ક્રમ | ગુનાનું નામ | રાહતની ન્યુનતમ રકમ. |
૧. | અખાદ્ય અથવા હાનીકારક પદાર્થ – પીણું ખાવા પીવા બાબત.
( કલમ - ૩(૧)(૧) | અત્યાચારનો ભોગ બનેલી દરેક વ્યકિતને ગુનાના પ્રકાર અને ગંભીરતાના આધારે તેને સહન કરેલ, અનાદર અપમાન ઇજા અને બદનક્ષીનાં પ્રમાણમાં રૂ।.૨૫,૦૦૦/- કે તેથી વધુની ચુકવણી નીચે પ્રમાણે કરવી (૧) અદાલતમાં તહોમતનામું રજુ કરવામાં આવે ત્યારે ૨૫ ટકા (૨) નીચલી અદાલત દ્વારા આરોપીને દોષિત ઠરાવવામાં આવે ત્યારે ૭૫ ટકા. |
૨. | ઈજા અપમાન અથવા પજવણી થવા બાબત. કલમ-૩(૧) (૨) | - |
૩. | માન હાનિ કરનાર કૃત્ય.
કલમ-૩(૧) (૩) | - |
૪. | ગેરકાયદે જમીનનો ભોગવટો અથવા ખેતી વગેરે.
કલમ-૩(૧) (૪) | ગુનાના પ્રકાર અને ગંભીરતાના આધારે ઓછામાં ઓછું રૂ।. ૨૫,૦૦૦/- કે તેથી વધુ જમીન – જગ્યા – પાણી પુરવઠો જરૂરી હોય ત્યાં સરકારી ખર્ચે પુર્વવત કરવાનાં રહેશે. અદાલતમાં તહોમતનામું રજુ કરવામાં આવે ત્યારે સંપૂર્ણ ચુકવણી કરવાની રહેશે. |
૫. | જમીન, જગ્યા અને પાણી સબંધિત.
કલમ-૩(૧) (૫) | - |
૬. | વેઠ, બળજબરી પૂર્વકની કે બંધન યુક્ત મજુરી.
કલમ-૩(૧) (૬) | ભોગ બનેલ પ્રત્યેક વ્યકિતને ઓછામાં ઓછુંરૂ।. ૨૫,૦૦૦/- પ્રથમ માહિતી અહેવાલના તબક્કે ૨૫ ટકા અને નીચલી અદાલતમાં ગુનો સાબિત થતાં ૭૫ ટકાની રકમની ચુકવણી. |
૭. | મતાધીકાર સંબંધી.
કલમ-૩(૧) (૭) | ગુનાના પ્રકાર અને તેની ગંભીરતાના આધારે ભોગ બનેલ પ્રત્યેક વ્યકિતને રૂ।.૨૦,૦૦૦/- સુધી. |
૮. | ખોટી દ્વેષપૂર્ણ અથવા પરેશાનીભરી કાનુની કાર્યવાહી.
કલમ-૩(૧) (૮) | આરોપીનો મુકદમો પૂરો થયા બાદ રૂ।.૨૫,૦૦૦/- અથવા કાનુની કાર્યવાહી માટે થયેલ ખરેખર ખર્ચ અને નુકશાનીની ભરપાઇ એ પૈકી જે ઓછું હોય તે. |
૯. | ખોટી અને ક્ષુલ્લક માહિતી
કલમ-૩(૧) (૯) | આરોપીનો મુકદ્દમો પૂરો થયા બાદ રૂ।. ૨૫,૦૦૦/- અથવા કાનુની કાર્યવાહી માટે થયેલ ખરેખર ખર્ચ અને નુકસાનીની ભરપાઇ એ પૈકી જે ઓછું હોય તે. |
૧૦. | અપમાન, ધાક ધમકી અને માનભંગ.
કલમ-૩(૧) (૧૦) | ગુનાના પ્રકારના આધારે ભોગ બનેલ પ્રત્યેક વ્યકિતને રૂ।.૨૫,૦૦૦/- સુધી અદાલતને તહોમતનામુ રજુ કરવામાં આવે ત્યારે ૨૫ ટકા રકમ અને ગુનો સાબિત થતાં બાકીની રકમની ચુકવણી. |
૧૧. | સ્ત્રીનો શીલભંગ.
કલમ-૩(૧) (૧૧) | ગુનાનો ભોગ બનેલ દરેક વ્યકિતને રૂ।.૫૦,૦૦૦/- ૫૦ ટકા રકમ તબીબી પરીક્ષણ થયા પછી અને બાકીની ૫૦ ટકા રકમ મુકદમો પૂરો થયે ચુકવણી. |
૧૨. | સ્ત્રીનું જાતિય શોક્ષણ
કલમ-૩(૧) (૧૨) | - |
૧૩. | પાણી ગંદુ કરવું.
કલમ-૩(૧) (૧૩) | રૂ।.૧,૦૦,૦૦૦/- સુધી અથવા પાણી ગંદુ કરવામાં આવ્યુ હોય તેવા સંજોગોમાં તે શુદ્ધ કરવા સહિતની સામાન્ય સવલત પૂર્વવત કરવા માટેનું પૂરેપૂરૂ ખર્ચ, જિલ્લા વહીવટી તંત્ર. જેને ઉચિત જણાય તે તબક્કે ચુકવણી કરી શકશે. |
૧૪. | પરંપરાગત માર્ગાધિકારનો ઇન્કાર.
કલમ-૩(૧) (૧૪) | રૂ।.૧,૦૦,૦૦૦/- સુધી અથવા માર્ગાધિકાર પાછો મેળવવા અંગેનું પુરૂ ખર્ચ અને જો કોઇ નુકશાન થયુ હોય તો તે પેટે પૂરૂ વળતર અદાલતમાં તહોમતનામું રજુ કરવામાં આવે ત્યારે ૫૦ ટકા રકમની ચુકવણી. |
૧૫. | રહેઠાણો તારાજ કરવા.
કલમ-૩(૧) (૧૫) | ભોગ બનેલ દરેક વ્યકિતને જગ્યાની ફેર સોંપણી તેના રહેવાના હક્કનું પુનઃસ્થાપન અને રૂ।.૨૫,૦૦૦/- નું વળતર અને મકાન તારાજ કરવામાં આવ્યુ હોય તો સરકારી ખર્ચે તેનું પુનઃબાંધકામ નીચલી અદાલતમાં તહોમતનામું રજૂ કરવામાં આવે ત્યારે સંપૂર્ણ રકમ ચુકવવાની રહેશે. |
૧૬. | ખોટા પુરાવા આપવા.
કલમ-૩(૨) (૧) અને (૨) | ઓછામાં ઓછું રૂ।.૧,૦૦,૦૦૦/- અથવા થયેલ નુકશાન અથવા હાનિ માટે પૂરૂ વળતર. ૫૦ ટકા રકમ અદાલતમાં તહોમતનામું રજૂ કરવામાં આવે ત્યારે અને ૫૦ ટકા રકમ નીચલી અદાલતમાં ગુના સાબિત થતાં ચુકવવાની રહેશે. |
૧૭. | ભારતિય દંડ સંહિતા હેઠળ ૧૦ વર્ષ કે તેથી વધુ મુદત માટેની કેદની સજા કરવા પાત્ર ગુના કરવા.
કલમ-૩(૨) (૫) | ભોગ બનેલ દરેક વ્યકિતને અને / અથવા તેનાં આશ્રિતોને ગુનાના પ્રકાર અને ગંભીરતાનાં આધારે ઓછામાં ઓછું રૂ।.૫૦,૦૦૦/- અનુસૂચિમાં ઓછું અન્યથા નિર્દિષ્ટ રીતે જોગવાઇ કરવામાં આવી હોય તો રકમમાં ફેરફાર થશે. |
૧૮. | રાજયસેવાનાં કર્મચારી પક્ષે કિન્નાખોરી.
કલમ-૩(૨) (૮) | થયેલ હાનિ અથવા નુકશાન કે ઇજા અંગે પૂરૂ વળતર. ૫૦ ટકા રકમ અદાલતમાં તહોમતનામું રજુ કરવામાં આવે ત્યારે અને ૫૦ ટકા રકમ નીચેની અદાલતમાં ગુનો સાબિત થતાં ચુકવવાની રહેશે. |
૧૯. | અશકતતા, શારીરિક અને માનસીક અશકતતાની વ્યાખ્યા.
ભારત સરકારના કલ્યાણ મંત્રાલયનાં તા.૬-૮-૧૯૮૬નાં વખતો વખત સુધાર્યા પ્રમાણેનાં જાહેરનામાં નં. ૪-૨ ! ૮૩ એચ ડબલ્યુ-૩ માં આપવામાં આવી છે.
જાહેર નામાની કલમ જોડાણ-૨ માં આપી.
(ક) ૧૦૦ ટકા અશકતા
(૧) પરિવારના બીનકમાઉ સભ્ય. (૨) પરિવારના કમાઉ સભ્ય. (ખ) ૧૦૦ ટકા કરતાં ઓછી અશક્તતા. | ગુનાનો ભોગ બનેલ દરેક વ્યકિતને ઓછામાં ઓછું રૂ।. ૧,૦૦,૦૦૦/- , ૫૦ ટકા રકમ પ્રથમ માહિતી અહેવાલ વખતે ૨૫ રકમ તહોમતનામા વખતે અને ૨૫ ટકા રકમ નીચલી અદાલતમાં ગુના – સાબિત થતા. ગુનાનો ભોગ બનેલ દરેક વ્યકિતને ઓછામાં ઓછું રૂ।. ૨,૦૦,૦૦૦/-, ૫૦ ટકા રકમ પ્રથમ માહિતી અહેવાલ તબીબી પરીક્ષણના તબક્કે, ૨૫ ટકા રકમ અદાલતમાં તહશોમતનામું રજુ કરવામાં આવે ત્યારે ૨૫ ટકા રકમ, નીચલી અદાલતમાં ગુનો સાબિત થતાં ચુકવવાની રહેશે. ઉપર ક(૧) અને (૨) માં ઠરાવેલ દરો અનુરૂપ પ્રમાણમાં ઘટાડવાના રહેશે. જયારે ચુકવણીના તબક્કા તેજ રહેશે. આમ છતાં પરિવારના બીન કમાઉ સભ્ય માટે ઓછામાં ઓછું રૂ।.૧૫,૦૦૦/-, અને કમાઉ સભ્ય માટે ઓછામાં રૂ।. ૩૦,૦૦૦/- ની રાહત રહેશે. |
૨૦. | ખૂન – મૃત્યુ.
(ક) પરિવારના બિન કમાઉ સભ્ય. (ખ) પરિવારનાં કમાઉ સભ્ય. | દરેક કેસમાં ઓછામાં ઓછું રૂ।.૧,૦૦,૦૦૦/- શબ પરીક્ષણ ૭૫ ટકા રકમ અને નીચલી અદાલતમાં ગુનો સાબિત થતાં ૨૫ ટકા રકમની ચુકવણી. દરેક કેસમાં ઓછામાં રૂ।.૨,૦૦,૦૦૦/- શબ પરિક્ષણ પછી ૭૫ ટકા રકમ અને નિચલી અદાલતમાં ગુનો સાબિત થતાં ૨૫ ટકા રકમની ચુકવણી. |
૨૧. | ખૂન, મૃત્યુ, કત્લેઆમ, બળાત્કાર, સામૂહિક બળાત્કાર અને ગેંગ બળાત્કાર કાયમી અશકતતા અને લૂંટનો ભોગ બનેલ વ્યકિત. | ઉપર્યુંકત બાબતો અન્વયે ચૂકવેલ રાહત રકમ ઉપરાંત અત્યાચારની તારીખથી ત્રણ મહિનામાં નીચે જણાવ્યા પ્રમાણે રાહત માટેની વ્યવસ્થા કરવી.
(૧) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિની મૃત વ્યક્તિની વિધવા અને અથવા અન્ય આશ્રિતો દરેકને માસિક રૂ।.૧,૦૦૦/- ના દરે પેન્શન અથવા મૃતકના પરિવારના એક સભ્યને રોજગાર અથવા જરૂર જણાયતો તાત્કાલીક ખરિદી કરીને પણ ખેતીની જમીન, મકાનની જોગવાઇ.
(૨) ભોગ બનેલા વ્યકિતના બાળકોનાં શિક્ષણ અને નિર્વાહનું પુરૂ ખર્ચ. બાળકોને આશ્રમશાળાઓ / નિવાસી શાળાઓમાં દાખલ કરી શકાય.
(૩) ત્રણ મહિનાના સમયગાળા માટે વાસણો ચાખા, ઘઉં, દાળ, કઠોળ વગેરેની જોગવાઇ. |
૨૨. | સંપૂર્ણ પણે તોડી પાડેલા / બાળી નાંખેલા ઘર. | ઘરો બાળી નાંખવામાં કે તોડી પાડવામાં આવ્યા હોય તો સરકારના ખર્ચે ઇંટ – પથ્થરના ચણતરવાળા ઘરો બાંધવા કે પુરા પાડવાં. |