ગરીબી રેખા હેઠળ શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/- થી ઓછી આવક ધરાવતા અનુસૂચિત જાતિના વ્યકિતઓને ધંધા / વેપાર માટે મહત્તમ રૂ. ૧.૦૦ લાખ અને ઉધોગ / સેવા માટે મહત્તમ રૂ. ર.૦૦ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે. અને ધિરાણના પ૦ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/- ની મર્યાદામાં સબસીડી આપવામાં આવે છે. |
- અરજદાર અનુસૂચિત જાતિના વ્યક્તિ અને ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
- અરજદારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- અરજદાર બેરોજગાર તેમજ ધંધો કરવા શક્તિમાન હોવા જોઈએ અને કોઈ નાણાંકીય સંસ્થાના ડિફોલ્ટર ન હોવા જોઈએ.
- ગરીબી રેખા હેઠળ શહેરી વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- થી ઓછી આવક ધરાવતા હોવા જોઈએ.
- ધંધા વ્યાપાર માટે મહત્તમ રૂ. ૧.૦૦ લાખ અને ઉદ્યોગ સેવા માટે મહત્તમ રૂ. ૨.૦૦ લાખ સુધીના વ્યવસાય માટે ધિરાણ મળી શકે.
- અરજદારને ધિરાણના ૫૦% અથવા વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/- ની મર્યાદામાં ખાસ કેન્દ્રીય સહાય માંથી સબસીડી આપવામાં આવે છે.
- આ યોજનામાં પશુપાલન, રેડીમેટ ગારમેન્ટસ, કાપડફેરી, કરીયાણા, ભરત ગુંથણ, સીલાઇકામ, બ્યુટીપાર્લર, વાંસકામ, પાનબીડી, બુટચંપલની ફેરી, આર.સી.સી. સેન્ટરીંગ, સુથારીકામ, વિગેરે વ્યવસાયમાં ધિરાણ કરવામાં આવે છે.
|