હેતુ |
- સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ઉચ્ચ વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટેની લોન યોજના.
|
લોન મેળવવાની પાત્રતા |
- અરજદાર ઠાકોર અથવા કોળી જાતિના હોવા જોઇએ
- તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂા. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
- આવરી લેવામાં આવેલ અભ્યાસ ક્રમ
- એમ.બીએ. અથવા તથા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસ ક્રમ)
- એમ.સી.એ. માસ્ટીર ઓફ કોમ્૫યુટર એ૫લીકેશન અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસક્રમ)
- આઇ.આઇ.ટી. / એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય સ્નાતક કક્ષાના ઇજનેરી અભ્યાસક્રમ તેમજ માન્ય વ્યવસાયિક સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ.
- મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ જેને માન્યયતા આપી હોય તેવી કોલેજના તબીબી શિક્ષણના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ.
- મેનેજમેન્ટ કોટામાં મેળવેલ પ્રવેશના કિસ્સામાં લોન મળવા પાત્ર નથી.
|
લોનની રકમમાં નીચેનાનો સમાવેશ થશે. |
- પ્રવેશ ફી અને ટયુશન ફી
- અભ્યાસક્રમ માટે જરૂરી પુસ્તકો, લેખન સામગ્રી, જરૂરી સાધનો અને પરીક્ષા ફી
- રહેવા – જમવાનો ખર્ચ
- વીમા – પોલીસીનું પ્રીમીયમ
|
યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ |
- આ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા રૂ.૧૫ લાખ સુધીની છે.
- આ યોજનાઓમાં વ્યાયજનો દર વાર્ષીક ૪ ટકા રહેશે. વિદ્યાર્થીની માટે આ દર ૩.૫ % છે.
- આ યોજનાઓમાં યુનિટ કોસ્ટિના માન્ય ખર્ચના ૯૦ ટકા લોન આપવામાં આવશે જયારે ૯૦ ટકા કેન્દ્દીય નિગમના, ૫ ટકા રાજય સરકાર અને ૫ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે.
- આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે લોનની વસુલાત અભ્યાસક્રમ પુરો થયેથી ૬ માસમાં કે નોકરી વ્યશવસાય મળેથી બંન્નેમાંથી જે વહેતું હોય ત્યારથી.
|
|