ક્રમ | અરજદારના પ્રશ્નો | પ્રશ્નોનુ નિરાકરણ |
---|
૧ | નિગમની રચના ક્યારે કરવામાં આવી ? | વિભાગના તા.૦૨/૦૨/૨૦૧૫ ના ઠરાવથી ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ, ગાંધીનગરની રચના કરવામાં આવી. |
૨ | નિગમના મુખ્ય ઉદેશો અને હેતુઓ ( કામગીરી) શુ છે? | - વિચરતી વિમુક્ત જાતિઓની સામાજીક, શૈક્ષણિક તથા આર્થિક સ્થિતિ સુધારણા અંગે જુદી જુદી યોજનાઓ તૈયાર કરવી, મંજુર કરાવવી અને અમલીકરણ માટે પગલાં લેવા તેમજ રોજગારીની વધુ તકો ઉભી કરવી/કરાવવી.
- વિચરતી વિમુક્ત જાતિના આર્થિક વિકાસ માટે તેઓના મૂળ વ્યવસાયોને અનુરૂપ ધંધા વિકાસની યોજનાઓ તૈયાર કરવી અને તે માટે નાણાકીય સંસ્થાઓ, રાષ્ટ્રીયકૃત બેંકો/ સહકારી બેંકો, રાજ્ય કે કેન્દ્ર સરકારના વિભાગો, ખાનગી કે સહકારી સંસ્થાઓ તેમજ વિવિધ એજન્સીઓના સહકારમાં કે સહયોગમાં યોજનાઓનો અમલ કરાવવો.
- વિચરતી વિમુક્ત જાતિના લોકો વ્યસન મુક્ત અને બચત પ્રવૃત્તિ વગેરે દ્વારા દેવા મુક્ત થાય તેવા પ્રયત્નો કરવા અને તે માટે જાગૃકતા શીબીરોનું આયોજન કરવું.
- વિચરતી વિમુક્ત જાતિઓના આર્થિક વિકાસ અંગે ઉપાર્જન થાય તેવી યોજનાઓ અને તે અંગેની તાલીમ આપવાના કાર્યક્રમો ગોઠવવા.
- વિચરતી વિમુક્ત જાતિના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક વિકાસ માટે આવશ્યક જણાય તે કાર્યવાહી હાથ ધરવી.
- આ નિગમ દ્વારા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના ફંડ માંથી સીધા ધિરાણની યોજના હેઠળ ધિરાણ આપવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે.
|
૩ | નિગમની યોજનાઓનો લાભ કયા કયા સમુદાયને મળે છે? | વિચરતી અને વિમુક્ત જાતિ સમુદાયોને લાભ આપવામાં આવે છે. જાતિઓની યાદી નિગમની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
(web site : https://sje.gujarat.gov.in/gntdnt/) |
૪ | નિગમ લાભાર્થીઓ પાસે કેવી રીતે પહોચે છે.? | નિગમની યોજનાઓનો લાભાર્થીઓને લાભ મળે તે માટે જિલ્લા કક્ષાએ જાગૃતિ શિબિર કરવામાં આવે છે, તથા સમાચાર પત્રોમાં જાહેરાત આપી ઓન લાઈન અરજી મંગાવવામાં આવે છે |
૫ | લોન માટે કયારે જાહેરાત આપવામાં આવે છે ? | રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય પછાત વર્ગ નાણા અને વિકાસ નિગમ, નવી દિલ્હી (NBCFDC) તરફથી ફંડ આપવામાં આવ્યા બાદ વાર્ષિક આયોજનને સરકારશ્રીમાંથી મંજુરી મળ્યેથી જાહેરાત આપવામાં આવે છે. |
૬ | લોન કોને કોને મળી શકે ? | સીધા ધિરાણ યોજના હેઠળ વિચરતી અને વિમુક્ત જાતિના અરજદારોને કે જેમની ઉંમર અરજીની તારીએ ૨૧ થી ૫૦ વર્ષની વચ્ચે હોય તથા કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની હોય. |
૭ | નિગમની યોજનાઓ કેટલી છે? કઇ કઈ છે. તેના ધોરણો શુ છે? કઇ કઇ યોજનાઓમાં કેટલી લોન મળે શકે ? | આ અંગેની વિગતો વેબસાઈટ પર યોજનાઓના પેજ પર આપેલ છે.
(web site : https://sje.gujarat.gov.in/gntdnt/) |
૮ | આ લોન મેળવવા કયા કયા દસ્તાવેજો રજુ કરવા પડે ? | આ લોન મેળવવા અરજદારે નીચે જણાવ્યા મુજબના દસ્તાવેજો આપવા જરૂરી છે. (૧) અરજદારના નામનો સક્ષમ સત્તાધિકારીશ્રીનો જાતિનો દાખલો. (૨) અરજદારના કુંટુંબની વાર્ષિક આવકનો સક્ષમ સત્તાધિકારીશ્રીનો દાખલો. (૩) ઉંમરના પુરાવા તરીકે શાળા છોડયાનું પ્રમાણપત્ર અથવા મેડીકલ ઓફીસરનો દાખલો. (૪) રેશનકાર્ડ અને ચુંટણીકાર્ડની પ્રમાણિત નકલ. (૫) અધાર કાર્ડની નકલ. (૬) કોટેશન નકલ. |
૯ | લોન અરજી કોણ મંજુર કરી શકે ? અને કેવી રીતે ? | લોન અરજી નિગમની લાભાર્થી પસંદગી સમિતિ દ્વારા મંજુર કરવામાં આવે છે જેના અધ્યક્ષ નિગમના અધ્યક્ષશ્રી હોય છે. શૈક્ષણિક લોન મંજૂર / ના મંજુર કરવાની સત્તા મેનેજિંગ ડિરેક્ટરશ્રી. ને છે. |
૧૦ | લાભાર્થી પસંદગી સમિતિ દ્વારા કયા ધોરણો/માપદંડો મુજબ અરજી મંજુર કરવામાં આવે છે ? લોન મંજુરીની પ્રક્રિયા શું છે ? | વિધવા/ત્યકતા મહિલા, વિકલાંગો અરજદારોને અગ્રીમતા આપવામાં આવે છે. અને જાહેરાતમાં દર્શાવવામાં આવેલ યુનિટની મર્યાદામાં દરેક જીલ્લાઓમાં જાતિઓની વસ્તીના પ્રમાણસર તેમજ ઉપલબ્ધ ફંડની મર્યાદામાં પ્રાથમિક મંજુરી આપવામાં આવે છે.
સૌ પ્રથમ અરજદારોની અરજીઓને જીલ્લા પ્રમાણે ગોઠવી, ક્ષતિરહિત અને ક્ષતિવાળી અરજીઓની યાદી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ લાભાર્થી પસંદગી સમિતિ સમક્ષ આ યાદી મુકવામાં આવે છે. લાભાર્થી પસંદગી સમિતિ દ્વારા પાત્રતાના માપદંડોને ધ્યાનમાં રાખીને અરજી મંજુર / ના મંજુર કરવામાં આવે છે. |
૧૧ | લાભાર્થી પસંદગી સમિતિ દ્વારા પ્રાથમિક મંજુરી આપ્યા બાદ અરજદારોને કયા દસ્તાવેજ/જામીનગીરી આપવાના હોય છે. | - રૂ. ૫૦/- નોટરાઈઝ સોગંદનામુ/ ઈ-સ્ટેમ્પીંગ અરજદારનું
- રૂ. ૫૦/- નોટરાઈઝ સોગંદનામુ/ ઈ-સ્ટેમ્પીંગ જામીનદારનું
- રૂ. ૬૫૧/- ના અધેશીવસ્ટેમ્પ (અધેશીવસ્ટેમ્પ લગાડ્યા પછી જ વિગતો ભરવી)
- આધાર સીડીંગ
- ૫/૧૦ સહી કરેલા કોરા ચેક
- બોજા નોંધ/ આકારણી/ વેરા પાવતી
- મિલકતના આધાર પુરાવા
- કોટેશન
- સંમતી પત્રક
|
૧૨ | આ લોનમાં સબસીડી આપવામાં આવે છે ? | આ નિગમની લોન ૪ થી ૬ ટકાના નજીવા વ્યાજદરે આપવામાં આવે છે. તેમા સબસીડી મળવાપાત્ર નથી. |
૧૩ | કેટલા હપ્તામાં લોન પુર્ણ કરવાની થાય છે ? | આ અંગેની વિગતો વેબસાઈટ પર યોજનાઓના પેજ પર આપેલ છે. |
૧૪ | લોનના હપ્તા કયાં અને કેવી રીતે ભરવાના હોય છે ? | નિયત કરવામાં આવેલ બેંકની શાખામાં નિગમ દ્વારા આપવામાં આવેલ બેંકબુકથી અથવા બેંકના પેમેન્ટ ગેટ વે દ્વારા લોનના હપ્તા ભરી શકાય છે. |
૧૫ | એક જ કુંટુંબમાંથી એક કરતાં વધુ વ્યકિતને લોન મળી શકે ? | જયા સુધી એક વ્યકિતની લોન પુરી ન થાય ત્યા સુધી કુટુંબની અન્ય વ્યકિતને લોન મળવાપાત્ર નથી. |
૧૬ | લોન ભરેલ હપ્તાની વિગતો જાણવા મળે? | નિગમની કચેરીએથી માહીતી મેળવી શકાય છે. |
૧૭ | અભ્યાસ ક્રમમાં મેનેજમેન્ટ ક્વોટામાં લોન મળવા પાત્ર છે? | ના, |
૧૮ | એડમીશન કમીટી ફોર પ્રોફેશન કોર્સીસ (ACPC) લેટર ફરજિયાત છે? | હા, |
૧૯ | લોન લેતી વખતે બેંક એકાઉન્ટ હોય તે બદલાઇ ગયુ હોય તો શુ કાર્યવાહી કરવાની થાય? | જુના એકાઉન્ટના ચેક પરત આપી નવા બેંક એકાઉન્ટના ચેક તથા પાસબુકની નકલ આપવાની રહે છે |
૨૦ | ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ અને વિકસતી જાતિ કલ્યાણના અન્ય નિગમમાંથી લોન મળી શકે? | ગમે તે એક જ નિગમમાંથી લોન મેળવી શકાય |
૨૧ | યોજનાનો લાભ લેવા જામીનગીરી આપવાની થાય છે.?
જામીનગીરીમાં શુ શુ આપવાનુ હોય છે.? | જામીનની વિગત | (૧) રૂ. ૩૦,૦૦૧/- થી રૂ.૧,૦૦,૦૦૦/- સુધીનુ ધિરાણ ફક્ત એક જામીન લેવા, જેમાં
- સરકારી / અર્ધ સરકારી કચેરીમાં નોકરી કરતા કર્મચારી અથવા
- ધિરાણની રકમથી દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ (સ્થાવર મિલકતના સંદર્ભમાં બોજા નોંધ કરાવવાની રહેશે.) અથવા
- જાત જામીન એટલે કે ધિરાણની રકમથી દોઢ ગણી રકમની પોતાની સ્થાવર મિલકત (બોજા નોંધ કરાવવાની રહેશે.)
- લાભાર્થીના પાંચ/દશ પોસ્ટ ડેટેડ ચેક લેવા અને લાભાર્થી ઈચ્છે તો તેમના પોતાના નામે અથવા વિક્રેતાના નામે એકાઉન્ટ પેઈ ક્રોસ ચેક આપવો.
(૨) રૂ.૧,૦૦,૦૦૦/- થી વધુ ધિરાણ બે જામીન લેવા, જેમા
- સરકારી / અર્ધ સરકારી કચેરીમાં નોકરી કરતા કર્મચારી અથવા
- ધિરાણની રકમથી દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ (સ્થાવર મિલકતના સંદર્ભમાં બોજા નોંધ કરાવવાની રહેશે.) અથવા
- લાભાર્થીના દશ પોસ્ટ ડેટેડ ચેક લેવા અને ધિરાણનો એકાઉન્ટ પેઈ ક્રોસ ચેક વિક્રેતાના નામે આપવો.
|
|
૨૬ | નિગમના કાર્યવાહક મંડળમાં કેટલા સરકારી અને બિન સરકારી સભ્યો છે.? | નિગમના કાર્યવાહક મંડળમાં ૮ બિન સરકારી અને ૭ સરકારી એમ કુલ ૧૫ સભ્યો છે. |