| હેતુ |  
    - નાના પાયાપર ધંધો/વ્યવસાય શરૂ કરવા લોન/સહાય આપવામાં આવે છે.
     |  
  | લોન મેળવવા માટેની પાત્રતા |  
    - અરજદાર ઠાકોર યા કોળી  જાતિના હોવા જોઇએ.
  - તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂા. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  
- અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  - અરજદારને તાંત્રિક અને  કુશળતા ધરાવતાં ધંધા/વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી  છે.
  - અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે
     |  
  | યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ |  
    - આ યોજનામાં લોનની મર્યાદા વધુમાં વધુ રૂ. ૫,૦૦,૦૦૦/- સુધીની છે.
  - આ યોજનામાં સરકારશ્રી દ્વારા વખતોવખત નકકી થયેલ વ્યાજદર લાગુ પડશે 
  - આ યોજના હેઠળ ધંધા/ વ્યવસાયની રકમની ૯પ % લોન આપવામાં આવશે. જયારે લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
  - આ લોનની રકમ વ્યાજસહિત ૪૮ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે
     |