- આ અધિનિયમના અમલ માટે નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરીમાં નાયબ નિયામકના વડપણ હેઠળ ખાસ સેલ '' નાગરિક સેલ '' ની રચના કરવામાં આવેલ છે.
- તાલુકા કક્ષાએ શિબિરો, જિલ્લા કક્ષાએ વર્કશોપ તથા રાજયકક્ષાએ સેમિનારનું આયોજન કરવામાં આવે છે.
- અમદાવાદ, વડોદરા અને રાજકોટ ખાતે તકેદારી અધિકારીના વડપણ હેઠળ ત્રણ તકેદારી એકમોની રચના કરવામાં આવેલ છે.
- અસ્પૃશ્યતા નિવારણના ભાગરૂપે દરવર્ષે '' ગાંધી જયંતી '' નિમિત્તે તા. ર જી ઓકટોબરથી ૮મી ઓકટોબર સુધી '' ગાંધી સપ્તાહ ''ની ઉજવણી કરવામાં આવે છે.
- જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ / જિલ્લા કલેકટરશ્રીઓ / જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ / જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓને અનુ.જાતિની ફરિયાદો ઉપર ખાસ ધ્યાન આપવા માટે નીચે મુજબ સચનાઓ બહાર પાડી છે.
- કેસોની તપાસમાં જયારે પણ પોલીસ અધિકારીશ્રીઓ જાય ત્યારે ગામના ચોરામાં કે ગેસ્ટ હાઉસમાં ઉતરવા અંગે તથા ફરિયાદ લેવામાં બેદરકારી અને ઢીલ ન રાખવા અંગે તકેદારી રાખવી.
- અનુ.જાતિના લોકોને કનડગત કરવા અંગેના કિસ્સાની જાણ પોલીસ અધિકારીને કરવામાં આવે ત્યારે પોલીસે તુરત કાર્યવાહી કરવી તેમજ છટકા ગોઠવવા
- અનુ.જાતિઓને અસ્પૃશ્યતાને કારણે કનડગત થતી હોય ત્યારે તેમજ શિક્ષાપાત્ર ગુન્હો બનતો હોય અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્થાનિક રહેવાસીઓ તેમાં સંકળાયેલ હોય તો સામૂહિક દંડ નાખવો.
- નાગરિક હકક રક્ષણ અધિનિયમ - ૧૯પપ હેઠળ અદાલતે સજાની જોગવાઇ મુજબ સજા કરવી જોઇએ. તેમ છતાં પણ કેટલાક કેસોમાં કાયદાની જોગવાઇ મુજબ સજા ન કરાતાં, આવા કેસોમાં અપીલો કરવી.
- રાજયપત્રિત અધિકારીઓ પ્રવાસ દરમ્યાન જે જે ગામોમાં જાય ત્યારે ગામના અનુ.જાતિના મહોલ્લાની મુલાકાત લઇ, તેઓની ફરિયાદો સાંભળી તેનો નિકાલ કરવો.
- અધિનિયમની જોગવાઇઓ, કાયદાની જોગવાઇઓના પ્રચાર માટે સાહિત્ય પ્રસિધ્ધ કરવું.
|