imagesમુખ્ય માહિતી વાંચો
imagesસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
ગુજરાત સરકાર
માહિતી મેળવવાનો અધિકારસંબંધિત લિન્કસ્અભિપ્રાયસફળતા
  • હોમ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • પ્રવૃતિઓ
    • વહીવટી માળખું
    • સમાચાર
    • ફોટો ગેલેરી
    • બજેટ
  • નીતિ
    • કાયદા અને નિયમો
    • ઠરાવો
    • પરિપત્રો
    • કાર્યવાહી નોંધ
    • અધિસુચના
    • ભરતી નિયમો
    • UNCRPD ના અહેવાલ
    • PoSH અધિનિયમ, ૨૦૧૩
  • યોજનાઓ
  • ખાતાના વડાઓ/ બોર્ડ/ નિગમો
  • ખાસ અંગભૂત યોજના
  • રોસ્‍ટર પદ્ધતિ
  • સંપર્ક
  • હોમ
  • નીતિ
  • કાયદા અને નિયમો
  • અત્યાચાર નિવારણ ધારો, ૧૯૮૯
અત્યાચાર નિવારણ ધારો, ૧૯૮૯
  • પ્રિન્ટ
  • શેર કરો
અનુ.જાતિઓ અને અનુ.આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ- ૧૯૮૯ ના અસરકારક અમલ અંગે રાજય સરકાર દ્વારા લેવાયેલ પગલાં.
 
અત્યાચાર નિવારણ ધારો, ૧૯૮૯ની વિગત વાર માહિતી માટે અહી ક્લીક કરો. ડાઉનલોડ ફાઈલ
 
અનુ.જાતિઓ અને અનુ.આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ-૧૯૮૯ તા. ૩૦/૧/૧૯૯૦ થી અમલમાં આવેલ છે. તથા અનુ.જાતિ અને અનુ.આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) નિયમો-૧૯૯પ તા.૩૧/૩/૯પ થી અમલમાં આવેલ છે. આ અધિનિયમ અને નિયમોના અસરકારક અમલીકરણ માટે સરકારશ્રી દ્વારા નીચે મુજબ અસરકારક પગલાં લેવાયેલ છે.
  • ગુજરાત સરકારે રાજયની ૧૮ સેશન્સ કોર્ટોને આ અધિનિયમ હેઠળ ગુનાઓ ચલાવવા માટે સ્પેશીયલ કોર્ટો તરીકે જાહેર કરેલ છે. (૧) અમદાવાદ (સીટી), (૨) અમદાવાદ (રૂરલ), (૩) અમરેલી, (૪) ભાવનગર, (૫) ભરૂચ, (૬) પાલનપુર, જિ.બનાસકાંઠા, (૭) જુનાગઢ, (૮) જામનગર, (૯) ભુજ, જિ.કચ્છ, (૧૧) નડીયાદ, જિ.ખેડા., (૧૨) મહેસાણા, (૧૩) ગોધરા, જિ.પંચમહાલ,  (૧૪)  રાજકોટ, (૧૫) સુરત, (૧૬) સુરેન્‍દ્રનગર, (૧૭) હિંમતનગર, જિ. સાબરકાંઠા અને (૧૮) નવસારી.
    આ સ્પેશીયલ કોર્ટોમાં અત્યાચારના કેસો ચલાવવા માટે સરકારી વકીલને સ્પે. પબ્લીક પ્રોસીકયુટર જાહેર કરેલા છે.
  • અમદાવાદ ( ગ્રામ્ય ), પાલનપુર  જિ. બનાસકાંઠા, ભુજ જિ. કચ્છ, અમરેલી, વડોદરા, જુનાગઢ,  ગોધરા, જિ.પંચમહાલ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, નવસારી, વલસાડ, દાહોદ, રાજપીપળા, જિ. નર્મદા, હિંમતનગર, જિ. સાબરકાંઠા , પાટણ,  મહેસાણા, ભાવનગર અને જામનગર ખાતે        કુલ – ૧૯  ખાસ અદાલતો મંજુર થયેલ છે.
  • (૧) મહેસાણા (ર) અમદાવાદ (ગ્રામ્ય) (૩) જુનાગઢ (૪) બનાસકાંઠા (પ) ખેડા (૬) અમરેલી (૭) રાજકોટ (ગ્રામ્ય) (૮) કચ્છ (૯) સુરેન્દ્રનગર (૧૦) વડોદરા (ગ્રામ્ય) અને (૧૧) ભરૂચ જિલ્લાઓને સંવેદનશીલ વિસ્તારો ગણેલ છે.
  • ખાસ પોલીસ મહાનિરીક્ષકશ્રી, અનુ.જાતિ/જનજાતિ, ગાંધીનગરની નોડલ અધિકારી  તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. 
  • સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/ અધિક મુખ્ય સચિવશ્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય, ગાંધીનગરને હોદ્દાની રૂએ  નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.
  • તકેદારી અધિકારીશ્રી, અમદાવાદ, વડોદરા અને રાજકોટની ખાસ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. 
  • અશ્પૃસ્યતા નિવારણ માટે રાજય કક્ષાનો એક સેમિનાર બે દિવસ માટે યોજવાની અને આ સેમિનાર માટે રૂ।.૩૦,૦૦૦/- નો ખર્ચ કરવાની, જિલ્લા કક્ષાએ અશ્પૃસ્યતા નિવારણ માટે બે દિવસના વર્કશોપ યોજવાની અને આ વર્કશોપ અંગે રૂ।.૩૦૦૦/- નુ ખર્ચ કરવાની તથા તાલુકા કક્ષાએ અશ્પૃસ્યતા નિવારણ શિબીરો યોજવાની અને આ શિબીરો માટે શિબીરદીઠ  રૂ।.૧૦૦૦/- નો ખર્ચ કરવાની જોગવાઇ થયેલ છે.
  • ૨૫ જિલ્લાઓમાં પ્રત્યેક જિલ્લામાં એક એવા ૨૫ જાગરૂકતા કેન્દ્રો બિન સરકારી સ્વેચ્છિક સંગઠનો દ્વારા સ્થાપવાની અને પ્રત્યેક જાગરૂકતા કેન્દ્ર માટે રૂ।.૧૫,૦૦૦/- સુધીનું અનુદાન આપવાની જોગવાઇ થયેલ છે.
  • અનુસૂચિત જાતિના લોકોમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી મળી રહે તેમજ તેમની રૂઢીગત માન્યતાઓમાં સુધારા ઉપરાંત આ જાતિના લોકોમાં શિક્ષણનો વ્યાપ વધે  તે આશયથી દરેક જિલ્લામાં વર્ષ દરમ્યાન બે સમાજ શિક્ષણ શિબિરો યોજવાની અને શિબિરો માટે શિબિરદીઠ રૂ। ૫૦૦૦/- નો ખર્ચ કરવાની જોગવાઇ થયેલ છે.
  • અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ - ૧૯૮૯ ના અસરકારક અમલી કરણ માટે નીચે મુજબની સમિતિઓની રચના કરવામાં આવેલ છે.
    • માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજય સ્તરની તકેદારી અને મોનીટરીંગ સમિતિ.
    • સચિવશ્રી, સામાજિક ન્યાય અને અધિકારિતાના અધ્યક્ષ સ્‍થાને રાજયકક્ષાની સમીક્ષા સમિતિ
    • કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કક્ષાની તકેદારી અને મોનીટરીંગ સમિતિ
    • પોલીસ. કમિશનરશ્રી અથવા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને શહેરી તકેદારી સમિતિ
    • મામલતદારશ્રીના અધ્‍યક્ષસ્‍થાને તાલુકા તકેદારી સમિતિ
  • પોલીસ રક્ષણ એકમ.
    અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર નિવારણ)ના નિયમો - ૧૯૯પના નિયમ-૧ર મુજબ ગાંધીનગર ખાતે અનુ.જાતિ અને અનુ.જનજાતિ સામે થતાં જુદા જુદા ગુન્હાઓનું મુલ્યાંકન, નિયંત્રણ કરવા રાજય કક્ષાએ અધિકા પોલીસ મહાનિર્દેશકશ્રી હસ્તકના પોલીસ રક્ષણ એકમની રચના કરવામાં આવેલ છે.
  • સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૩/૧૦/૯૧ના ઠરાવ ક્રમાંકઃ ઇએસટી-૧૦૯૧/૪૬પ૪/સી, થી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ - ૧૯૮૯ હેઠળની ફરિયાદોની નબળી કક્ષાની અન્વેષણની કામગીરી સુધારવા તથા આવા ગુન્હાઓ પોલીસ સુપ્રીટેન્ડન્ટની કક્ષાના શ્રેયાન અધિકારીશ્રીઓ દ્વારા આ કાયદાની જોગવાઇઓ યોગ્ય રીતે લાગુ પાડવામાં આવે તથા કાયદો ખોટી રીતે પણ લાગુ ન પાડી દેવામાં આવે તે સુનિતિ કરવા, જિલ્લા કક્ષાએ આવા ગુન્હાઓનું યોગ્ય અન્વેષણ થાય તે માટે ૧પ નાયબ પોલીસ અધિક્ષકશ્રીની જગાઓ જિલ્લા કક્ષાએ મંજુર થયેલ છે.
  • નાગરિક હકક રક્ષણ અધિનિયમ - ૧૯પપ અને અનુ.જાતિ અને અનુ. આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ - ૧૯૮૯ના અસરકારક અમલ માટે ભારત સરકારના કલ્યાણ મંત્રાલયના જાહેરનામા ક્રમાંકઃ જીએસઆર/૩૧૬/ઇ, તા.૩૧/૩/૯પ થી અમલમાં મુકવામાં આવેલ અનુ.જાતિ અને અનુ. આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) નિયમો - ૧૯૯પના નિયમ ૧ર(૪)અનુસાર રાજય સરકાર દ્વારા સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંકઃહસલ/૧૦૯૪ /આઇ/ર૪/હ/સેલ, તા.૧૮/૧૧/૯પ થી અત્યાચારનો ભોગ બનેલ અને તેઓના આશ્રિતોને જુદા જુદા ધોરણે આર્થિક સહાય આપવાનું ઠરાવેલ છે. (અનુસૂચિ – ૧)
  • અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમો - ૧૯૮૯ તથા નાગરિક હકક રક્ષણ અધિનિયમ ૧૯પપના અસરકારક અમલ માટે અનુ.જાતિ અને અનુ.આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) નિયમો ૧૯પપના નિયમ - ૧પના અનુસાર રાજય સરકાર દ્વારા સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંકઃ હસલ/૩૧૯૭ /૩૭૬૪/હ, તા.૧૮/૩/૯૮થી વીરમેઘમાયા ખાસ આકસ્મિકતા યોજના મંજુર કરવામાં આવેલ છે. (અનુસૂચિ – ૨)
  • પ્રવાસ ભથ્થુ / નિર્વાહ ભથ્થુઃ-
    અત્યાચારનો ભોગ બનેલ અનુ.જાતિના ઇસમોને, ફરીયાદીઓને, સાક્ષીઓને તેમજ  પરીચરને તપાસની કાર્યવાહી માટે તેમજ નામ. કોર્ટ સમક્ષ ન્યાયિક કાર્યવાહી દરમ્યાન જુબાની માટે હાજર રહેવા પ્રવાસ ભથ્થુ થા નિર્વાહભથ્થુ આપવાનું ઠરાવેલ છે.
અનુસૂચિ – ૧
અનુ.જાતિ / અનુ.જનજાતિ(અત્યાચાર નિવારણ) નિયમો – ૧૯૯૫નાં નિયમ – ૧૨ (૪) હેઠળ અત્યાચારના કેસોમાં રાજય સરકારની સહાયનાં ધોરણો
 
ક્રમ ગુનાનું નામ રાહતની ન્‍યુનતમ રકમ.
૧. અખાદ્ય અથવા હાનીકારક પદાર્થ – પીણું ખાવા પીવા બાબત.
( કલમ - ૩(૧)(૧)
અત્યાચારનો ભોગ બનેલી દરેક વ્‍યકિતને ગુનાના પ્રકાર અને ગંભીરતાના આધારે તેને સહન કરેલ, અનાદર અપમાન ઇજા અને બદનક્ષીનાં પ્રમાણમાં રૂ।.૨૫,૦૦૦/- કે તેથી વધુની ચુકવણી નીચે પ્રમાણે કરવી (૧) અદાલતમાં તહોમતનામું રજુ કરવામાં આવે ત્યારે ૨૫ ટકા (૨) નીચલી અદાલત દ્વારા આરોપીને દોષિત ઠરાવવામાં આવે ત્યારે ૭૫ ટકા.
૨. ઈજા અપમાન અથવા પજવણી થવા બાબત.   કલમ-૩(૧) (૨) -
૩. માન હાનિ કરનાર કૃત્ય.
કલમ-૩(૧) (૩)
-
૪. ગેરકાયદે જમીનનો ભોગવટો અથવા ખેતી વગેરે.
કલમ-૩(૧) (૪)
ગુનાના પ્રકાર અને ગંભીરતાના આધારે ઓછામાં ઓછું     રૂ।. ૨૫,૦૦૦/-  કે તેથી વધુ જમીન – જગ્યા – પાણી પુરવઠો જરૂરી હોય ત્યાં સરકારી ખર્ચે પુર્વવત કરવાનાં રહેશે. અદાલતમાં તહોમતનામું રજુ કરવામાં આવે ત્યારે સંપૂર્ણ ચુકવણી કરવાની રહેશે.
૫. જમીન, જગ્યા અને પાણી સબંધિત.
કલમ-૩(૧) (૫)
-
૬. વેઠ, બળજબરી પૂર્વકની કે બંધન યુક્ત મજુરી.
કલમ-૩(૧) (૬)
ભોગ બનેલ પ્રત્યેક વ્‍યકિતને ઓછામાં ઓછુંરૂ।. ૨૫,૦૦૦/- પ્રથમ માહિતી અહેવાલના તબક્કે ૨૫ ટકા અને નીચલી અદાલતમાં ગુનો સાબિત થતાં ૭૫ ટકાની રકમની ચુકવણી.
૭. મતાધીકાર સંબંધી.
કલમ-૩(૧) (૭)
ગુનાના પ્રકાર અને તેની ગંભીરતાના આધારે ભોગ બનેલ પ્રત્યેક વ્‍યકિતને રૂ।.૨૦,૦૦૦/- સુધી.
૮. ખોટી દ્વેષપૂર્ણ અથવા પરેશાનીભરી કાનુની કાર્યવાહી.
કલમ-૩(૧) (૮)
આરોપીનો મુકદમો પૂરો થયા બાદ રૂ।.૨૫,૦૦૦/-  અથવા કાનુની કાર્યવાહી માટે થયેલ ખરેખર ખર્ચ અને નુકશાનીની ભરપાઇ એ પૈકી જે ઓછું હોય તે.
૯. ખોટી અને ક્ષુલ્‍લક માહિતી
કલમ-૩(૧) (૯)
આરોપીનો મુકદ્દમો પૂરો થયા બાદ રૂ।. ૨૫,૦૦૦/-  અથવા કાનુની કાર્યવાહી માટે થયેલ ખરેખર ખર્ચ અને નુકસાનીની ભરપાઇ એ પૈકી જે ઓછું હોય તે.
૧૦. અપમાન, ધાક ધમકી અને માનભંગ.
કલમ-૩(૧) (૧૦)
ગુનાના પ્રકારના આધારે ભોગ બનેલ પ્રત્યેક વ્‍યકિતને  રૂ।.૨૫,૦૦૦/-  સુધી અદાલતને તહોમતનામુ રજુ કરવામાં આવે ત્યારે ૨૫ ટકા રકમ અને ગુનો સાબિત થતાં બાકીની રકમની ચુકવણી.
૧૧. સ્‍ત્રીનો શીલભંગ.
કલમ-૩(૧) (૧૧)
ગુનાનો ભોગ બનેલ દરેક વ્‍યકિતને રૂ।.૫૦,૦૦૦/-  ૫૦ ટકા રકમ તબીબી પરીક્ષણ થયા પછી અને બાકીની ૫૦ ટકા રકમ મુકદમો પૂરો થયે ચુકવણી.
૧૨. સ્‍ત્રીનું જાતિય શોક્ષણ
કલમ-૩(૧) (૧૨)
-
૧૩. પાણી ગંદુ કરવું.
કલમ-૩(૧) (૧૩)
રૂ।.૧,૦૦,૦૦૦/- સુધી અથવા પાણી ગંદુ કરવામાં આવ્‍યુ હોય તેવા સંજોગોમાં તે શુદ્ધ કરવા સહિતની સામાન્‍ય સવલત પૂર્વવત કરવા માટેનું પૂરેપૂરૂ ખર્ચ, જિલ્‍લા વહીવટી તંત્ર. જેને ઉચિત જણાય તે તબક્કે ચુકવણી કરી શકશે.
૧૪. પરંપરાગત માર્ગાધિકારનો ઇન્કાર.
કલમ-૩(૧) (૧૪)
રૂ।.૧,૦૦,૦૦૦/- સુધી અથવા માર્ગાધિકાર પાછો મેળવવા અંગેનું પુરૂ ખર્ચ અને જો કોઇ નુકશાન થયુ હોય તો તે પેટે પૂરૂ વળતર અદાલતમાં તહોમતનામું રજુ કરવામાં આવે ત્યારે ૫૦ ટકા રકમની ચુકવણી.
૧૫. રહેઠાણો તારાજ કરવા.
કલમ-૩(૧) (૧૫)
ભોગ બનેલ દરેક વ્‍યકિતને જગ્યાની ફેર સોંપણી તેના રહેવાના હક્કનું પુનઃસ્‍થાપન અને રૂ।.૨૫,૦૦૦/- નું વળતર અને મકાન  તારાજ કરવામાં આવ્‍યુ હોય તો સરકારી ખર્ચે તેનું પુનઃબાંધકામ નીચલી  અદાલતમાં તહોમતનામું રજૂ કરવામાં આવે ત્યારે સંપૂર્ણ રકમ ચુકવવાની રહેશે.
૧૬. ખોટા પુરાવા આપવા.
કલમ-૩(૨) (૧)  અને (૨)
ઓછામાં ઓછું રૂ।.૧,૦૦,૦૦૦/- અથવા થયેલ નુકશાન અથવા હાનિ માટે પૂરૂ વળતર.  ૫૦ ટકા રકમ અદાલતમાં તહોમતનામું રજૂ કરવામાં આવે ત્યારે અને ૫૦ ટકા રકમ નીચલી અદાલતમાં ગુના સાબિત થતાં ચુકવવાની રહેશે.
૧૭. ભારતિય દંડ સંહિતા હેઠળ ૧૦ વર્ષ કે તેથી વધુ મુદત માટેની કેદની સજા કરવા પાત્ર ગુના કરવા.
કલમ-૩(૨) (૫)
ભોગ બનેલ દરેક વ્‍યકિતને અને / અથવા તેનાં આશ્રિતોને  ગુનાના પ્રકાર અને ગંભીરતાનાં આધારે ઓછામાં ઓછું રૂ।.૫૦,૦૦૦/- અનુસૂચિમાં ઓછું અન્યથા નિર્દિષ્‍ટ રીતે જોગવાઇ કરવામાં આવી હોય તો રકમમાં ફેરફાર થશે.
૧૮. રાજયસેવાનાં કર્મચારી પક્ષે કિન્નાખોરી.
કલમ-૩(૨) (૮)
થયેલ હાનિ અથવા નુકશાન કે ઇજા અંગે પૂરૂ વળતર. ૫૦ ટકા રકમ અદાલતમાં તહોમતનામું રજુ કરવામાં આવે ત્યારે અને ૫૦ ટકા રકમ નીચેની અદાલતમાં ગુનો સાબિત થતાં ચુકવવાની રહેશે.
૧૯. અશકતતા, શારીરિક અને માનસીક અશકતતાની વ્‍યાખ્યા.
ભારત સરકારના કલ્‍યાણ મંત્રાલયનાં તા.૬-૮-૧૯૮૬નાં વખતો વખત સુધાર્યા પ્રમાણેનાં જાહેરનામાં નં. ૪-૨ ! ૮૩ એચ ડબલ્‍યુ-૩ માં આપવામાં આવી છે.
જાહેર નામાની કલમ જોડાણ-૨ માં  આપી.
(ક) ૧૦૦ ટકા અશકતા
(૧) પરિવારના બીનકમાઉ સભ્ય.       (૨) પરિવારના કમાઉ સભ્ય.       (ખ) ૧૦૦ ટકા કરતાં ઓછી અશક્તતા.
 ગુનાનો ભોગ બનેલ દરેક વ્‍યકિતને ઓછામાં ઓછું રૂ।. ૧,૦૦,૦૦૦/- , ૫૦ ટકા રકમ પ્રથમ માહિતી અહેવાલ  વખતે ૨૫ રકમ તહોમતનામા વખતે અને ૨૫ ટકા રકમ નીચલી અદાલતમાં ગુના – સાબિત થતા. ગુનાનો ભોગ બનેલ દરેક વ્‍યકિતને ઓછામાં ઓછું રૂ।.  ૨,૦૦,૦૦૦/-, ૫૦ ટકા રકમ પ્રથમ માહિતી અહેવાલ તબીબી પરીક્ષણના તબક્કે, ૨૫ ટકા રકમ અદાલતમાં તહશોમતનામું રજુ કરવામાં આવે ત્યારે ૨૫ ટકા રકમ, નીચલી અદાલતમાં ગુનો સાબિત થતાં ચુકવવાની રહેશે. ઉપર ક(૧) અને (૨) માં ઠરાવેલ દરો અનુરૂપ પ્રમાણમાં ઘટાડવાના રહેશે. જયારે ચુકવણીના તબક્કા તેજ રહેશે.  આમ છતાં પરિવારના બીન કમાઉ સભ્ય માટે ઓછામાં ઓછું રૂ।.૧૫,૦૦૦/-, અને કમાઉ સભ્ય માટે ઓછામાં  રૂ।.  ૩૦,૦૦૦/- ની રાહત રહેશે.
૨૦. ખૂન – મૃત્યુ.
(ક) પરિવારના બિન કમાઉ સભ્ય.     (ખ) પરિવારનાં કમાઉ સભ્ય.
  દરેક કેસમાં ઓછામાં ઓછું રૂ।.૧,૦૦,૦૦૦/- શબ પરીક્ષણ ૭૫ ટકા  રકમ અને નીચલી અદાલતમાં ગુનો સાબિત થતાં ૨૫ ટકા રકમની ચુકવણી.  દરેક કેસમાં ઓછામાં રૂ।.૨,૦૦,૦૦૦/- શબ પરિક્ષણ પછી ૭૫ ટકા રકમ અને નિચલી અદાલતમાં ગુનો સાબિત થતાં ૨૫ ટકા રકમની ચુકવણી.
૨૧. ખૂન, મૃત્યુ, કત્લેઆમ, બળાત્કાર, સામૂહિક બળાત્કાર અને ગેંગ બળાત્‍કાર કાયમી અશકતતા અને લૂંટનો ભોગ બનેલ વ્‍યકિત. ઉપર્યુંકત બાબતો અન્‍વયે ચૂકવેલ રાહત રકમ ઉપરાંત અત્યાચારની તારીખથી ત્રણ મહિનામાં નીચે જણાવ્‍યા પ્રમાણે રાહત માટેની વ્‍યવસ્‍થા કરવી.
(૧) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિની  મૃત વ્યક્તિની વિધવા અને  અથવા અન્‍ય આશ્રિતો દરેકને માસિક રૂ।.૧,૦૦૦/- ના દરે પેન્શન અથવા મૃતકના પરિવારના એક સભ્યને રોજગાર અથવા જરૂર જણાયતો તાત્‍કાલીક ખરિદી કરીને પણ ખેતીની જમીન, મકાનની જોગવાઇ.
(૨) ભોગ બનેલા વ્યકિતના બાળકોનાં શિક્ષણ અને નિર્વાહનું પુરૂ ખર્ચ.  બાળકોને આશ્રમશાળાઓ / નિવાસી શાળાઓમાં દાખલ કરી શકાય.
(૩) ત્રણ મહિનાના સમયગાળા માટે વાસણો ચાખા, ઘઉં, દાળ, કઠોળ વગેરેની જોગવાઇ.
૨૨. સંપૂર્ણ પણે તોડી પાડેલા / બાળી નાંખેલા ઘર. ઘરો બાળી નાંખવામાં કે તોડી પાડવામાં આવ્‍યા હોય તો સરકારના ખર્ચે ઇંટ – પથ્થરના ચણતરવાળા ઘરો બાંધવા કે પુરા પાડવાં.
 
 
અનુસૂચિ – ૨
અનુ.જાતિ / અનુ.જનજાતિ(અત્યાચાર નિવારણ) નિયમો – ૧૯૯૫નાં નિયમ – ૧૫ હેઠળ અત્યાચારના કેસોમાં રાજય સરકારની વીરમેઘમાયા આકસ્મિક યોજના હેઠળ આપવાની થતી સહાયનાં ધોરણો
 
ક્રમ આઇટેમ સહાયના દર
૧. અનુ.જાતિના ઇસમનું ખુન થાય ત્યારે અથવા અત્યાચારના કારણે હિજરત થાય ત્યારે હિજરતના કેસોમાં હિજરત કરેલ કુટુંબના પુનઃસ્‍થાપન માટે દરેક કુટુંબને મકાન બનાવવા જમીન ખરીદવા અંગે.  રૂ।.૨૦,૦૦૦/- અથવા સરકાર તરફથી જમીન ફાળવવામાં આવે તો પ્રવર્તમાન દર મુજબ જમીન ખરીદવા જિલ્‍લા કલેકટરશ્રીના પરામર્શમાં કાર્યવાહી કરવી.
૨. ખરીદેલ અગર સરકારે ફાળવેલ જમીનને સમથળ બનાવવાનો ખર્ચ. જરૂરિયાત જણાયતો સરકારનાં માર્ગ અને મકાન વિભાગે સુચવેલ અંદાજ મુજબનો ખર્ચ.
૩. હિજરતના સ્‍થળે મકાન બનાવવાનો ખર્ચ. રૂ।.૭૫,૦૦૦/- અગર સરકારનાં માર્ગ અને મકાન વિભાગ / ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડે સ્થાનિક પરિસ્થિતિ મુજબ આપેલ અંદાજીત ખર્ચ તે બે માંથી જે ઓછુ હોય તે.
૪. હિજરતનાં સ્‍થળની નજીકનાં પાકા રસ્‍તાને જોડતો પાકો રસ્‍તો બનાવવા. સરકારશ્રીનાં માર્ગ અને મકાન વિભાગ મારફત ખર્ચ કરવો.
૫. હિજરતનાં સ્‍થળે સ્‍મશાન બનાવવા માટે. સરકારશ્રીનાં માર્ગ અને મકાન વિભાગ મારફત ખર્ચ કરવો.
૬. હિજરતના સ્‍થળે કામચલાઉ શેડ બનાવવાનો ખર્ચ. રૂ।.૨૦,૦૦૦/- અથવા માર્ગ અને મકાન વિભાગે સુચવેલ ખર્ચ બેમાંથી જે ઓછું હોય તે.
૭. વસવાટના નવા સ્‍થળે પાણીના નળ, હેન્‍ડપંપ, પાઇપલાઇન, ગટરલાઇન તથા તેને આનુષાંગીક ખર્ચ. સરકારનાં માર્ગ અને મકાન વિભાગ તરફથી મેળવેલ અંદાજો અનુસાર.
૮. મકાનોના વિજળીકરણ માટે. મકાન દીઠ રૂ।.૨,૦૦૦/- અથવા જી. ઇ. બી. તરફથી મેળવેલ અંદાજો મુજબ.
૯. પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્‍દ્ર, બાલમંદિર, કોમ્યુનિટી હોલ વિગેરે. જરુર મુજબ સંબંધિત વિભાગોના પરામર્શમાં  નિયામકશ્રી સમાજ કલ્‍યાણે અલગ દરખાસ્‍ત તૈયાર કરી સરકારશ્રીની મંજૂરી મેળવી ખર્ચ કરવો.
૧૦. અત્યાચારના કેસોમાં ખુન થયેલ ઇસમની વિધવા / અત્યાચારના કેસોમાં કાયમી અશકત બન્યા હોય તેવા ઇસમો / ૬૦ વર્ષની ઉપરની ઉંમરના વૃધ્ધો તથા વૃધ્ધાઓને પેન્શનના બદલામાં આર્થિક સહાય. માસિક રૂ।.૧,૦૦૦/- આજીવન (વિધવા પુનઃલગ્ન કરે તો લગ્ર કરે ત્યાં સુધી.)
૧૧. ખુન કેસમાં મરનારની વિધવા પર આધારિત આશ્રિત બાળકોને આર્થિક સહાય. રૂ।.૫૦૦/- માસિક દરે બાળકની ( ૧૮ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી)
૧૨. અત્યાચારના ભોગ બનેલાઓ માટે ગૃહ ઉપયોગી ચીજ વસ્‍તુઓ ચોખા, ઘઉં, દાળ, કઠોળ વગેરે માટે. ભોગ બનેલ દરેક વ્‍યકિતને માસિક રૂ।.૫૦૦/-
( વધુમાં વધુ ત્રણ માસ માટે)
૧૩. અત્યાચારનો ભોગ બનેલા બાળકોનાં શિક્ષણ માટે સરકારી આશ્રમશાળાઓ / નિવાસી શાળાઓ વગેરેમાં દાખલ કરવા અંગે. નિયમોમાં છુટછાટ મુકીને ખાસ કિસ્‍સા તરીકે પણ પ્રવેશ આપવો.
૧૪. સંપૂર્ણ નાશ પામેલા / સળગી ગયેલા મકાનો તે જ સ્‍થળે બાંધવા અગર મરામત થઇ શકે બાંધવા અગર મરામત થઇ શકે તેમ હોય તો તે અંગે. નવુ મકાન બનાવવા રૂ।.૭૫,૦૦૦/- અને મરામત થઇ શકે તેમ હોયતો માર્ગ અને મકાન વિભાગના અંદાજો  અનુસાર વધુમાં વધુ
રૂ।. ૫૦,૦૦૦/- સુધી.
૧૫. પશુઓ હોય તો પશુઓ માટે. દરેક પશુ માટે રૂ।.૩૦૦/- માસિક (ત્રણ માસ માટે)
૧૬. ઇજા પામેલ વ્‍યકિતઓને  સરકારી દરવાખામાં દાખલ કરવા અંગે થયેલ ખર્ચ જેમકે બહારની દવાઓ ઓપરેશન કરવાનું થતુ હોય તો તે અંગેનું ખર્ચ જેમકે બહારથી અન્‍ય સાધનોના ખર્ચ. વિગેરે સરકારી હોસ્‍પીટલોના અધિકૃત તબીબી અધિકારીના પ્રિસ્‍ક્રિપ્‍શન મુજબ.
૧૭. અત્યાચારના ભોગ બનેલા કુટુંબોને ખેતીની જમીન આપવી. જે તે જગ્યાએ ખેતી અંગે ખરાબાની જમીન અથવા પંચાયતના તાબાની જમીન જે ઉપલબ્ધ હોય તેને ધ્યાને લઇ કુટુંબની લઘુતમ  જરૂરિયાત મુજબ ઓછામાં ઓછું એક એકર જમીન  દરેક કુટુંબને આપવા મહેસૂલ વિભાગ તથા સંબંધિત વિભાગના  પરામર્શમાં  નિયામકશ્રી, સમાજ કલ્‍યાણે કાર્યવાહી કરવી.
૧૮. બળાત્‍કારનો ભોગ બનેલ યુવતીના લગ્ન માટે સહાય. રૂ।.૫૦,૦૦૦/- લગ્‍ન કરનારા યુગલના સંયુકત નામે.
  • કાયદા અને નિયમો
  • માતા પિતા અને વરિષ્ઠ નાગરીકોના ભરણપોષણ અને કલ્યાણ બાબતના અધિનિયમ ૨૦૦૭
  • બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬
  • પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એકટ૧૯પ૮
  • ભિક્ષા પ્રતિબંધક ધારો૧૯પ૯
  • ધી ઓર્ફેનેજીસ એન્ડ અધર ચેરીટેબલ હોમ્સ (સુપરવીઝન એન્ડ કન્ટ્રોલ) એકટ૧૯૬૦
  • વિકલાંગ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ધારો૧૯૯પ અમલ ૧લી જાન્યુઆરી, ૧૯૯૬થી
  • જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટ ર૦૦૦
  • આર. સી. આઇ. એકટ ૧૯૯૨
  • નેશનલ ટ્રસ્ટ એકટ ૧૯૯૯
  • નાગરિક હક્ક રક્ષણ ધારો,૧૯૫૫
  • અત્યાચાર નિવારણ ધારો, ૧૯૮૯
અમારા વિશે
પ્રસ્તાવના
પ્રવૃતિઓ
વહીવટી માળખું
સમાચાર
ફોટો ગેલેરી
નીતિ
કાયદા અને નિયમો
ઠરાવો
પરિપત્રો
કાર્યવાહી નોંધ
અધિસુચના
ભરતી નિયમો
અન્ય
યોજનાઓ
ખાતાના વડાઓ/ બોર્ડ/ નિગમો
ખાસ અંગભૂત યોજના
રોસ્‍ટર પદ્ધતિ
પબ્લિકેશન
હું આપને મદદ કરી શકુ?
માહિતી મેળવવાનો અધિકાર
પ્રશ્નોત્તર
સંબંધિત લિન્કસ્
અભિપ્રાય
સફળતા
India Code
Gujarat Portal
India Govt.
Digi Locker
Track child
Digital India
CEO Gujarat
©2021 સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર
સાઈટમેપગોપનીયતા નીતિHyperlinking PolicyCopyrightડિસ્ક્લેમરTerms & Conditions
મુલાકાતીઓ
3843303
છેલ્લે થયેલ સુધારો
27 મે 2025
સંપર્ક માહિતી
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
બ્લોક નંબર -૫ , ૮ મો માળ, સચિવાલય,
ગાંધીનગર, ગુજરાત (ઇન્ડિયા)
ફેક્સ
+91 79 23254817
Website
www.sje.gujarat.gov.in
esamajkalyan
.