નિગમના મુખ્ય ઉદ્દેશો |
|
ગુજરાત રાજયમાં સૌથી મોટો વસ્તી સમુદાય ધરાવતાં ઠાકોર અને કોળી સમાજ અને તેમની પેટાજાતિઓનો સરકારશ્રી દ્રારા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવેશ કરવામાં આવેલ છે.રાજયમાં ઠાકોર અને કોળી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછુ છે અને સ્ત્રીઓમાં શિક્ષણ નહીવત છે.આ સમાજનો મોટો વર્ગ અભણ,અજ્ઞાન અને રૂઢિચુસ્ત હોવાથી સમાજની રૂઢિમાન્યતાઓ, વંશ પરંપરાગત અને અંધશ્રધ્ધા પર આધારીત હોય છે.તેમજ રીત રિવાજ પણ ઘણાં ખર્ચાળ હોવાથી ઠાકોર અને કોળી સમાજના લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી છે. આ તમામ પરિબળોને કારણે ઠાકોર અને કોળી સમાજનો પુર્ણ પણે વિકાસ થઇ શકયો નથી. માટે રાજયમાં ઠાકોર અને કોળી સમાજના લોકો અન્ય વિકસીત સમાજના લોકોની હરોળમાં આવી શકે તે હેતુસર ઠાકોર અને કોળી સમાજના નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતાં જરૂરીયાત મંદ લોકો સ્વમાનભેર સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બની જીવનમાં ઉન્નતિ કરી શકે તે ઉદેશથી નિયત આવક મર્યાદા અને પાત્રતા ધ્યાનમાં લઇ નીચે દર્શાવેલ વિવિધ યોજનાઓ હેઠળ લોન આપવામાં આવે છે. |
- કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટેની યોજનાઓ.
- લઘુ ઉઘોગો, કારીગરી અને પરંપરાગત ધંધા-વ્યવસાય માટેની યોજનાઓ
- સેવાકીય ધંધા/વ્યવસાય અને પરિવહન સેક્ટર માટેની યોજનાઓ.
|
લોન સહાય મેળવવાની પાત્રતાઃ |
- અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ઠાકોર યા કોળી તથા તે પૈકીની પેટાજાતિના હોવા જોઇએ.
- તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂા. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
- અરજદારની ઉંમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
- અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્યવસાય માટે લોન મેળવવા અનુભવ હોવો જરૂરી છે.
- અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.
|