(૧) ૫શુપાલન યોજનાઃ- |
- આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.૧.૦૦લાખ સુધીની છે.
- કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ જેમકે પશુપાલન (ગાય-ભેંસ) માટે
|
(ર) નાના ઘંઘા વ્યવસાય :- |
- આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.૨.૦૦લાખ સુધીની છે.
- કરીયાણાની દુકાન, ડેરી પાર્લર, પશુઆહાર વેચાણ કેન્દ્ર, મોબાઇલ-કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન વિગેરે ૫સંદગીના વ્યવસાય માટે
|
(૩) ૫રિવહન યોજના:- |
- આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.ર.૦૦લાખ સુધીની છે.
- પરીવહન સેકટરમાં ઓટો રીક્ષા, લોડીંગ વાહન વગેરે
- વાહનની યોજનામાં જે વાહનની લોન લેવાની હોય તે વાહન ચલાવવાનું લાયસન્સ (પેસેન્જર વાહન માટે જે તે વાહનનો બેઇઝ) જરૂરી છે.
|
લોન મેળવવાની પાત્રતા |
ઉકત ત્રણ યોજનામાં અરજદારે લાભ લેવા માટે નીચે મુજબની પાત્રતા ઘરાવતા હોવા જોઇએ. |
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ.
- અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક રૂ.૩.૦૦લાખ થી વઘુ ન હોવી જોઇએ
- અરજદારની ઉંમર અરજીની તારીખે ર૧ થી ૪પ વર્ષ સુધીની હોવી જોઇએ..
- અરજદારને તાંત્રિક તથા અન્યં કુશળતા માગી લેતા ધંધાના અનુભવ ઘરાવતા હોવા જોઇએ.
|
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ |
- આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષિક ૬ ટકા રહેશે.
- આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૮૫ ટકા લોન આપવામાં આવશે જેમા ૮૫ ટકા રાષ્ટ્રીય નિગમના ૧૦ ટકા રાજય સરકારના અને પ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે
- આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની થાય છે.
|
|