હેતુ |
- નાના પાયાપર ધંધો/વ્યવસાય શરૂ કરવા માટે સ્વસહાય જુથો મારફતે લોન/સહાય આપવામાં આવે છે.
|
લોન મેળવવા માટેની પાત્રતા |
- અરજદાર ઠાકોર યા કોળી જાતિના હોવા જોઇએ.
- તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂા. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
- અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
- અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે.
- અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે
|
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ |
- આ યોજનામાં લોનની મર્યાદા વધુમાં વધુ રૂ.૬૦,૦૦૦/- સુધીની છે.
- વ્યાજનો દર વાર્ષિક પ % રહેશે.
- આ યોજના હેઠળ ધંધા/ વ્યવસાયની રકમની ૯પ % લોન આપવામાં આવશે. જયારે લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
- આ લોનની રકમ વ્યાજસહિત ૪૮ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે
|