આવે છે. | 
  | (ઇ) સહાયની ચુકવણી | 
  |  ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે. | 
  | (એફ) અરજી પત્રક ક્યાંથી મળશે. | 
  |  જિલ્લા કલેકટર કચેરી.મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે. નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.  https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspxમંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે. | 
  | (જી) યોજનાનું અમલીકરણ | 
  |  | 
  | (એચ) અરજી ના-મંજુર થતા અપીલ અરજી અંગે | 
  |  નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે. | 
  | (આઇ) સહાય ક્યારે બંધ થાય ? | 
  |  લાભાર્થીનું નામ  ૦ થી ૨૦ ની બી.પી.એલ યાદીમાંથી દુર થતાં લાભાર્થીઓનું અવસાન થવાથી |