ક્રમ | અરજદાનાર પ્રશ્નો | પ્રશ્નોનું નિરાકરણ |
1 | નિગમની રચના કયારે કરવામાં આવી ? | વર્ષ ૧૯૯૦થી ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડ તરીકે કાર્યરત હતું બાદ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૧૦-૦૮-૨૦૦૦ના ઠરાવથી ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લિ.માં રૂપાંતર કરવામાં આવેલ છે. |
2 | નિગમના ઉદ્દેશો અને હેતુઓ (કામગીરી) શું છે ? | ૧.સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ સમાજના લોકોને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટેની યોજનાઓ ઘડવી, તેને મંજુર કરાવવી અને તેનો અમલ કરવો.
ર.સરકારશ્રીની યોજનાઓ લાભ લેવા માટે જાગૃત બનાવવા તથા તે માટે પ્રોત્સાહિત કરવા, શિક્ષિત બનાવવા, તાલમી આપવી.
૩.રબારી અને ભરવાડ સમાજના વિકાસની યોજના રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, રાજય કે કેન્દ્ર સરકાર તેમની સંલગ્ન સંસ્થાઓ, બોર્ડ / નિગમો, સરકાર માન્ય નાણાં-સંસ્થાઓના સહકાર અને સંકલની અમલમાં મુકવી.
૪.રબારી અને ભરવાડ સમાજના રહેલા કુરીવાજો, બાળલગ્ન નાબુદી, વ્યસન મુકિત, શિક્ષણ વધારવા માટે, સ્વચ્છતા અભિયાન તેમજ નિગમની યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે શિબિરોનું આયોજન કરવું.
પ.રબારી અને ભરવાડ જાતિઓના આર્થિક ઉપાર્જન થાય તેવી યોજનાઓ અને તે અંગેની તાલીમ આપવાના કાર્યક્રમો ગોઠવવા. |
3 | નિગમની યોજનાઓનો લાભ કયા કયા સમુદાયને મળે છે ? | સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડના લોકોને લાભ મળે છે. |
4 | નિગમ લાભાર્થીઓ પાસે કેવી રીતે પહોંચે છે ? | નિગમની યોજનાઓનો લાભાર્થીઓને લાભ મળે તે માટે જીલ્લા / તાલુકા કક્ષાએ જાગૃતિ શિબિર કરવામાં આવે છે તથા સમાચારપત્રોમાં જાહેરાત આપી ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે. |
5 | લોન માટે કયારે જાહેરાત આપવામાં આવે છે | રાજય સરકાર અને રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ, નવી દિલ્હી (NBCFDC) તરફથી ફંડ આપવામાં આવ્યા બાદ વાર્ષિક આયોજનને સરકારશ્રીમાંથી મંજુરી મળ્યેથી જાહેરાત આપવામાં આવે છે. |
6 | લોન કોને કોને મળી શકે ? | આ લોન સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ રબારી અને ભરવાડ જાતિના અરજદારો કે જેમની ઉંમર ૨૧ થી ૪૫ વર્ષની વચ્ચે હોય અને કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા.૩.૦૦ લાખ સુધીની હોય. |
7 | નિગમની યોજનાઓ કેટલી છે ? કઇ કઇ છે તેના ધોરણો શું છે ? કઇ કઇ યોજનામાં કેટલી લોન મળી શકે ? | આ અંગેની વિગતો વેબસાઇટ પર યોજનાઓના પેજ પર આપેલ છે.
(website: sje.gujarat.gov.in/ggvn)
|
8 | આ લોન મેળવવા કયા કયા દસ્તાવેજો રજુ કરવા પડે ? | આ લોન મેળવવા અરજદારે ઓનલાઇન અરજી કરતી વખતે નીચે જણાવ્યા મુજબના દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરવા જરૂરી છે.
(૧) અરજદારના નામનો સક્ષમ અધિકારીશ્રીનો જાતિનો દાખલો. (ર) અરજદારના કુટુંબની વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીશ્રીનો દાખલો (૩) ઉંમરના પુરાવા તરીકે શાળા છોડયાનું પ્રમાણપત્ર અથવા મેડીકલ ઓફીસરનો દાખલ (૪) આધારકાર્ડ, રેશનકાર્ડ અને ચુંટણીકાર્ડની પ્રમાણિત નકલ. (પ) અનુભવનો દાખલો. (૬) વાહન લોન માટે લાયન્સની નકલ. (૭) કોટેશન. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ યોજનામાં પ્રવેશ સમિતિ મારફતે મેળવેલ એડમીશન લેટર, અભ્યાસક્રમમાં થનારની ખર્ચ વિગતો. કોલેજની વિગતો,
|
9 | લોન અરજી કોણ મંજુર કરી શકે ? | લોન અરજી લાભાર્થી પસંદગી સમિતિ દ્વારા મંજુર કરવામાં આવે જેના અધ્યક્ષ નિગમના અધ્યક્ષશ્રી હોય છે. શૈક્ષણિક લોન મંજુર / નામંજુર કરવાની સત્તા મેનેજીગ ડીરેકટરશ્રીને છે. |
10 | લાભાર્થી પસંદગી સમિતિ દ્વારા કયા કયા ધોરણો/માપદંડો મુજબ અરજી મંજુર કરવામાં આવે છે?. લોન મંજુરીની પ્રક્રિયા શું છે ? તેમજ લોન મંજુરી થયાની જાણ લાભાર્થીને કેવી રીતે કરવામાં આવે છે ? | વિધવા – ત્યકતા, વિકલાંગ અરજદારોને તેમજ ઓછી આવક ધરાવતા અરજદારોને અગ્રીમતા આપવામાં આવે છે. અને જાહેરાતમાં દર્શાવવામાં આવેલ યુનિટની મર્યાદામાં દરેક જીલ્લાઓમાં જાતિઓની વસ્તીના પ્રમાણસર તેમજ ઉપલબ્ધ ફંડની મર્યાદામાં પ્રાથમિક મંજુરી આપવામાં આવે છે.
સૌ પ્રથમ અરજદારોની અરજીઓની જીલ્લા પ્રમાણે ગોઠવી, ક્ષતિરહિત અને ક્ષતિવાળી યાદી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ લાભાર્થી પસંદગી સમિતિ સમક્ષ આ યાદી મુકવામાં આવે છે. લાભાર્થી પસંદગી સમિતિ દ્વારા પાત્રતાના માપદંડોને ધ્યાનમાં રાખીને અરજી મંજુર /ના મંજુર કરવામાં આવે છે.
લાભાર્થી પસંદગી સમિતિ દ્વારા પ્રાથમિક રીતે મંજુર થયેલ અરજીઓના અરજદારોને નિયત લોન દસ્તાવેજ મોકલી લોન દસ્તાવેજ તેમજ તેને સંલ્ગન આધાર પુરાવા રજુ કરવા જાણ કરવામાં આવે છે. |
11 | લાભાર્થી પસંદગી સમિતિ દ્વારા પ્રાથમિક મંજુરી આપ્યા બાદ અરજદારોને કયા દસ્તાવેજ/જામીનગીરી આપવાના હોય છે. | ૧) રૂા.૬૦૦/-ના અધેવીશ સ્ટેમ્પ (અધેશીવ સ્ટેમ્પ લગાડયા પછી જ વિગતો ભરી દરેક પાને પાને અરજદાર અને જામીનદારની સહીઓ કરવી.)
ર) પ્રોમીસરી નોટ પર રૂા.૩/-ની રેવન્યુ સ્ટેમ્પ લગાવી અરજદારની સહી કરવી.
૩) રૂા.૩૦૦/- નોટરાઇઝ સોગંદનામુ / ઇ-સ્ટેમ્પીંગ પર જામીનદારનું સોગંદનામું. (બન્ને જામીનદારોનું અલગ અલગ)
૪) રાષ્ટ્રીયકૃત બેંકના ચેક નિયત જગ્યાએ સહી કરેલા ૧૦-ચેક. પ) બેન્કપાસબુકની નકલ.
૬) નિગમના નામે લોનની રકમની દોઢ ગણી રકમની બોજાનોંધ (મકાન પર બોજો પડાવેલ હોય બોજાની વિગત દર્શાવતી તલાટી-કમ-મંત્રીના સહી / સિકકાવાળી આકારણી. જમીન પર બોજો પડાવેલ હોય બોજાની વિગત દર્શાવતી ૬-હકકપત્ર અને ૭/૧૨ના ઉતારાની નકલ)
૭) જામીનદારની મિલકતના (આકારણીપત્ર અથવા ૭/૧૨ના ઉતારા)
૮) જામીનદારના રહેઠાણાના પુરાવા. (રેશનકાર્ડ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડની નકલ)
|
12 | લોનમાં સબસીડી આપવામાં આવે છે ? | આ નિગમની લોન ૪ થી ૬ ટકાના નજીવા વ્યાજદરે આપવામાં આવે છે. તેમા સબસીડી મળવાપાત્ર નથી. |
13 | લોન ડોકયુમેન્ટ પૂર્ણ કર્યા બાદ કેટલા સમયમાં લોન મળશે | અરજદારની લોનના તમામ ડોકયુમેન્ટ પૂર્ણ થયા બાદ ફંડ ઉપલબ્ધતા મુજબ આપવમાં આવે છે. RTGS/NEFT થી લાભાર્થીના એકાઉન્ટમાં લોનની રકમ જમા કરાવવામાં આવે છે. |
14 | કેટલા હપ્તામાં લોન પૂર્ણ કરવાની થાય છે. | ધિરાણની યોજના હેઠળ ૬૦ હપ્તામાં લોન ભરપાઇ કરવાની થાય છે. તેમજ ઉચ્ચ શિક્ષણ યોજના હેઠળ અભ્યાસ પૂર્ણ થયે નોકરી મળ્યાબાદ અથવા છ માસ બન્નેમાંથી જે વહેલું હોય ત્યારથી ૬૦-હપ્તામાં લોન ભરપાઇ કરવાની હોય છે. |
15 | લોનના હપ્તા કયાં અને કેવી રીતે ભરવાના હોય છે? | નિયત કરવામાં આવેલ દેના બેક, બેંક ઓફ બરોડા, એકસીસ બેક, એચડીએફસી બેન્કમાં નિગમ દ્વારા આપવામાં આવેલ બેંકબુકથી અથવા બેન્કના પેમેન્ટ ગેટવે દ્વારા લોનના હપ્તા ભરી શકાય છે. |
16 | એક જ કુટુંબમાંથી એક વ્યકિતને લોન મળી શકે ? | જયાં સુધી એક વ્યકિતની લોન પુરી ન થાય ત્યાં સુધી કુટુંબની અન્ય વ્યકિતને લોન મળવાપાત્ર નથી. |
17 | લોન અંગે ભરેલ હપ્તાની વિગતો જાણવા મળે ? | નિગમની કચેરીએથી માહીતી મેળવી શકાય છે. |
18 | વાહન માટે કોઇ લોન યોજના છે? | હા, ઓટો રીક્ષા તેમજ લોડીંગ રીક્ષા માટે લોન મળી શકે છે. |
19 | અભ્યાસક્રમમાં લોન મળે છે અને કયા ડોકયુમેન્ટ જોઇએ? | વિદ્યાર્થીએ સરકાર માન્ય ACTE, UGC, મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા, માન્ય અભ્યાસક્રમો જેવી કે, એન્જીનીયરીંગ, એમ.સી.એ., એમ.બી.એ., મેડીકલ, સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં મેરીટને આધારે પ્રવેશ મેળવેલ હોવો જોઇએ. |
20 | એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ACPC) લેટર ફરજીયાત છે. | હા. |
21 | એકાઉન્ટ હોય તે બદલાઇ ગયું હોય તો શું કાર્યવાહી કરવાની થાય છે? | જુના એકાઉન્ટના ચેક પરત આપી નવા બેંક એકાઉન્ટસના ચેક તથા પાસબુકની નકલ આપવાની રહે છે. |
22 | વિકસતી જાતિ કલ્યાણ ખાતાના અન્ય નિગમમાંથી લોન મળી શકે ? | ગમે તે એક જ નિગમમાંથી લોન મેળવી શકાય. |
23 | પશુનું મૃત્યુ થાય તો લોન માફ કરવામાં આવે છે ? | ના |
24 | વાહન બગડી જાય તો લોન માફ કરવામાં આવે છે ? | ના |
25 | ચાલુ લોનમાં બોજોનોંધ બદલાવી શકાય ? | લાભાર્થી નિયમીત હપ્તા ભરતા હોય તો વિચારી શકાય. |
26 | યોજનાનો લાભ લેવા જામીનગીરી આપવાના થાય છે ?જામીનગીરીમાં શું શું આપવાનું હોય છે. | રૂા.૧.૦૦ લાખથી વધુ રકમના ધિરાણ માટે.
(૧) સ્થાવર મિલકત ધરાવતા બે જામીનદાર (જામીનદારના રહેઠાણ અને મિલકતના પુરાવા)
(ર) લાભાર્થી અથવા જામીનદારની મિલ્કત ઉપર નિગમના નામે લોનની રકમ કરતાં દોઢ ગણી રકમનો બોજો. (મકાન ઉપર બોજો દાખલ કરેલ હોય તો બોજાનોંધ દર્શાવતી આકારણીપત્રક જેમા તલાટીના સહિ અને સિકકાવાળી આકારણી હોવી જોઇએ. જમીન ઉપર બોજો દાખલ કરેલ હોય ૬-હકકપત્રક અને ૭-૧૨માં નિગમના નામના બોજાની વિગત દર્શાવતી નોંધ)
(૩) લાભાર્થીના વ્યકિતગત રાષ્ટ્રીયકૃતબેંક ખાતાના ૧૦-ચેક નિયત જગ્યાએ સહી કરેલા. |
27 | નિગમના કાર્યવાહક મંડળમાં કેટલા સરકારી અને બીન સરકારી સભ્યો છે. | નિગમના કાર્યવાહક મંડળમાં ૮-બિન સરકારી અને ૭-સરકારી સભ્ય એમ કુલ ૧૫-સભ્યો છે. |