- જો કોઇ ઇસમ કોઇ અનુસૂચિત જાતિની વ્યકિતને ગામના જાહેર મંદિર, કુવા, ઘાટ, વારીગૃહ, હોટેલહ ધર્મશાળા વગેરે સ્થળોએ વિના રોકટોક અને ભેદભાવ વગર ઉપયોગ કરવા દેશે નહીં તેવાની સાથે કાયદા હેઠળ કામ ચલાવવામાં આવશે. હજામ, અનુસૂચિત જાતિની વ્યકિતની હજામત કરવાની ના પાડશે, ધોબી કપડા ધોવાની ના પાડશે તો તેઓ પ્ણ આ કાયદા હેઠળ ગુનેગાર બનશે. ગામમાં જાહેર સ્થળમાં ધાર્મિક પ્રવચન કે કથા થતી હશે તો ત્યાં અનુસૂચિત જાતિની વ્યકિતને સૌની સાથે ભેદભાવ વગર બેસવા દેવામાં નહીં આવે તો પણ આ કાયદા હેઠળ ગુનો બનશે. દળવાની ઘંટી ઉપર અનુસૂચિત જાતિની વ્યકિત પ્રત્યે કોઇ પણ જાતનો ભેદભાવ રખાતો હશે તો, તે પણ આ કાયદા હેઠળ ગુનો ગણાશે. પાણી પીવાની પરબમાં તથા હોટેલમાં અનુસૂચિત જાતિ માટે અલગ વાસણ કે કપરકાબી રાખનારને પણ આ કાયદા હેઠળ ગુનેગાર ગણવામાં આવશે.
- આ કાયદા હેઠળ નોંધાયેલ અસ્પૃશ્યતા અંગેના સઘળા ગુના કોગ્નીઝેબલ (વગર વોરંટે પકડી શકાય તેવા ) છે.
- આ કાયદામાં સમાધાન કરવાની જોગવાઇ નથી.
- પહેલી વખતનો ગુનો કરનારને ઓછામાં ઓછી ૧ મહિનાની જેલ અને રુ. ૧૦૦ નો દંડ તથા વધુમાં વધુ ૬ માસની જેલ અને રુ. ૫૦૦ દંડ થાય છે.
- બીજીવાર ગુનો કરે તો ગુનેગારને ૬ માસ થી ૧ વર્ષ સુધીની જેલ અને રુ. ૨૦૦ થી ૫૦૦ સુધીનો દંડ કરવામાં આવશે.
- ત્રીજી વખત ગુનો કરનારને ૧ થી ૨ વર્ષ સુધીની જેલ અને રુ. ૫૦૦ થી ૧૦૦૦ સુધીનો દંડ કરવામાં આવશે.
- અસ્પૃશ્યતા પાળવાનો સીધો કે આડકતરો પ્રચાર કરનાર સામે કાયદા હેઠળ કેસ નોંધી શકાશે.
- ઇતિહાસ, તત્વજ્ઞાન, ધર્મ કે રુઢિગત રીતે અસ્પૃશ્યતા પાળવી એ વ્યાજબી છે. એવુ ઠસાવવાનો પ્રયત્ન કરનારને ગુનેગાર ગણવામાં આવશે.
|