રાજ્યના મોટા શહેરામાં મહાનગરપાલિકાની હદમાં રાજ્ય સરકાર દ્વારા ભિક્ષુકોના પુનઃસ્થાપન માટે ભિક્ષા પ્રતિબંધ ધારા ૧૯પ૯નો અમલ કરવા સંસ્થાઓ કાર્યરત છે.
ભિક્ષાવૃત્તિનો ગુન્હો સાબિત થયેથી ભિક્ષુક એક વર્ષથી ત્રણ વર્ષની સજાને પાત્ર બને છે. જેને સરકારશ્રીના ભિક્ષુક ગૃહમાં અટકાયતી તરીકે આશ્રય આપવામાં આવે છે.
આ સંસ્થામાં દાખલ થતા ભિક્ષુકોને ખોરાક, કપડાં, તબીબી સારવાર, બીસ્તર, શિક્ષણ, તાલીમ મફત આપવામાં આવે છે અને તેમના પરિવારનો શકય હોય ત્યાં સંપર્ક કરી કુટુંબમાં પણ પુનઃસ્થાપિત કરવામાં આવે છે. મુંબઇ ભિક્ષા પ્રતિબંધક ધારો ૧૯પ૯ની કલમ૧૪ હેઠળ દરેક ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર અને ભિક્ષુક ગૃહમાં મુલાકાત સમિતિઓની રચના કરવામાં આવે છે.
આ સંસ્થાઓનો મુખ્ય ઊદેશ યોગ્ય વ્યાવસાયિક તાલીમ ઘ્વારા ભિક્ષુકોને આર્થિક રીતે પગભેર કરવાનો છે.
રાજ્યમાં આ કાયદા હેઠળ નીચે જણાવ્યા પ્રમાણેની સંસ્થાઓ કાર્યરત છે. |