સમાજ સુરક્ષા ખાતાની પ્રવૃત્તિઓ મુખ્યત્વે સમાજના નબળા વર્ગો જેવા કે અનાથ, નિરાધાર, ગુન્હાવૃત્તિ તરફ વળેલા બાળકો તેમજ યુવાન અને સંજોગોનો ભોગ બનેલ બાળાઓ, શારીરિક-માનસિક ક્ષતિવાળા બાળકો અને પુખ્તવયની વ્યક્તિઓ તથા વૃધ્ધો અને અશક્તો અને ભિક્ષુકોના કલ્યાણ તેમજ પુનઃવસવાટ વિગેરે સાથે સંકળાયેલી છે.
આ હેતુ માટે જરૂરી જણાયે આવી વ્યક્તિઓને સંસ્થામાં આશ્રય આપવામાં આવે છે. જેમાં તેઓને ખોરાક, કપડાં, વૈદકિય સારવાર, શૈક્ષણિક, ઔઘોગિક તાલીમ અને પુનઃવસવાટ અંગેની સેવાઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. સમાજ સુરક્ષા ખાતાના આ ઉદ્દેશો પાર પાડવા માટે રાજ્ય સરકાર તરફથી જુદા જુદા સામાજિક અધિનિયમોનો અમલ કરવામાં આવે છે.
આ પુસ્તિકામાં સમાજ સુરક્ષા ખાતા દ્વારા અમલી યોજનાઓ અને કાયદાકીય રીતે સ્થાપિત સંસ્થાઓ જનસમૂહને ઉપયોગી થાય તે માટે અને સરકારશ્રીના અસરકારક અને ઉત્તરદાયિત્વ ધરાવતા વહીવટ માટેની કાર્ય યોજનાના ભાગરૂપે પ્રસિધ્ધ કરવામાં આવે છે તેમજ નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ છે. |