રાજ્ય સરકાર ધ્વારા રાજ્ય ના સફાઈ કામદારો અને તેઓ ના આશ્રિતો ને રહેણાંક ના પાકા આવાસો સમયબધ્ધ કાર્યકમ રૂપે પુરા પાડવા ડૉ આંબેડકર સફાઈ કામદાર આવસા યોજના અમલ માં મુકવામાં આવેલ છે. આ યોજના નો લાભ સફાઈ કામદારો અને તેઓ ના આશ્રિતો ને મળવા પાત્ર રહેશે તે માટે કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહિ.
આ યોજના નો હેતુ રાજ્ય સરકાર ની આ યોજના હેઠળ સફાઈ કામદારો કે તેઓ ના આશ્રિતો ને રહેણાંક ના પાકા મકાનો બનવા માટે વ્યક્તિગત રૂ. ૧,૨૦,૦૦૦/- ની સહાય અને રૂ. ૬૦,૦૦૦ બિન વ્યાજકીય લોન (શહેરી વિસ્તાર માટે) અને રૂ. ૩૦,૦૦૦ (ગ્રામ્ય વિસ્તાર માટે) આપવાની જોગવાઈ છે.મકાન ની ટોચ ની કિંમત શહેરી વિસ્તાર માટે રૂ.૭,૦૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૫,૦૦,૦૦૦/- રહેશે. |