પ્રશ્ન ૧ : | લોન મેળવવા માટે અરજી કરેલ તેનું શું થયું ? |
જવાબ ૧ : | આ બાબતે જિલ્લા મેનેજરશ્રી , જિલ્લા કચેરી નો સંપર્ક કરવો. |
|
પ્રશ્ન ૨ : | લોન અરજી મંજુર થયેલ છે કે કેમ ? |
જવાબ ૨ : | આ બાબતે જિલ્લા મેનેજરશ્રી , જિલ્લા કચેરી નો સંપર્ક કરવો. |
|
પ્રશ્ન ૩ : | લોન અરજી ના મંજુર કયા કારણોસર કરવામાં આવી છે ? |
જવાબ ૩ : | આ બાબતે જિલ્લા મેનેજરશ્રી , જિલ્લા કચેરી નો સંપર્ક કરવો. |
|
પ્રશ્ન ૪ : | અરજી મંજુર થયેલ હોય તો ધિરાણ ક્યારે મળશે ? |
જવાબ ૪ : | આ બાબતે જિલ્લા મેનેજરશ્રી , જિલ્લા કચેરી અથવા મનેજર (યોજના) વડી કચેરી નો સંપર્ક કરવો. |
|
પ્રશ્ન ૫ : | અરજી ના મંજુર થયેલ હોય તો , મંજુર કરવા માટે કોને મળવું ? |
જવાબ ૫ : | અરજી ના મંજુર થયેલ હોય અને મંજુર કરવા માટે વ્યાજબી કારણ હોય તો જનરલ મેનેજર શ્રી , વડી કચેરી ને રજૂઆત કરવી. |
|
પ્રશ્ન ૬ : | ધિરાણ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ કરવાના છે ? |
જવાબ ૬ : | નીચે મુજબ ના લોન ડોક્યુમેન્ટ્સ કરવાના થાય છે .
(૧) વચન ચિટ્ઠી, (૨) લોન એગ્રીમેન્ટ, (૩) બાહેંધરી પત્રક , (૪) ગીરોખત વિગેરે. |
|
પ્રશ્ન ૭ : | કેટલા અને કેવા પ્રકારના જામીન આપવાના છે. |
જવાબ ૭ : | રૂ. ૩૦,૦૦૦/- સુધીના ધિરાણમાં કોઈ જામીન આપવાના થતા નથી.
રૂ. ૩૦,૦૦૧/- થી રૂ. ૧,૦૦,૦૦૦/- સુધીના ધિરાણમાં નીચેમાંથીં કોઈપણ એક જામીન આપવાનો રહેશે. - સરકારી/અર્ધસરકારી કચેરીમાં નોકરી કરતા કર્મચારી
- ધિરાણની રકમની દોઢગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ (સ્થાવર મિલકતના સંદર્ભ માં બોજ્નોંધ કરવાની રહેશે)
- જાત જામીન એટલે કે ધિરાણની દોઢ ગણી રકમની પોતાની સ્થાવર મિલકત (બોજ નોંધ કરાવવાની રહેશે.)
- લાભાર્થીએ પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવા.
- રૂ. ૧,૦૦,૦૦૦/- થી વધુના ધિરાણમાં બે જામીન આપવાના રહેશે.
- સરકારી/અર્ધસરકારી કચેરીમાં નોકરી કરતા કર્મચારી અથવા
- ધિરાણની રકમ ની દોઢગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ (સ્થાવર મિલકતના સંદર્ભમાં બોજ્નોંધ કરાવવાની રહેશે)
- લાભાર્થીએ દશ પોસ્ટ ડેટેડ ચેક આપવા.
|
|
પ્રશ્ન ૮ : | ધિરાણ મળ્યા હોય તો જામીન બદલવા શું કરવું ? |
જવાબ ૮ : | સામાન્ય રીતે જામીન બદલી શકતા નથી, પરંતુ અપવાદ રૂપ કિસ્સા માં લાભાર્થી તરફ થી મળેલ વસુલાત વિગેરે બાબતોને ધ્યાને લઈ ગુણદોષ ને આધારે જામીન બદલી શકાય છે. |
|
પ્રશ્ન ૯ : | આપેલ જામીન ક્યારે ના બદલી શકાય ? કયા કારણોસર ? |
જવાબ ૯ : | જવાબ ૮ મુજબ. |
|
પ્રશ્ન ૧૦ : | સબસીડી કેટલી અને ક્યારે મળશે ? |
જવાબ ૧૦ : | બેન્કેબલ યોજના હેઠળ ધિરાણ ના ૫૦ % અથવા રૂ ૧૦,૦૦૦/- બે માંથી જે રકમ ઓછી હોય તે રકમ સબસીડી તરીકે મળવા પાત્ર થાય છે.
એન. એસ. એફ. ડી. સી. (સીધા ધિરાણ ) ની યોજના હેઠળ જે લાભાર્થી ની આવક ગરીબી રેખા થી ઓછી છે તેવા લાભાર્થી ને ધિરાણ ના ૫૦ % અથવા રૂ ૧૦,૦૦૦/- બે માંથી જે રકમ ઓછી હોય તે રકમ સબસીડી તરીકે મળવા પાત્ર થાય છે.
સબસીડીની રકમ ભારત સરકારશ્રી તરફથી મળેથી ક્રમાનુસાર આપવામાં આવે છે. |
|
પ્રશ્ન ૧૧ : | સબસીડી કયા કારણોસર ના મંજુર કરેલ છે ? |
જવાબ ૧૧ : | (૧) અરજદારે અથવા તેમના કુટુંબ ના સભ્યો એ અગાઉ સબસીડી નો લાભ મેળવેલ હોય.
(૨) એન. એસ. એફ. ડી. સી. (સીધા ધિરાણ ) ની યોજના હેઠળ ગરીબી રેખા ની આવક મર્યાદા કરતા વધુ આવક ધરાવતા હોય તેવા કિસ્સાઓ માં . |
|
પ્રશ્ન ૧૨ : | ધિરાણ મંજુર થયેલ હોય, તો જિલ્લા કચેરી એ ચેક મોકલેલ છે કે કેમ ? |
જવાબ ૧૨ : | આ બાબતે મેનેજર શ્રી (નાણાં), વડી કચેરી નો સંપર્ક કરવો. |