- સીધા ધિરાણની યોજનાઓનો નિગમ દ્રારા અમલ કરવામાં આવે છે.
- આ યોજનાઓમાં વાહન યોજના, ડેરી યુનિટ, મહિલા સમૃધ્ધિ યોજના વગેરેમાં નિગમ ધ્વારા રાજ્ય કક્ષાના દૈનિક પેપરોમાં જાહેરાત આપી રાજ્યભરમાંથી અરજીઓ મેળવે છે.
- નિગમની જે તે જીલ્લા કચેરીઓ પ્રથમ તબક્કામાં મેળવેલ અરજીઓ નિયમ મુજબ ચકાસણી કરી, યોગ્ય લાભાર્થીઓની યાદી સ્થાનિક કક્ષાએ જીલ્લા પસંદગી સમિતિમાં યોગ્ય લાભાર્થીઓની પસંદગી કરે છે.
- જીલ્લા કક્ષાએથી પસંદગી પામેલ લાભાર્થીઓની રાજ્યકક્ષા લોન કમીટીમાં મંજુરી માટે રજુ કરવામાં આવે છે.
- તમામ પ્રક્રિયાને અંતે પસંદગી પામેલ લાભાર્થીઓને લોન એગ્રીમેન્ટ પુર્ણ કરનાર લાભાર્થીઓને ધિરાણ અને ત્યારબાદ વસુલાતની કામગીરી જીલ્લા કચેરીઓ કરે છે.
- જીલ્લા કચેરીઓ આ ધિરાણ મેળવેલ લાભાર્થીઓના વ્યક્તિગત ખાતાઓની નિભાવણી કરે છે.આજે રાજ્યભરમાં નિગમના કુલ ૫૭૦૦૦ થી વધુ લાભાર્થીઓના જીલ્લા કક્ષાએ વ્યક્તિગત ખાતાઓ નિભાવવામાં આવી રહ્યાં છે.
|