મુખ્ય માહિતી વાંચોમુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
Home
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
ગુજરાત સરકાર
ફોર્મપ્રશ્નોત્તર અભિપ્રાય સાઈટમેપ માહિતી મેળવવાનો અધિકાર
  • મુખ્‍ય પૃષ્ઠ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • હેતુઓ
    • સિઘ્ધીઓ
    • વહીવટી માળખું
    • ઠરાવો
    • મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ અને નિયમ
    • કાર્યવાહી નોંધ
    • મીડિયા
  • યોજનાઓ
  • કાર્યક્રમ
  • ધિરાણ કોણ મેળવી શકે ?
  • લાભાર્થીઓ
  • સંપર્ક કરો
  • હોમ
  • અમારા વિશે
  • હેતુઓ

હેતુઓ

  • પ્રિન્ટ
  • શેર કરો
  • ઉદ્દેશ:
    'ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ્નો ઉદ્દેશ રાજ્યમાં વસેલા સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને તેમના પરંપરાગત અસ્વચ્છ વ્યવસાયમાંથી મુકિત અપાવી તેઓ અને તેમના આશ્રિતો ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે જરૂરી લોન-ધિરાણ/સહાય પૂરી પાડી તેમનું પુનઃસ્થાપન કરવાનો છે.
  • ધિરાણ કોણ મેળવી શકે ?
  • સફાઇ કામદાર એટલે કે જેઓ હાથથી મેલું ઉપાડવાની કામગીરીમાં પૂરા અથવા અંશકાલીન સમય માટે રોકાયેલી વ્યક્તિ અને તેમના આશ્રિતો કે જેમને રાષ્ટ્રીય સફાઇ કમદાર મુક્તિ અને પુનઃસ્થાપન યોજના હેઠળ અથવા કોઇ મોજણીમાં તે મુજબ મુકરર કરવામાં આવ્યા હોય.
  • અલબત્ત ગુજરાતમાં હાલ માથે મુલું ઉપાડવાની પ્રથા સદંતર બંધ છે.
  • સફાઇ કામદારોની નોંધાયેલ સહકારી મંડળી.
  • લલક્સ્યાંક જૂથ ધ્વારા રચવામાં આવેલ વૈધાનિક મંડળો/પેઢીઓ.આ અંગે કરવામાં આવેલી મોજણીમાં જેનો સમાવેશ થતો ન હોય પરંતુ વિવિધ સ્થળે અને કચેરીઓમાં સફાઇ કામદાર કે આશ્રિતના પ્રમાણપત્રના આધારે અસંગઠીત ક્ષેત્રે કામ કરતા સફાઇ કામદારો કે તેમના આશ્રિતો.
  • ધિરાણ મેળવવા માટે કોઇ આવક મર્યાદા નથી. આમ છતાં અન્ય તમામ બાબતો સરખી હોય તો નિગમ ગરીબી રેખાથી નીચેના સફાઇ કામદાર, વિધવા મહિલાઓ, 'અશક્ત/અપંગ વ્યક્તિઓને અગ્રતા આપશે.

'બી.સી.એ.સ.આર,/જી.સી.એસ.આર. માં કુટુંબની જે વ્યાખ્યા આપવામાં આવેલ છે, તે પ્રમાણે (માતા/પિતા/પતિના આશ્રિત ) આશ્રિત ગણવા, અને માતા પિતા બંને હયાત ન હોય તેવા કિસ્સામાં દાદા, દાદી કે મોટા ભાઇના આશ્રિત અને સાથે રહેતા હોય તેવા અરજદારો જ માન્ય રાખવાપાત્ર ગણાશે

ક્રમ વિસ્‍તાર સફાઈ કર્મચારીનો દાખલો આપવા માટે નિયત કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો હોદ્રો
૧ મહાનગરપાલિકા વિસ્‍તારમાં ફરજ બજાવતા સફાઈ કામદારો માટે. સબંધિત મહાનગરપાલિકાના ગેઝેટેડ ઓફિસર સમકક્ષથી નીચેના કક્ષાના ન હોય તેવા અધિકારી
૨ નગરપાલિકા વિસ્‍તારમાં ફરજ બજાવતા સફાઈ કામદારો માટે. ચીફ ઓફિસર
૩ નગરપાલિકા બરો વિસ્‍તારમાં ફરજ બજાવતા સફાઈ કામદારો માટે.. ચીફ ઓફિસર
૪ ગ્રામ્‍ય વિસ્‍તારમાં ફરજ બજાવતાં સફાઈ કામદારો માટે.. તલાટી-કમ-મંત્રીશ્રીના પ્રમાણપત્ર ઉપર તાલુકા વિકાસ અધિકારીની અથવા મામલતદારની પ્રતિ સહી (કાઉન્‍ટર સહી)
૫ સરકારી/અર્ધસરકારી અને કેન્‍દ્ર સરકારની કચેરીમાં સફાઈ કામદારો માટે.. કચેરીના વડા અથવા જે તે કચેરીના ગેઝેટેડ ઓફિસરની નીચેની કક્ષાના ન હોય તેવા અધિકારી
૬ ખાનગી હોસ્‍પિટલ, હોટલો, રેસ્‍ટોરન્‍ટ વગેરેમાં સફાઈનું કામ કરતાં સફાઈ કામદારો માટે. જે તે નોકરી દાતા દ્ધારા અપાયેલ પ્રમાણપત્રમાં ઉપર જણાવેલ ક્રમ ૧ થી ૪ મુજબ વિસ્‍તારને અનુલક્ષીને સબંધિત અધિકારી અથવા રાજપત્રીય મહેસુલી અધિકારી દ્ધારા પ્રતિ સહી (કાઉન્‍ટર સહી) કરેલ પ્રમાણપત્ર.
૭ સોસાયટી/મહોલ્‍લામાં સફાઈનું કામ કરતાં સફાઈ કામદારો માટે.
૮ ખાનગી કોન્‍ટ્રાકટરો દ્ધારા રોકવામાં આવેલ સફાઈ કામદારો માટે..
૯ અન્‍ય જગ્‍યાએ કામ કરતાં સફાઈ કામદારો માટે..
  • (૧) ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમમાં હાલમાં કાર્યરત યોજનાઓની માહિતી
  • રાજ્ય સરકાર પુરસ્કૃત યોજનાઓ:
  • સીધા ધિરાણ યોજના:
  • રાજ્ય સરકાર દ્વારા સફાઇ કામદાર અને તેમના આશ્રિતોને આવક ઉપાર્જન અર્થે સ્વરોજગારી માટે વિવિધ યોજનાઓ હેઠળ ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમને લોન આપવામાં આવે છે.
  • ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર રાષ્ટ્રીય સફાઇ કર્મચારી નાણાં અને વિકાસ |નિગમ,નવી દિલ્હીની સ્ટેટ ચેનેલાઇઝીંગ એજન્સી (56) તરીકે કાર્યરત છે.
  • ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વરા મહિલા સમૃધ્ધિ યોજના, માઇક્રો કેડિટફાઇનાન્સ યોજના, મહિલા અધિકારીતા યોજના.વ્યક્તિગત લોન યોજના અને જનરલ ટર્મ લોન(ધંધા/વ્યવસાય/વાહન) વગેરે હેઠળ જુદા જુદા ધંધા અને વ્યવસાયો જેવા કે, વાંસકામ,પશુપાલન, ઝેરોક્ષ, મંડપ ડેકોરેશન, સાઇકલ સ્ટોર, વિડયોગરાફ, ફોટોગ્રાફી, રેડીમેઇડ કાપડની દુકાન, વાસણની દુકાન, કોમપ્યુટર,જીપ-ટકષી, ટ્રેક્ટર વીથ ટ્રોલી, ઓટો રીક્ષા(પેટ્રોલડિઝલ અને'સી.એન.જી.), મ્યુઝિક બેન્ડ, ઇલેક્ટ્રીક રીપેરીંગની દુકાન,દરજીકામની દુકાન, ફેબ્રીકેશન યુનિટ,ઓટોમોબાઇલ રીપેરીગ,ભંગાર, વેક્યુમ લોડર અને અન્ય નાના ઉધોગો માટે સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને પુનઃસ્થાપન માટે વ્યક્તિગત ગ. ૧.૦૦,૦૦૦/- થી ગ્ર. ૧૫,૦૦,૦૦૦/- સુધીની લોન/ ધિરાણ ૪ થી ૬ ટકાના વ્યાજદરે આપવામાં આવે છે.
  • રાજ્ય સરકારની સીધા ધિરાણની યોજનાઓ :
  • પુજ્ય ઠક્કરબાપા સફાઇ કામદાર પુન: સ્થાપન યોજના:
  • સફાઇ કામદારો અને તેમના આશ્રિતોના પુન: સ્થાપનના હેતુસર રાજ્ય સરકાર દ્વારા અમલી આ યોજના હેઠળ કરેલ જોગવાઇમાંથી નિયત કરવામાં આવેલ યુનિટ કોસ્ટની મર્યાદામાં રહીને નિગમદ્વરા ઓછામાં ઓછા રૂ. ૧૦,૦૦૦/- અને વધુમાં વધુ ગ્ર. ૭૫,૦૦૦/- સુધી લાભાર્થીઓને નીચે મુજબ સબસીડી આપવામાં આવે છે. |
  • સીધા ધિરાણના લાભાર્થીઓને લાભાર્થીનાં ફાળાની ૧૦ % માર્જીનમની રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
ક્રમ યોજનાનું નામ લોનની રકમ અને વ્યાજદર
૧ મહિલા સમૃધ્ધિ યોજના : રૂા. ૧,૦૦,૦૦૦/- લોન, વ્યાજ દર ૪%,
૨ માઇક્રો ક્રેડીટ ફાઇનાન્સ યોજના. : રૂા. ૧,૦૦,૦૦૦/- લોન, વ્યાજ દર ૫%,
૩ મહિલા અધિકારીતા યોજના : રૂા. ૨,૦૦,૦૦૦/- લોન, વ્યાજ દર ૫%
૪ વ્યક્તિગત લોન યોજના : રૂા. ૨,૦૦,૦૦૦/- લોન, વ્યાજ દર ૬% |
૪ ટમે લોન યોજના
(ધંધા/વ્યવસાય/વાહન)
: રૂા. ૨,૦૦,૦૦૦/- થી ગ્ર. ૧૫,૦૦,૦૦૦/- સુધી લોન, વ્યાજ દર ૬%
૧ શૈક્ષણિક લોન યોજના. : ભારતમાં અભ્યાસ માટે રૂા. ૧૦.૦૦ લાખ વ્યાજ દર વિધાર્થીઓ માટે ૬% અને વિધાર્થીનીઓ માટે ૫.૫% અને વિદેશમાં અભ્યાસ માટે રૂા. ૨૦.૦૦ લાખ લોન, વ્યાજ દર વિધાર્થીઓ માટે ૭% અને વિધાર્થીનીઓ માટે ૬.૫%
ક્રમ લોનની રકમસબસીડી સબસીડીની મર્યાદા
૧ રૂ. ૨૫,૦૦૦/- સુર્ધી૫૦%રૂ. ૧૦,૦૦૦/-
૨ રૂ. ૨૫,૦૦૧/- થી રૂ. ૫૦,૦૦૦/-૪૦%.રૂ. ૨૦,૦૦૦/-(ઓછામાં ઓછા રૂ. ૧૦,૦૦૦/-)
૩ રૂ. ૫૦,૦૦૧/- થી રૂ. ૧,૦૦,૦૦૦/-૩૦%રૂ. ૩૦,૦૦૦/-(ઓછામાં ઓછા રૂ. ૨૦,૦૦૦/-)
૪ રૂ ૧,૦૦,૦૦૧/- ર,૦૦,૦૦૦/-૨૦%.રૂ. ૪૦,૦૦૦/-(ઓછામાં ઓછા રૂ. ૩૦,૦૦૦/-)
૫ રૂ. ૨,૦૦,૦૦૧/- ૧૫,૦૦,૦૦૦/-૧૫%..રૂ. ૭૫,૦૦૦/-(ઓછામાં ઓછા રૂ. ૪૦,૦૦૦/-)
  • લાભાર્થી દ્વારા નિયમિત રીતે સમયમર્યાદામાં લોનની પરત ચૂકવણી કર્યેથી ઉપર મુજબની નિયત થયેલ સબસીડી મળવાપાત્ર થાય છે
  • સીધા ધિરાણના લાભાર્થીઓને લાભાર્થીનાં ફાળાની ૧૦ % માર્જીનમની રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
  • ર્ડા. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના :
  • રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસોપુરા પાડવા ડા. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
  • આ યોજના હેઠળ રૂા ૧,૭૦,,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.
  • સ્થાનિક સ્વરાજની સંસ્થાના સફાઇ કામદારો કે તેઓના આશ્રિતોને વ્યક્તિગત રૂા ૬૦,૦૦૦/- બિન વ્યાજકીય લોન શહેરી વિસ્તાર માટે અને ગ્રામ્ય વિસ્તારમાં રૂા ૩૦,૦૦૦/- ની લોન આપવાની જોગવાઇ છે.
  • મકાનના બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂા ૧૧,૭૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂા ૯,૦૦,૦૦૦/- નિયત કરેલ છે.
  • બિનવ્યાજકીય લોનની વસુલાત મહાનગરપાલિકા/નગરપાલિકાએ કર્મચારીઓના પગારમાંથી દર માસે રૂા. ૫૦૦/- અને રૂા. ૨૫૦/- નો એક એવાં ૧૨૦ હપ્તામાં કરીને તેની નિયમિત ચૂકવણી નિગમને કરવાની રહે છે.
  • સફાઇ કામદારો માટે જુથ જનતા અકસ્માત વીમા કવચ યોજના :
  • ગુજરાત સરકાર દ્વારા જુથ જનતા અકસ્માત વીમા કવચ યોજના હેઠળ રાજ્યના સંગઠિત અનેઅસંગઠિત ક્ષેત્રોના સફાઇ કામદારનું ફરજ દરમ્યાન આકસ્મિક મૃતયુ થાય તો ૪.૦૦ લાખનુંવીમા કવચ પુરું પાડવામાં આવે છે. જેની વીમા નિયામકશ્રી તરફથી ચુકવણી કરવામાં આવે છે.
  • વધુમાં, સફાઇ કામદારનું ગટર સફાઇની કામ્ગીરી દરમ્યાન ઝેરી ગેસ ગળતર થવાથી ગટરમાંગુંગળામણથી મૃત્યુ થાય તો ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ,ગાંધીનગર તરફથી મૃતકના વારસદારને સફાઇ કામદાર કુટુંબ/આશ્રિતના પુનર્વસન માટે રૂ ૨.૦૦ લાખની સહાય આપવામાં આવે છે.
  • ' ધોરણ ૧૦/૧૨ ની પરીક્ષામાં ઉચ્ચક્રમથી પાસ થયેલ સફાઇ કામદારના બાળકોને ઇનામ/પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરવા અંગેની યોજના :
  • સફાઇ કામદારો અને તેઓના આશ્રિતોના બાળકોના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથીસફાઇ કામદારોના બાળકો પૈકીના ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ ( સામાન્‍ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ) ની બોર્ડની પરીક્ષામા સમગ રાજ્યમાં પ્રથમ,દવિતિય અને તૃતિય કરમ મેળવેલ બાળકોને પ્રોત્સાહન રૂપે નીચે મુજબ રોકડ રકમ અને પ્રશસ્તિપત્ર આપવાની યોજના વર્ષ ૨૦૧૨-૧૩ થી શરૂ કરવામાં આવી છે.
વિગતધોરણ ૧૦ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહ)
પ્રથમ ક્રમરૂ. ૪૧,૦૦૦/-રૂ. ૩૧,૦૦૦/-
બીજો ક્રમરૂ. ૨૧,૦૦૦/-રૂ. ૨૧,૦૦૦/-
ત્રીજો ક્રમરૂ. ૧૧,૦૦૦/-રૂ. ૧૧,૦૦૦/-
  • છૂટક ગટર સફાઇનું કામ કરતાં રોજમદાર સફાઇ કામદારોને ડિઝલ મશીન તેમજ સલામતીના સાઘનો પુરા પાડવાની યોજના :
  • આ યોજના અંતર્ગત રાજયમાં મહાનગર પાલિકા/નગરપાલિકા/ગ્રામ પંચાયતોમાં છૂટક સફાઇનું કામ કરતાં રોજમદારોને ગટરની સફાઇ કરવા માટે ડિઝલ મશીન, લોડીંગ સાઇકલ, પાઇપ તેમજ સલામતીનાં સાધનો સહિતની ખરીદી માટે ગ. ૫૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
  • ગટર ગૂંગળામણને કારણે મૃત્યુ પામેલ સફાઇ કામદારના આશ્રિત બાળકોને શિષ્યવૃત્તિ આપવા અંગેની યોજના.
  • નામદાર સુપ્રિમકોર્ટના તા. ૨૦/૧૦/૨૦૨૩ ના ચૂકાદા અન્વયે રાજયમાં ગટર સફાઇની કામગીરી દરમ્યાન ઝેરી ગેસ ગળતર થવાથી ગૂંગળામણથીને કારણે મૃત્યુ પામેલ સફાઇ કામદારના આશ્રિત બાળકોને સરકારશ્રી દ્વારા આપવામાં આવતી અન્ય શિષ્યવૃતિ યોજના ઉપરાંત માસિક રૂ. ૩,૦૦૦/- લેખે શિષ્યવૃત્તિ આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનાનો લાભ જે સફાઇ કામદારનું મૃત્યુ ગટર સફાઇની કામગીરી દરમ્યાન ઝેરી ગેસ ગળતર થવાથી ગૂંગળામણથી થયેલ હોઇ, તેમના તમામ આશ્રિત બાળકોને મળવાપાત્ર છે. સદરહુ યોજનાનો લાભ ધોરણ-૧ થી લઇને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતાં વિધાર્થી/વિધાર્થીનીને આપવામાં આવશે. |
  • બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સબસીડી આપવા અંગેની યોજના :
  • ભારત દેશમાં અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બેંકમાંથી લીધેલ લોન પર.ગ્ર.૨૫,૦૦,૦૦૦/- લાખ સુધીની મર્યાદામાં ૬ ટકા લેખે મહત્તમ વાર્ષિક રૂ. ૧,૫૦,૦૦૦/- વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે વિધાર્થીએ ધોરણ-૧૨ માં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇએ.
  • સ્વરોજગાર માટે બેંકમાંથી લીધેલ લોન પર રૂ. ૧૦,૦૦,૦૦૦/- લાખ સુધીની મર્યાદામાં પુરૂષ લાભાર્થીને ૬% લેખે મહત્તમ વાર્ષિક ગ્ર. ૬૦,૦૦૦/- તેમજ મહિલા લાભાર્થીને ૭% લેખે મહત્તમ વાર્ષિક ગ. ૭૦,૦૦૦/- ની વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે. લાભાર્થીની ઉંમર ૨૧ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ.
  • ' પરિવહન અર્થે ધંધા/રોજગાર માટે ખરીદ કરેલ વાહન માટે રૂ. ૫,૦૦,૦૦૦/- થી રૂ.૨૦,૦૦,૦૦૦/- લાખની મર્યાદામાં લીધેલ લોન પર લાભાર્થીને ૬% લેખે મહત્તમ વાર્ષિક રૂ.૧,૨૦,૦૦૦/- ની વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે. લાભાર્થીની ઉંમર ૨૧ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ. આ યોજના અંતર્ગત વ્યાજ સહાય મેળવનાર લાભાર્થી ધંધા/રોજગાર માટે ખરીદ કરેલ વાહન પાંચ વર્ષ સુધી વેચાણ કરી શકશે નહીં.
  • વ્યાજ સહાય સીધી જ લાભાર્થીના બચત ખાતામાં જમા કરવામાં આવશે
  • ઓનલાઇન સેવા
  • નિગમની તમામ યોજનાઓની લાભ આપવાની કામગીરી હાલમાં ઓનલાઇન esamajkalyan.gujarat.gov.in portal પરથી કરવામાં આવે છે. તેવી જ રીતે લોનની વસુલાતની કામગીરી માટે ઓફલાઇન અને ઓનલાઇન બંન્ને વ્યવસ્થા નિગમ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ છે
  • અમારા વિશે

  • પ્રસ્તાવના
  • હેતુઓ
  • સિઘ્ધીઓ
  • ઠરાવ
  • Manual Scavanger Act and Rule
  • વહીવટી માળખું
  • કાર્યવાહી નોંધ
  • મીડિયા
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Gujarat Portal
Digital India
PM Cares

અમારા વિશે

પ્રસ્તાવના
હેતુઓ
સિઘ્ધીઓ
વહીવટી માળખું
ઠરાવો
મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ અને નિયમ
કાર્યવાહી નોંધ
મીડિયા

યોજનાઓ

કાર્યક્રમ

ધિરાણ કોણ મેળવી શકે ?

લાભાર્થીઓ

ઉપયોગી લિન્કસ્

માહિતી મેળવવાનો અધિકાર
ફોર્મ
પ્રશ્નોત્તર
ફિડબેક
સાઈટમેપ

સંપર્ક

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ કર્મયોગી ભવન, બ્લોક નં-૧, બી-૧ શાખા, સેક્ટર ૧૦/એ, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૦૧૦.

ફોન

+૯૧ ૭૯ ૨૩૨૫૬૭૪૫

Go to Top
©2021 ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગુજરાત સરકાર
સાઈટમેપ
privacy-policy Hyperlinking Policy Copyright Policy Terms & Conditions([ciplresval:Terms & Conditions]) ડિસ્ક્લેમર  Web Information Manager

મુલાકાતીઓ

255459

છેલ્લે થયેલ સુધારો

29 નવે 2025

Accessibility options by UX4G

 
Created by logo