વિકલાંગ ( સમાન તકો -અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ધારો-૧૯૯૫ હેઠળ કાયદાનુસાર રચાયેલ આ સ્વતંત્ર કમિશનર કચેરીની સ્થાપના તા.૭/૨/૧૯૯૬થી થયેલ છે. આ અર્ધન્યાયિક પ્રકારની સત્તા ધરાવતી કચેરી છે જેનાં કાર્યો નિયમન અને વિકાસલક્ષી છે. વિકલાંગ વ્યક્તિઓના હક્કોના ભંગના કિસ્સાઓમાં આ કચેરી સીવીલ કોર્ટ તરીકેની કામગીરી બજાવે છે. કેન્દ્ર સરકારના સુચવ્યા અનુસાર રાજ્ય સરકારે નવેમ્બર-૧૯૯૬માં રાજ્ય કમિશનરની નિમણુંક કરી હતી. પરંતુ ડીસેમ્બર-૧૯૯૬થી રાજ્ય કમિશનરને સ્વતંત્ર કચેરી અને કર્મચારીગણ મળેલ છે. |