હેતુ
સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ઉચ્ચ વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટેની લોન યોજના.
લોન મેળવવાની પાત્રતા
- અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના હોવા જોઇએ
- તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
- આવરી લેવામાં આવેલ અભ્યાસ ક્રમ.
- એમ.બી.એ. અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસક્રમ)
- એમ.સી.એ. માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસક્રમ)
- આઇ.આઇ.ટી. / એ.આઇ.સી.ટી.ઇ. દ્રારા માન્ય સ્નાતક કક્ષાના ઇજનેરી અભ્યાસક્રમ તેમજ માન્ય વ્યવસાયિક સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ.
- મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ જેને માન્યતા આપી હોય તેવી કોલેજના તબીબી શિક્ષણના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ.
- ડીપ્લોમાં નર્સિંગ અભ્યાસક્રમ
- મેનેજમેન્ટ કોટામાં મેળવેલ પ્રવેશના કિસ્સામાં લોન મળવા પાત્ર નથી.
લોનની રકમમાં નીચેનાનો સમાવેશ થશે
- પ્રવેશ ફી અને ટયુશન ફી
- અભ્યાસક્રમ માટે જરૂરી પુસ્તકો, લેખન સામગ્રી, જરૂરી સાધનો અને પરીક્ષા ફી
- રહેવા – જમવાનો ખર્ચ
- વીમા – પોલીસીનું પ્રીમીયમ
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ
- આ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા ₹.૧૦ લાખ સુધીની છે.
- આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષિક ૪ % રહેશે. વિદ્યાર્થીની માટે આ દર ૩.૫ % છે.
- આ યોજનાઓમાં ૯૦ % કેન્દ્રીય નિગમના, ૫ % રાજય સરકાર અને ૫ % લાભાર્થી ફાળાની રકમ રહેશે.
- આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે લોનની વસુલાત અભ્યાસક્રમ પુરો થયેથી ૬ માસમાં કે નોકરી વ્યવસાય મળેથી બંન્નેમાંથી જે વહેલુ હોય ત્યારથી કરવામાં આવશે.