આ કાયદો તા.૭-૧૦-૨૦૦૮ થી અમલમાં આવેલ છે. કુટુંબથી તરછોડાયેલા માતા પિતા અને વરિષ્ટ નાગરિકો તેમના ભરણપોષણ માટે સંતાનો અને કુટુંબીજનો વિરુધ્ધ ટ્રિબ્યુનલ સમક્ષ ફરિયાદ કરી શકે છે. સબ ડીવીઝનલ મેજીસ્ટેટ(પ્રાંત અધિકારીશ્રી)ની ટ્રિબ્યુનલનાં વડા તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. તેઓ એ આપેલ ચુકાદાથી નારાજ થયેલ અરજદાર એપેલેટ ટ્રિબ્યુનલ(જીલ્લા કલેકટરશ્રી) સમક્ષ અપીલ કરી શકે છે. |