- સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૧૩/૯/ર૦૦ર ના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી રાજ્યમાં રહેતા ઠાકોર અને કોળી તથા તેની પેટા જાતિઓના સર્વાંગી ઉત્કર્ષ માટે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ બોર્ડનું ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં રૂપાંતર કરવામાં આવેલ છે. જેની તા.૧૯/૦૯/૨૦૦૩ના રોજ કંપની ધારા ૧૯૫૬ની કલમ-૨૫ હેઠળ નોધણી કરવામાં આવેલી છે.
- ગુજરાત રાજયની ઠાકોર અને કોળી તથા તેમની પેટાજાતિઓ ના સામાજીક, આર્થિક તેમજ શૈક્ષણિક ઉત્કર્ષ માટેની વિવિધ યોજનાઓનું અમલીકરણ.
- રાજ્ય સરકાર અને ભારત સરકારશ્રીના રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ, નવી દિલ્હીની ચેનલાઇઝીંગ એજન્સી તરીકે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા સીધા ધિરાણની યોજનાઓનો અમલ કરવામાં આવે છે.
|