અનું નં | પ્રશ્ન | જવાબ |
૧ | ધી મેઇન્ટેનેન્સ એન્ડ વેલ્ફેર પેરેન્ટસ એન્ડ સીનીયર સીટીઝન એકટ-૨૦૦૭ શું છે? | (૧) ધી મેઇન્ટેનેન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટસ એન્ડ સીનીયર સીટીઝન એકટ ૨૦૦૭એ માતા પિતાના ભરણપોષણ તથા વરીષ્ઠ નાગરીકો અને કાયદાકીય જોગવાઇઓથી આરોગ્ય, રક્ષણ,સંભાળ વિગેરે(સામાજિક સુરક્ષા માટેની)ના હકકો આપતો કાયદો છે.
જેને ભારત સરકાર દ્રારા ૩૧મી ડીસેમ્બર ૨૦૦૭ના ગેઝેટથી અમલમાં મુકેલ છે.
(૨) રાજય સરકારનું દ્રારા આ કાયદાને તા.૭/૧૦/૦૮ના નોટીફીકેશન નં.G/L/9-2008/ VNP/ 102008/ CS-24/CHH થી રાજયમાં તા.૭/૧૦/૦૮થી અમલ કરવાનું ઠરાયેલ છે. |
૨ | આ કાયદા હેઠળ વરીષ્ઠ નાગરીકો અને માતાપિતાએ ભરણપોષણ મેળવવા શું કાર્યવાહી કરવાની છે. | આ કાયદા હેઠળ વરીષ્ઠ નાગરીકો અને માતા પિતાએ પોતાના એક કે તેથી વધુ પુખ્ત વયના સંતાનો તથા નજીકના સગાઓ ઉપર કાયદેસર ભરણપોષણ માટે માંગણી કરતી અરજી તેઓ જે સ્થળે નિવાસ કરતા હોય તે વિસ્તારના સબંધીત પ્રાંત અધિકારીને કરવાની રહે છે. |
૩ | આ અરજી કરવામાં તેઓને કોણ મદદરૂપ થઇ શકે છે | આ અરજી કરવામાં તેઓ જે જિલ્લામાં નિવાસ કરતા હોયતે જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારી ની મદદ મેળવી શકે છે.
રાજય સરકારશ્રી દ્રારા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને આ કાયદાના આ હેતુ માટે મેન્ટેનેન્સ ઓફીસર તરીકે નિમણુંક કરેલ છે.જેઓ આ કાયદાના હેતુસર વરીષ્ઠ નાગરીકો અને માતાપિતાની કે તેમના સાથે ટ્રીબ્યુનલ કે એપેલેટ સાંભળવાની ટ્રીબ્યુનલ સમક્ષ ઉપસ્થિત રહેશે. |
૪ | આ કાયદા હેઠળ સંતાનોની વ્યાખ્યામાં કોનો સમાવેશ છે. | આ કાયદા હેઠળ સંતાનોની વ્યાખ્યા પુત્ર,પુત્રી,પૌત્ર પૌત્રી નજીકના સગાઓનો સમાવેશ થાય છે.પરંતુ તેમાંથી કોઇ સગીર હોયતો તેનો સમાવેશ થતો નથી. |
૫ | આ કાયદામાં નિભાવ માટે કઇ બાબતનો સમાવેશ થાય છે. | નિભાવમાં ખોરાક,કપડાં,રહેઠાણ,તબીબી સારવારની જોગવાઇનો સમાવેશ કરાયેલ છે. |
૬ | મા-બાપ એટલે? | મા બાપ એટલે મા અથવા બાપ, જન્મદાતા કે દત્તક લેનાર કે સાવકા મા અથવા બાપ જે હોયતે, મા અથવા બાપ વરિષ્ઠ નાગરિક હોય કે ન હોય. |
૭ | સંતાનો પાસેથી ભરણપોષણ મેળવવા મા બાપે વરિષ્ઠ નાગરિક હોવું જરૂરી છે? | મા બાપ વરિષ્ઠ નાગરિક એટલે કે સાઠ વર્ષ કે તેથી વધુ ઉમરના હોવું જરૂરી નથી. |
૮ | આ કાયદામાં વરિષ્ઠ નાગરીકની શું વ્યાખ્યા છે? | વરિષ્ઠ નાગરીક એટલે સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરની ભારતીય નાગરીક હોય તેવી વ્યકિત |
૯ | આ કાયદામાં "કલ્યાણ”સબંધે શું અભિપ્રેત છે? | "કલ્યાણ”એટલે વરિષ્ઠ નાગરીકો માટે ખોરાક,તબીબી સંભાળ આનંદ પ્રમોદના કેન્દ્રો અને તેમાં જરૂરી હોય તેવી બીજી સગવડો હોવાનું અભિપ્રેત છે. |
૧૦ | આ કાયદા હેઠળ કોણ નિભાવ માટે અરજી કરી શકે છે? | વરિષ્ઠ નાગરીક,મા બાપ સહિત જેઓ પોતાની મિલ્કત અથવા કમાણીમાંથી પોતાનો નિભાવ કરવા અશકિતમાન હોય તેવા કાયદાની કલમ-૪ હેઠળ અરજી કરવા હકકદાર રહેશે.જે કિસ્સામાં - મા બાપ અથવા દાદા દાદી ,સગીર ન હોય તેવા કોઇ એક અથવા વધુ સંતાનો સામે
- નિ.સંતાન વરિષ્ઠ નાગરીકો કલમ-૨માં કલોઝ (જી) હેઠળના તેવા તેના સબંધી સામે
- સંતાનો અથવા સબંધી જે હોય તે, તેની તેવા નાગરીકની નિભાવ કરવાની કાયદાકીય ફરજ, વરિષ્ઠ નાગરીક તેની સર્વે સામાન્ય જીંદગી પસાર કરી શકે તેવી જરૂરીયાતો પુરી કરવાની રહેશે
- પોતાના મા અથવા બાપ અથવા બંન્ને સર્વે સામાન્ય જીંદગી પસાર કરી શકે તેવી જરૂરીયાતો પુરી પાડી તેમનો નિભાવ કરવો એ સંતાનોની કાયદાકીય ફરજ છે
- જે સબંધીને વરિષ્ઠ નાગરીકની મિલ્કત મળી હોય અથવા વારસામાં મળનાર હોય તેવા સબંધની જેની પાસે પુરતા (આવકના) સાધન ન હોય તેવા વરિષ્ઠ નાગરીકનો નિભાવ કરવાની કાયદાકીય ફરજ છે.સિવાય કે જયારે વરિષ્ઠ નાગરીકની મિલ્કતના વારસદારો એક કરતા વધુ હોય ત્યારે વરિષ્ઠ નાગરીકની મિલ્કત જેટલા પ્રમાણમાં તેમને મળે તે પ્રમાણે તેવાં સબંધીને નિભાવ આપવાના રહેશે
|
૧૧ | આ કાયદા હેઠળની કલમ-૪ હેઠળ અરજી મા બાપ કે વરિષ્ઠ નાગરીકો જાતેજ કરવાની છે. | - અરજી વરિષ્ઠ નાગરીક, મા બાપ જે લાગુ પડે તેમના દ્રારા
અથવા - જે તે અશકિતમાન હોય તો તેણે અધિકૃત કરેલ અન્ય વ્યકિત અથવા સંસ્થા દ્રારા
- ટ્રીબ્યુનલ પોતાની રીતે પણ નોંધ લઇ શકે છે.(સુઓમોટો દ્રારા)(સંસ્થાઓ એટલે સોસાયટી રજીસ્ટ્રેશન એકટ-૧૮૬૦ હેઠળ અથવા જે તે સમયે કાયદો અસ્તિત્વમાં હોય તેવા કાયદા હેઠળ નોંધાયેલ કોઇપણ સ્વૈચ્છિક મંડળી/સંસ્થા.
|
૧૨ | આ કાયદામાં દાવાનો નિકાલ આવે ત્યાં સુધી વચગાળાના હુકમ માટે કોઇ જોગવાઇ છે? | હાજી કલમ -૫,(ર) મુજબ વચગાળાનું નિભાવ ખર્ચ આપવા સંતાનો અથવા સબંધીને ટ્રીબ્યુનલ આદેશ કરી શકે છે |
૧૩ | અરજીની નિકાલનો સમય ગાળો શું છે? | પક્ષકારોને નોટીસની બજવણીની તારીખ થી નેવુ દિવસમાં અરજીઓ નિકાલ કરવાની જોગવાઇ છે.આ સમય ૩૦ દિવસ ખાસ સંજોગો માં લેખીત કારણો દર્શાવી શકાય છે |
૧૪ | ટ્રીબ્યુનલના હુકમનો અમલ કરવાની ચુક થયે શું જોગવાઇ છે. | આ કાયદાની કલમ-૫.(૮) મુજબ જો કોઇ સંતાન અથવા સબંધી પુરતા કારણો સિવાય તેવા હુકમનો અમલ કરવાનું ચુકે તો દંડની લેણી રકમના પ્રાવધાન ની રીતે ટ્રીબ્યુનલ દરેક માસની આખા અથવા અંશત: સમયના નિભાવ ભથ્થા અને કાર્યવાહી ખર્ચની લેણી રકમ વસુલ કરવા વોરંટ કાઢી તેની બજવણી કરાવી એક માસ સુધીની અથવા લેણી રકમ વહેલી વસુલ થાય તો તે સમય સુધીની કેદની સજા કરી શકશે.
જે તે તારીખે રકમ લેણી થતી હોય તેના ત્રણ માસ સુધીના સમયમાં લેણી રકમ વસુલ કરી હોય તે સિવાય આ કલમ હેઠળ કોઇ પણ લેણી રકમની વસુલાત માટે વોરંટ કાઢી શકાશે નહિ. |
૧૫ | આ અંગેની કાર્યવાહી કયાં થઇ શકે? | જયાં અરજદાર રહેતા હોય અથવા છેલ્લે જયાં રહયા હોય
અથવા
જયાં સંતાનો અથવા સબંધી રહેતા હોય |
૧૬ | સંતાનો કે સબંધી ભારત બહાર રહેતા હોય તો? | ત્યારે સરકાર જાહેરનામાથી આ બાબત નિર્દેશ કરે તે સત્તાધિકારી મારફતે ટ્રીબ્યુનલ સમન્સની બજવણી કરશે. |
૧૭ | સબ ડીવીઝન મેજીસ્ટ્રેટને સીવીલ કોર્ટની સત્તાઓ છે? | હાજી-આ કાયદાની કલમ-૭નું મુજબ સબડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી તમામ કાર્યવાહી માટે સીવીલ કોર્ટની તમામ સત્તાઓ ધરાવે છે.માસિક રૂપિયા ૫૦૦૦/- સુધીની ભરણપોષણની રકમ આપવાની ઠરાવી શકે છે.ઉપરાંત ક્રીમીનલ પ્રોસીજર કોડ-૧૯૭૩ના ચેપ્ટર-XXVI તથા સેકશન-૧૯૫ની સત્તા આ કાયદાના હેતુ માટે ધરાવે છે. |
૧૮ | આ કાયદાના અમલ માટે ફરજ બજાવતા કર્મચારી/અધિકારીનું સ્ટેટસ શું છે? | આ કાયદાના અમલીકરણમાં ફરજ બજાવતાં દરેક કર્મચારી/અધિકારી ઇન્ડીયન પીનલ કોઢના સેકશન -૨૧ અન્વયે પબ્લીક સર્વન્ટ ગણવામાં આવે છે. |
૧૯ | વરિષ્ઠ નાગરીક -HI વાળા જેઓએ ભરણપોષણ માટે અરજી કરવાની છે.તેનો નિયત નમુનો નકકી કરાયેલ છે. | હાજી રાજય સરકારશ્રી દ્રારા આ કાયદાના નિયમો ધડાયા છે.તેની સાથે નિયત અરજી પત્રક પણ તૈયાર કરાયેલ છે |
૨૦ | સબડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી ના હુકમથી અરજદાર "નારાજ”થાય તો અપીલની જોગવાઇ છે. | હાજી – ટ્રીબ્યુનલના નિર્ણયથી નારાજ થયેલ વરિષ્ડ નાગરીક /મા બાપ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીના અધ્યક્ષપણા હેઠળ સ્થાપેલ એપેલેટ ટ્રીબ્યનલ ને અપી લ કરી શકે છે. |
૨૧ | આવી અપીલ કેટલા સમયમાં નિકાલ કરવાની હોય છે? | આવી અપીલનો અપેલેટ ટ્રીબ્યુનલે ૬૦ દિવસમાં નિકાલ કરવાની જોગવાઇ છે. |
૨૨ | આ અરજીની સુનાવણી માટે વકીલની મદદ લઇ શકાય છે. | ના, કાયદાની કલમ-૧૭ હેઠળ વકીલની મદદ લઇ શકાતી નથી. |
૨૩ | ટ્રીબ્યનલ/એપેલેટ ટ્રીબ્યુનલ ના હુકમ સામે સીવીલ કોર્ટ મનાઇ હુકમ આપી શકે છે? | ના,જી સીવીલ કોર્ટ આવી કાર્યવાહી ઉપર મનાઇ હુકમ આપી શકતી નથી. |
૨૪ | આ કાયદા હેઠળ રાજય કક્ષાએ / જીલ્લાકક્ષાએ સંકલન સમિતિ રચના કરવામાં આવી છે? | આ કાયદા હેઠળ રાજયકક્ષાની સંકલન સમિતિની રચના કરવામાં આવી છે.આ સમિતિના અધ્યક્ષશ્રી તરીકે માન.મંત્રીશ્રી,સામાજીક ન્યાય અને અઘિકારીતા વિભાગ છે.
આ કાયદા હેઠળ જીલ્લાકક્ષાની સંકલન સમિતિની રચના કરવામાં આવી છે.આ સમિતિ અધ્યક્ષશ્રી તરીકે જીલ્લા કલેકટરશ્રી છે. |