હેતુ |
- આ યોજના હેઠળ ઠાકોર અને કોળી જાતિના ૧૮ થી ૩પ ની ઉમર ધરાવતાં યુવક/યુવતી કે જેઓ દાક્ટરી, આર્કિટેક્ટ, સોફ્ટવેર/હાર્ડવેર, ઓટોમોબાઇલ સહિતના ઇંજનેરી, વકીલ, ચાર્ટડ એકાઉન્ટન્ટ,
- હોટલ મેનેજમેન્ટ, શિલ્પકલા કે કાસ્ટકલા વિગેરેના ક્ષેત્રોના ઉચ્ચ વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરેલ હોય અને બુદ્ધિ કૌશલ્યના ઉપયોગ વડે સ્વનિર્ભર બનવા માગતા હોય તેઓને લોન ધિરાણ આપવામાં આવે છે.
|
લોન મેળવવા માટેની પાત્રતા |
- અરજદાર ઠાકોર યા કોળી જાતિના હોવા જોઇએ.
- તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂા. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
- અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ૧૮ વર્ષ થી ૩પ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
- અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે.
- અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.
|
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ |
- આ યોજનામાં વધુમાં વધુ રૂ.પ.૦૦ લાખની રકમ લોન પેટે આપવામાં આવશે.
- આ યોજનામાં વ્યાજનો દર વાર્ષિક પ % રહેશે.
- આ યોજના હેઠળ ધંધા/ વ્યવસાયની રકમની ૯પ % લોન આપવામાં આવશે. જયારે લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
- લોન પરત ચુકવણીનો સમય ગાળો યોજનાના પ્રકાર પર આધારિત રહેશે તેમ છતાં લોન વધુમાં વધુ પ વર્ષની અંદર ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે.
|