ગુજરાત સરકાર ધ્વારા પૂજ્ય ઠકકરબાપા સફાઈ કામદાર પુન: સ્થાપન યોજના હેઠળ રાજ્ય ના સંગઠીત અને અસંગઠીત ક્ષેત ના સફાઈ કામદારો માટે વ્યક્તિગત રૂ. ૧.૦૦ લાખના અકસ્માત વીમા કવચ ની યોજના અમલ માં છે. તા. ૦૧/૦૪/૨૦૦૮ થી નાણાં વિભાગ ધ્વારા સમગ્ર રાજ્ય માં એક સમાન ધોરણે વીમા કવચ ની યોજના નો અમલ કરેલ છે.
આ યોજના હેઠળ જો સફાઈ કામદાર નું ફક્ત ફરજ દરમિયાન ગટરમાં ગુંગણામણથી / ડૂબી જવાથી કે આકસ્મિક મૃત્યુ થાય તે પ્રસંગે મળવા પાત્ર રૂ. ૧,૦૦,૦૦૦/- ના વીમા કવચ ઉપરાંત રૂ. ૨,૦૦,૦૦૦/- ની રકમ સફાઈ કામદારના આશ્રિત/ કુટુંબને ચુકવવામાંઆવશે. |