હેતુ |
- ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલાઓએ સ્વરોજગાર કરવા માટે ખાસ યોજના..
- આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીએ પોતાની પસંદગીનો ધંધો કરવાનો રહેશે.
|
લોન મેળવવાની પાત્રતા |
- અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
- અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક રૂ.૩.૦૦લાખ થી વઘુ ન હોવી જોઇએ.
- અરજદારની ઉંમર અરજીની તારીખે ર૧ થી ૪પ વર્ષ સુધીની હોવી જોઇએ.
- અરજદારને તાંત્રિક તથા અન્ય કુશળતા માગી લેતા ધંધાના અનુભવ ઘરાવતા હોવા જોઇએ.
|
યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ |
- આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.૨.૦૦લાખ સુધીની છે.
- આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષિક ૫ ટકા રહેશે.
- આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૯૫ ટકા લોન આપવામાં આવશે જેમા ૯૫ ટકા રાષ્ટ્રીય નિગમના ૫ ટકા રાજય સરકારના ફાળાની રકમ રહેશે
- આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની થાય છે.
|
|