ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૨૬/૬/૨૦૦૧ના ઠરાવ ક્રમાંક:અવક/૧૦૯૮/૨૨૦૧/જથી અનુસૂચિત જાતિઓમાં અતિપછાત જાતિના લોકો અન્ય જાતિઓની સરખામણીમાં ચોકકસ પ્રગતિ કરી શકે અને તેમનો આર્થિક ઉત્કર્ષ થઇ શકે તે માટે અતિપછાત જાતિ વિકાસ નિગમની રચના કરવામાં આવેલ. સરકારશ્રીના તા.૨૧/૯/૨૦૧૨ના ઠરાવથી બેચરસ્વામી અતિપછાત જાતિ વિકાસ બોર્ડનું ગુજરાત અનુ.જાતિ અતિપછાત વિકાસ નિગમમાં કાર્યરત કરેલ છે. જેમાં નીચે મુજબની ૧૨ અતિપછાત જાતિઓનો સમાવેશ કરવામાં આવેલ છે. |
|
(૧) અનુસૂચિત જાતિના બાવા, | (૭) તુરી | (૨) વણકર સાધુ | (૮) તુરી-બારોટ | (૩) ગરો/ગરોડા, (ગુરૂ-બ્રાહ્મણ) | (૯) તીરગર-તીરબંદા | (૪) નાડીયા | (૧૦) થોરી | (૫) હાડી | (૧૧) માતંગ | (૬) સેનવા, સેનમા, શેનવા, ચેનવા, સેડમા, રાવત | (૧૨) વાલ્મીકી (સફાઇ કામદાર અને તેમના આશ્રિતો સિવાયના) | |
|
- બેચર સ્વામી અતિપછાત જાતિ વિકાસ બોર્ડને સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગરના તા.૨૧/૦૯/૧૨ના ઠરાવથી ગુજરાત અનુસૂચિત જાતિ અતિપછાત વિકાસ નિગમમાં કાર્યરત કરવાનું ઠરાવેલ છે.
- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગરના તા.૩૧/૮/૧૩ના ઠરાવથી સચિવશ્રીની જગ્યાને અપગ્રેડ કરી મેનેજીંગ ડીરેકટરશ્રીની જગ્યામાં ફેરવવામાં આવેલ છે.
- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગરના તા.૩૧/૮/૧૩ની અધિસૂચના ક્રમાંકઃ અપબ/૧૩૧૨/૬૩૮૯૨૧/જ થી મેનેજીંગ ડીરેકટરશ્રીની જગ્યા ભરવામાં આવેલ છે.
- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગરના તા.૨/૯/૧૩ના ઠરાવ ક્રમાંકઃઅપબ/૧૩૧૨/૬૩૮૯૨૧/જ થી નિગમમાં કંપની સેક્રેટરીની સેવા લેવા માટેની મંજુરી આપવામાં આવેલ છે.
|