- ૧. અરજદારે નિગમની https://gbcdconline.gujarat.gov.in લીન્ક ઉ૫ર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- ૨. ગુજરાત રાજયના વતની હોય તેવા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઈસમોને આ યોજના લાભ મળવાપાત્ર થશે. લાભાર્થીએ સક્ષમ અઘિકારીશ્રીનું જાતિનું પ્રમાણ૫ત્ર રજુ કરવાનું રહેશે.
- ૩. બેંકમાંથી મેળવેલ લોનના હપ્તા નિયમિત ભર્યા અંગેના આધાર – પુરાવા રજુ થયેથી વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
- ૪. સ્વરોજગાર માટે બેંક મારફતે લીધેલ લોન પર રૂ.૧૦.૦૦ લાખ સુધીની મર્યાદામાં પુરુષ લાભાર્થીને ૬% લેખે મહતમ રૂા.૬૦,૦૦૦/- (સાંઇઠ હજાર) (વાર્ષીક) વ્યાજ સહાય તથા મહિલા લાભાર્થીને ૭% લેખે મહતમ રૂા.૭૦,૦૦૦/- (સીત્તેર હજાર) (વાર્ષીક) વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે મળવાપાત્ર થશે.
- ૫. લાભાર્થીની ઉંમર ૨૧ થી ૫૦ વર્ષની હોવી જોઇએ.
- ૬. લાભાર્થીના કુંટુંબની વાર્ષિક આવક રૂ. ૬.૦૦ લાખ સુઘીની મર્યાદામાં હોવી જોઇએ.
- ૭. સીડ્યુલ બેંકમાંથી વર્ષ:૨૦૨૫-૨૬ (એટલે કે તા. ૧/૪/૨૦૨૫) થી લોન લિધેલ હોવી જોઇએ.
- ૮. સરકારશ્રીના અન્ય કોઇપણ ખાતા દ્રારા સબસીડી સહાય મેળવેલ ના હોય તે અંગેનું સોગંદનામું રૂા.૫૦/-ના સ્ટેમ્પ ઉ૫ર કરી નોટરી કરાવી રજૂ કરવાનું રહેશે.
- ૯. લાભાર્થીના અવસાનના કિસ્સામાં વ્યાજ/સહાયનો લાભ આપોઆપ બંધ થઈ જશે.
- ૧૦. સ્વરોજગાર યોજના માટે વ્યાજ/સહાયની અરજી કરતા અરજદારોએ બેન્કમાંથી લીઘેલ લોનનો મંજુરી આર્ડર અરજી સાથે ફરજીયાત રજુ કરવાનો રહેશે.
- ૧૧. ગુજરાત ૫છાત વર્ગ વિકાસ નિગમ અને વિકસતિ જાતિ હેઠળના નિગમો જેવા કે, ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગોપાલક વિકાસ નિગમ, વિચરતી અને વિમુકત જાતિ વિકાસ નિગમ તેમજ અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમમાંથી સ્વરોજગાર યોજનામાં કુટુંબની કોઇ વ્યક્તિએ લોન લીઘેલ ન હોય તેવા અરજદારશ્રીઓ જ અરજી કરી શકશે અને અરજી કરતી વખતે રૂા.૫૦/- ના સ્ટેમ્પ પે૫ર ઉ૫ર સોગંદનામું રજુ કરવાનું રહેશે.
- ૧૨. ઉકત યોજના અંતર્ગત વ્યાજ/સહાય માટે મળેલ અરજીઓમાં અઘુરાશ કે અસ્પષ્ટ જણાશે તો તેવી અરજીઓ માન્ય રાખવામાં આવશે નહી તેમજ અરજીઓ મંજુર કે ના-મંજુર કરવાના હક્કો ગુજરાત ૫છાત વર્ગ વિકાસ નિગમ, ગાંઘીનગરને અબાઘિત રહેશે.
- ૧૩. અરજી કરતી વખતે આઘાર નંબર સાથે લીંક હોય તેવા બેન્ક ખાતાની વિગત આ૫વાની રહેશે.
- ૧૪. એક જ કુટુંબમાંથી કોઇ૫ણ એક જ વ્યક્તિને વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે.
- ૧૫. આ જ હેતુ માટે સરકારશ્રીની અન્ય કોઇ કચેરીઓમાંથી વ્યાજ સહાય કે ઓછા વ્યાજ દરની કોઇ લોન લીઘેલ ન હોવી જોઇએ.
- ૧૬. આ યોજનાનો લાભ અત્રેના નિગમમાં અરજી કર્યાની તારીખથી મળવાપાત્ર રહેશે.
- ૧૭. ભરેલ ફોર્મ જે તે જીલ્લાના નાયબ નિયામકશ્રી (વિ.જા.) / સમાજ કલ્યાણ અઘિકારીશ્રી (વિ.જા.)/ જીલ્લા મેનેજરશ્રી, વિજાક સંલગ્ન નિગમોની ગૃ૫ જીલ્લા કચેરીએ જમા કરાવવાનું રહેશે.
- ૧૮. ઉકત યોજના અંતર્ગત વ્યાજ/સહાય અંગેનુ ન્યાયક્ષેત્ર ગાંઘીનગર રહેશે.
|