- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના પ્રશ્નો તપાસવા, પગલાં સૂચવવા, યોજનાઓ તૈયાર કરવી, યોજનાઓ અમલમાં મૂકવી, પુનઃ સ્થાપનની યોજનાઓનો અમલ કરવો, શિક્ષણ, રોજગારીની તકો પૂરી પાડવી અને પછાતપણું દૂર કરવાનો પ્રયત્ન કરવો.
- રાહતદરે અને સરળ શરતોએ લોન / ધિરાણ આપવું., જાતિ, આવક, ઉંમર અને અનુભવ વિગેરે ધોરણો ધ્યાને લઇ વ્યકિતગત / સંસ્થાઓને આર્થિક રીતે ચાલી શકે તેવી યોજનાઓ માટે ધિરાણ આપવા ચેનલાઇઝીંગ એજન્સી તરીકે કામ કરવું.
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના વિઘાર્થીઓને સ્નાતક / અનુસ્નાતક કક્ષા વ્યાવસાયીક / તાંત્રિક અભ્યાસક્રમો માટે લોન આપવી.
- સ્વૈચ્છિક સંસ્થાઓ / સ્વસહાય જૂથના સામાજીક શૈક્ષણિક રીતે પછાત જાતિના ઇસમોને સ્વરોજગારી આપતી પ્રવૃત્તિઓ માટે સહાય આપવી.
|